AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

90ના દાયકામાં જમ્મુ અને એનસીઆરમાં હિજરત થયા હતા મોટાભાગના કાશ્મીરી પંડિતો, RTIમાં થયો ખુલાસો

આરટીઆઈમાં મળેલા જવાબ મુજબ સ્થળાંતર દરમિયાન 60 હજારથી વધુ લોકોએ કાશ્મીર છોડી દીધું હતું. આમાંના મોટાભાગના લોકો જમ્મુમાં સ્થાયી થયા હતા, જ્યારે કેટલાક લોકો દિલ્હીના નેશનલ કેપિટલ રિજન એટલે કે NCRમાં હિજરત થયા હતા.

90ના દાયકામાં જમ્મુ અને એનસીઆરમાં હિજરત થયા હતા મોટાભાગના કાશ્મીરી પંડિતો,  RTIમાં થયો ખુલાસો
Kashmiri Pandit,migrant(File image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 1:06 PM
Share

ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ‘એ 1990ના દાયકામાં કાશ્મીરી પંડિતો (Kashmiri Pandit)ના હિજરત અને પુનઃસ્થાપનનો મુદ્દો ઉઠાવ્યો હતો, વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મે સમગ્ર દેશમાં હલચલ મચાવી હતી. દરમિયાન, સામાજીક કાર્યકર્તા પ્રફુલ્લ શારદાએ એક RTI દાખલ કરી હતી, જેમાં સ્થળાંતરિત કાશ્મીરી પંડિતોની સંખ્યા અને સ્થિતિ વિશે કેટલીક માહિતી આપવામાં આવી હતી. આરટીઆઈમાં મળેલા જવાબ મુજબ સ્થળાંતર દરમિયાન 60 હજારથી વધુ લોકોએ કાશ્મીર છોડી દીધું હતું. આમાંના મોટાભાગના લોકો જમ્મુમાં સ્થાયી થયા હતા, જ્યારે કેટલાક લોકો દિલ્હીના નેશનલ કેપિટલ રિજન એટલે કે NCRમાં હિજરત થયા હતા. તે જ સમયે, બાકીના લોકો આજીવિકા અને રહેવાની જગ્યાની શોધમાં જુદા જુદા રાજ્યોમાં ગયા.

RTI દ્વારા મળી માહિતી

આરટીઆઈ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર કુલ 44,837 નોંધાયેલા લોકો સ્થળાંતરીત થઈને જમ્મુમાં સ્થાયી થયા છે, જ્યારે 19,338 સ્થળાંતર કરનારા હવે દિલ્હી-એનસીઆરમાં રહે છે. બાકીના 1,995 સ્થળાંતર કરનારા દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થાયી થયા છે. આરટીઆઈ ડેટા દર્શાવે છે કે દેશના વિવિધ ભાગોમાં કુલ 66,170 નોંધાયેલા હિજરતોનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે 2020 દરમિયાન લોકસભામાં જણાવ્યું હતું કે 1990ના દાયકામાં કુલ 64,951 કાશ્મીરી પંડિતોએ કાશ્મીર ખીણ પ્રદેશમાંથી હિજરત થયા હતા. તેમાંથી 43,618 લોકો જમ્મુમાં, 19,338 લોકો દિલ્હીમાં અને 1995 લોકો અલગ-અલગ રાજ્યોમાં રહે છે.

હિજરત થયેલા લોકો સાથે તેમના જ દેશમાં શરણાર્થીઓ જેવો વ્યવહાર કરવામાં આવ્યો. શારદા કહે છે, ‘તે ખૂબ જ દુઃખદ છે કે કાશ્મીરી પંડિતો સાથે તેમની જ માતૃભૂમિમાં શરણાર્થીઓ જેવો વ્યવહાર કરવામાં આવે છે. માત્ર કાશ્મીરી પંડિત હોવાને કારણે તેઓ ખૂબ જ આટલી મોટી કિંમત ચૂકવવી પડી. હિજરતના સમયગાળા દરમિયાન રાજ્ય કે કેન્દ્ર સરકારે સ્થળાંતર કરનારાઓને મદદ ન કરી. છેલ્લા 23 વર્ષોમાં દેશના કોઈપણ રાજકીય પક્ષે આપણા પોતાના કાશ્મીરી પંડિતોને કાશ્મીર ઘાટીમાં પુનઃસ્થાપિત કરવામાં મદદ કરી નથી. તેઓને શરણાર્થી શિબિરોમાં રહેવા અથવા ફટકતી જીંદગી જીવવા ફરજ પાડવામાં આવી હતી. આ દરમિયાન તેમને સરકારી અધિકારીઓ તરફથી પણ કોઈ મદદ મળી ન હતી.

