તેલંગાણામાં એક શાળામાં 42 વિદ્યાર્થીનીઓ અને એક શિક્ષિકા કોરોનાથી સંક્રમિત, તમામને આઇસોલેશનમાં રખાયા

છેલ્લા 10 દિવસમાં તેલંગાણાની કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના કોરોના પોઝિટિવ હોવાની આ ત્રીજી ઘટના છે. ગત સપ્તાહમાં હૈદરાબાદ નજીકની મહિન્દ્રા યુનિવર્સિટીને 25 વિદ્યાર્થીઓ અને પાંચ સ્ટાફ સભ્યોના પોઝિટિવ આવ્યા બાદ બંધ કરવામાં આવી હતી.

તેલંગાણામાં એક શાળામાં 42 વિદ્યાર્થીનીઓ અને એક શિક્ષિકા કોરોનાથી સંક્રમિત, તમામને આઇસોલેશનમાં રખાયા
Symbolic Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 2:57 PM

શાળાઓ(Schools) શરુ થવાની સાથે જ દેશના વિવિધ રાજ્યોમાં શાળાઓમાં સંક્રમણ વધી રહ્યુ છે. તેલંગાણાની એક શાળામાં કોરોના(Corona )ના 40 થી વધુ કેસ નોંધાયા છે. રાજ્યના સાંગા રેડ્ડી જિલ્લામાં મહાત્મા જ્યોતિબા ફૂલે પછાત વર્ગ કલ્યાણ શાળાની 45 વિદ્યાર્થીનીઓ(Students) કોરોના પોઝિટિવ(Corona positive) મળી આવી છે. એક શિક્ષક(Teacher) પણ પોઝિટિવ છે.

તેલંગાણામાં કોરોના સંક્રમણના કેસો ઘટી રહ્યા હોવાથી શાળાઓ ફરીથી ખોલવામાં આવી છે, વિદ્યાર્થીઓને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની સંપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી રહી છે, પરંતુ તમામ પ્રકારના પ્રતિબંધો હોવા છતાં, વિદ્યાર્થીઓનો કોરોના ચેપ અટકતો નથી. હૈદરાબાદ નજીકના સંગારેડ્ડી જિલ્લાના મુથાંગી ખાતે તેલંગાણાની સરકારી રેસિડેન્શિયલ ગુરુકુલ સ્કૂલમાં 42 વિદ્યાર્થિનીઓ અને એક શિક્ષક કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા, જ્યારે વિશ્વમાં ઓમિક્રોન વેરિઅન્ટ્સના વધતા જતા પ્રકોપ વચ્ચે તેમના નમૂનાઓ પરીક્ષણ માટે હૈદરાબાદ મોકલવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

તમામને આઇસોલેશનમાં રખાયા

સંગારેડ્ડી જિલ્લાના ડીએમ અને એચઓ ડૉ. ગાયત્રી કેના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. હૈદરાબાદથી લગભગ 50 કિલોમીટર દૂર સંગારેડ્ડી જિલ્લાના મુથાંગી ગામમાં મહાત્મા જ્યોતિબા ફૂલે ગુરુકુલ સ્કૂલમાં આ કેસ સામે આવ્યા છે.

શાળા સત્તાધીશોએ તમામ વિદ્યાર્થીઓનો ટેસ્ટ કર્યો

એક વિદ્યાર્થિનીમાં હળવા લક્ષણો હોવાની શંકાના આધારે શાળામાં  તમામ વિદ્યાર્થિીનીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રવિવારે 261 વિદ્યાર્થિનીઓ અને 27 સ્ટાફ સભ્યોના કોરોના ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 42 વિદ્યાર્થિની અને એક શિક્ષિકા કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારી ગાયત્રી દેવીની દેખરેખ હેઠળ સોમવારે બાકીની વિદ્યાર્થિનીઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

શૈક્ષણિક સંસ્થામાં સંક્રમણની આ ત્રીજી ઘટના

છેલ્લા 10 દિવસમાં તેલંગાણાની કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના કોરોના પોઝિટિવ હોવાની આ ત્રીજી ઘટના છે. ગત સપ્તાહમાં હૈદરાબાદ નજીકની મહિન્દ્રા યુનિવર્સિટીને 25 વિદ્યાર્થીઓ અને પાંચ સ્ટાફ સભ્યોના પોઝિટિવ આવ્યા બાદ બંધ કરવામાં આવી હતી.

હાઈકોર્ટે ઓક્ટોબરમાં ખોલવાની મંજૂરી આપી હતી

ગયા મહિને રાજ્યમાં રેસિડેન્શિયલ સ્કૂલો ફરી શરૂ થયા બાદ આ પહેલીવાર છે કે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ પોઝિટિવ મળી આવી હતી. તેલંગાણામાં શૈક્ષણિક સંસ્થાઓ 1 સપ્ટેમ્બરથી ફરી ખુલી. જો કે, શિક્ષણ વિભાગે તમામ નિવારક પગલાં લેવાની ખાતરી આપ્યા બાદ હાઈકોર્ટે ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં રેસિડેન્શિયલ સ્કૂલો ફરીથી ખોલવાની મંજૂરી આપી હતી.

આ પણ વાંચોઃ ઉઘરાણીના 100 કરોડ જેટલા રૂપિયા ફસાઈ જતા સુરત, અમદાવાદના કાપડના વેપારીઓ મુશ્કેલીમાં

આ પણ વાંચોઃ Google Play Best Apps 2021: ગૂગલે કરી જાહેરાત, 2021ના વર્ષની આ શ્રેષ્ઠ ભારતીય એપ્લિકેશન હોવી જોઈએ, જાણો કઈ કઈ છે એપ્લિકેશન ?

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">