AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharastra : સંજય રાઉતે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ મુદ્દે કેન્દ્ર પર સાધ્યું નિશાન, પૂછ્યું- પાક અધિકૃત કાશ્મીર ભારતમાં ક્યારે આવશે ?

સંજય રાઉતે કહ્યું, 'હવે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે કાશ્મીરી પંડિતો ક્યારે ઘરે પરત ફરશે ? કાશ્મીરના યુવાનોની બેરોજગારી ક્યારે દૂર થશે ? કાશ્મીરમાં સૌથી મોટું રોકાણ ક્યારે થશે ? અને સૌથી મહત્ત્વની વાત એ છે કે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર ભારતમાં ક્યારે પાછું આવશે ?'

Maharastra : સંજય રાઉતે 'ધ કાશ્મીર ફાઇલ્સ' મુદ્દે કેન્દ્ર પર સાધ્યું નિશાન, પૂછ્યું- પાક અધિકૃત કાશ્મીર ભારતમાં ક્યારે આવશે ?
Sanjay Raut (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2022 | 2:12 PM
Share

શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) કેન્દ્ર સરકાર ઉપર વાકપ્રહાર કરતા કહ્યુ છે કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતની સાથે ક્યારે જોડવામાં આવશે ? સંજય રાઉતે આજે (20 માર્ચ, રવિવાર) મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતા, કહ્યુ કે, પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ને પરત લાવવાનું વચન આપ્યું હતું. તેઓ આ કામ ક્યારે કરવા જઈ રહ્યા છે તે જણાવો. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) ફિલ્મ બની. તમે પોતે તેના ઉપદેશક બન્યા. નિર્માતાને હવે પદ્મ એવોર્ડ આપવામાં આવશે. કાશ્મીરમાંથી કલમ 370 પણ હટાવી દેવામાં આવી છે. રામ મંદિર પણ બની ગયું છે. કાશ્મીરી પંડિતો ક્યારે ઘરે પરત ફરશે ? તમને વડાપ્રધાન યાદ છે કે તમે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને પરત લાવવાનું વચન પણ આપ્યું હતું. હવે આ વચન ક્યારે પૂરું કરાશે ?

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર બોલતા સંજય રાઉતે કહ્યું, ‘કાશ્મીર આપણા દેશ અને દેશના લોકો માટે ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે. ઘણા વર્ષોથી આ મુદ્દે રાજકારણ ચાલતું હતું. અમને લાગતું હતું કે નરેન્દ્ર મોદી સત્તામાં આવશે ત્યારે આ રાજકારણનો અંત આવશે. પરંતુ તેમાં વધારો થઈ રહ્યો છે. કાશ્મીર ફાઈલ્સમાં એવી ઘણી બાબતો છે, જે ખોટી છે અને જે થઈ નથી. પરંતુ તે એક ફિલ્મ છે. જેણે જોવું છે, તેઓ જોશે. જેને દુઃખ થશે, તે બોલશે. આપણા દેશમાં ઘણી સ્વતંત્રતા છે.

શું વીર સાવરકરનું સ્વપ્ન પૂરું થશે ? શું પીઓકે ભારતમાં જોડાશે ?’

સંજય રાઉતે કહ્યું, ‘એમાં કોઈ શંકા નથી કે કાશ્મીરી પંડિતો પર અત્યાચાર થયા છે. શીખોએ પણ બલિદાન આપ્યા છે. સુરક્ષા દળના મુસ્લિમ સૈનિકો પણ આતંકવાદીઓના હાથે માર્યા ગયા છે. કાશ્મીરી પંડિતોનું કહેવું છે કે ઘણી વખત મુસ્લિમ અધિકારીઓ પણ તેમને બચાવવા આગળ આવ્યા હતા. પરંતુ હવે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે કાશ્મીરી પંડિતો ક્યારે ઘરે પરત ફરશે? કાશ્મીરના યુવાનોની બેરોજગારી ક્યારે દૂર થશે? કાશ્મીરમાં સૌથી મોટું રોકાણ ક્યારે થશે? અને સૌથી મહત્વની વાત એ છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ક્યારે ભારતમાં પાછું આવશે? શું આપણે આ જન્મમાં વીર સાવરકરનું એ સ્વપ્ન સાકાર થતું જોઈ શકીશું? ,

‘જરૂર પડે તો શિવસેના હાથમાં તલવાર લઈને હિન્દુત્વ માટે તૈયાર છે’

શિવસેનાના સાંસદે કહ્યું કે, ‘શિવસેના ક્યારેય હિન્દુત્વ છોડી શકે નહીં અને અમે ક્યારેય હિન્દુત્વ છોડ્યું નથી. હિન્દુત્વ કોણ ભૂલી ગયું, આ ભાજપ પાસેથી પૂછવું જોઈએ. હિંદુત્વવાદી પાર્ટી શિવસેના સાથે કોણે દગો કર્યો તેના પર તેમણે વિચાર કરવો જોઈએ. કાશ્મીરમાં સરકાર બનાવનાર અલગતાવાદી અને અફઝલ ગુરુની સહાનુભૂતિ ધરાવતી મહેબૂબા મુફ્તીએ અમને હિન્દુત્વ ન શીખવવું જોઈએ. જ્યારે જરૂર પડશે ત્યારે હિન્દુત્વ માટે તલવાર લઈને તૈયાર થઈશું.

આ પણ વાંચોઃ

મુંબઈ મેગા બ્લોકઃ મુંબઈ લોકલ દ્વારા મુસાફરી કરનારાઓ માટે મહત્વના સમાચાર, આજે હાર્બર લાઇન પર મેગા બ્લોક રહેશે, સેન્ટ્રલ-વેસ્ટર્ન લાઇનને અસર નહીં થાય

આ પણ વાંચોઃ

મહારાષ્ટ્રને મોટી ગીફટ, નિતીન ગડકરીએ 2100 કરોડના રોડ પ્રોજેક્ટને આપી મંજુરી

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">