શારદાએ જણાવ્યુ કે સરકાર પાસે કાશ્મીરી પંડિતોની ચોક્કસ સંખ્યા અને તેમની વર્તમાન પરિસ્થિતિ વિશે કોઈ સ્પષ્ટ માહિતી નથી. હકીકતમાં આરટીઆઈના જવાબમાં સરકારી દસ્તાવેજો અલગ-અલગ તથ્યો અને આંકડાઓ રજુ કર્યા છે. કેન્દ્રનો દાવો છે કે કાશ્મીરી પંડિતોની મદદ માટે તેમણે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી હતી. 2020 દરમિયાન કેન્દ્ર સરકારના જવાબ અને લોકસભામાં આરટીઆઈ અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા કાશ્મીરી સ્થળાંતર કરનારાઓના પુનર્વસન અને સહાય માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ તમામ યોજનાઓ માટે વડાપ્રધાન વિકાસ પેકેજ 2015 હેઠળ બજેટમાં બહાર પાડવામાં આવી હતી.

કાશ્મીરી પંડિતોને હજુ પણ સરકાર પાસેથી અપેક્ષા

કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા કુલ 6000 નોકરીઓને મંજૂરી આપવામાં આવી છે. 2008 દરમિયાન પ્રથમ તબક્કામાં 3000 નોકરીઓ મંજૂર કરવામાં આવી હતી, જેમાં 2019 સુધી 2905 જગ્યાઓ ભરવામાં આવી છે. દરમિયાન, આવી 3000 વધારાની નોકરીઓ માટે રૂ. 1080 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં સરકારે દાવો કર્યો હતો કે 1,781 પદો માટેની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે 604 ઉમેદવારો નોકરીમાં છે. સરકારના જવાબ મુજબ આ ડેટા ફેબ્રુઆરી 2020નો છે.

આ સિવાય સત્તાવાર ડેટા દર્શાવે છે કે સરકારે આ સ્થળાંતર કરનારાઓના પરિવહન આવાસ માટે રૂ. 920 કરોડનું બજેટ પસાર કર્યું છે. જેમાંથી ફેબ્રુઆરી 2020ના અંત સુધીમાં 849 ફ્લેટ તૈયાર થઈ ગયા હતા. આ પ્રયાસો ઉપરાંત, કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું કે તે આ નોંધાયેલા દરેક પરિવારોને દર મહિને રોકડ અને રાશન (અનાજ) પણ આપી રહી છે. 3250 રૂપિયા પ્રતિ વ્યક્તિના હિસાબે સરકાર દ્વારા દરેક પરિવારને મહત્તમ 13 હજાર રૂપિયાની રોકડ સહાય આપવામાં આવી રહી છે.

રાશનમાં દર મહિને ચોખા (વ્યક્તિ દીઠ 9 કિલો), લોટ (વ્યક્તિ દીઠ 2 કિલો) અને ખાંડ (1 કિલો પ્રતિ વ્યક્તિ) આપવામાં આવે છે. તેમણે કહ્યું કે, ‘હું આશા રાખું છું કે ભારત સરકાર કાશ્મીર ઘાટીમાં કાશ્મીરી પંડિતોને કોઈ પણ વિલંબ અને ખોટા વચનો વિના પુનઃસ્થાપિત કરવા માટે નક્કર અને અસરકારક પગલાં લેશે, માત્ર કાગળમાં જ નહીં પરંતુ વાસ્તવિકતામાં પણ હશે.’

આ પણ વાંચો :Career in Aviation: એવિએશન ઈન્ડસ્ટ્રીમાં કારકિર્દી કેવી રીતે બનાવવી? જાણો અભ્યાસક્રમ અને ટોચના કારકિર્દી વિકલ્પો

આ પણ વાંચો :Gold ETF તરફ રોકાણકારોના આકર્ષણમાં થઇ રહ્યો છે ઘટાડો, સતત બીજા મહિને 248 કરોડનો ઉપાડ થયો, જાણો આજનો સોનાનો ભાવ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">