AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharastra : સંજય રાઉતે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ મુદ્દે કેન્દ્ર પર સાધ્યું નિશાન, પૂછ્યું- પાક અધિકૃત કાશ્મીર ભારતમાં ક્યારે આવશે ?

સંજય રાઉતે કહ્યું, 'હવે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે કાશ્મીરી પંડિતો ક્યારે ઘરે પરત ફરશે ? કાશ્મીરના યુવાનોની બેરોજગારી ક્યારે દૂર થશે ? કાશ્મીરમાં સૌથી મોટું રોકાણ ક્યારે થશે ? અને સૌથી મહત્ત્વની વાત એ છે કે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર ભારતમાં ક્યારે પાછું આવશે ?'

Maharastra : સંજય રાઉતે 'ધ કાશ્મીર ફાઇલ્સ' મુદ્દે કેન્દ્ર પર સાધ્યું નિશાન, પૂછ્યું- પાક અધિકૃત કાશ્મીર ભારતમાં ક્યારે આવશે ?
Sanjay Raut (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2022 | 2:12 PM
Share

શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) કેન્દ્ર સરકાર ઉપર વાકપ્રહાર કરતા કહ્યુ છે કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતની સાથે ક્યારે જોડવામાં આવશે ? સંજય રાઉતે આજે (20 માર્ચ, રવિવાર) મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતા, કહ્યુ કે, પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ને પરત લાવવાનું વચન આપ્યું હતું. તેઓ આ કામ ક્યારે કરવા જઈ રહ્યા છે તે જણાવો. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) ફિલ્મ બની. તમે પોતે તેના ઉપદેશક બન્યા. નિર્માતાને હવે પદ્મ એવોર્ડ આપવામાં આવશે. કાશ્મીરમાંથી કલમ 370 પણ હટાવી દેવામાં આવી છે. રામ મંદિર પણ બની ગયું છે. કાશ્મીરી પંડિતો ક્યારે ઘરે પરત ફરશે ? તમને વડાપ્રધાન યાદ છે કે તમે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને પરત લાવવાનું વચન પણ આપ્યું હતું. હવે આ વચન ક્યારે પૂરું કરાશે ?

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર બોલતા સંજય રાઉતે કહ્યું, ‘કાશ્મીર આપણા દેશ અને દેશના લોકો માટે ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે. ઘણા વર્ષોથી આ મુદ્દે રાજકારણ ચાલતું હતું. અમને લાગતું હતું કે નરેન્દ્ર મોદી સત્તામાં આવશે ત્યારે આ રાજકારણનો અંત આવશે. પરંતુ તેમાં વધારો થઈ રહ્યો છે. કાશ્મીર ફાઈલ્સમાં એવી ઘણી બાબતો છે, જે ખોટી છે અને જે થઈ નથી. પરંતુ તે એક ફિલ્મ છે. જેણે જોવું છે, તેઓ જોશે. જેને દુઃખ થશે, તે બોલશે. આપણા દેશમાં ઘણી સ્વતંત્રતા છે.

શું વીર સાવરકરનું સ્વપ્ન પૂરું થશે ? શું પીઓકે ભારતમાં જોડાશે ?’

સંજય રાઉતે કહ્યું, ‘એમાં કોઈ શંકા નથી કે કાશ્મીરી પંડિતો પર અત્યાચાર થયા છે. શીખોએ પણ બલિદાન આપ્યા છે. સુરક્ષા દળના મુસ્લિમ સૈનિકો પણ આતંકવાદીઓના હાથે માર્યા ગયા છે. કાશ્મીરી પંડિતોનું કહેવું છે કે ઘણી વખત મુસ્લિમ અધિકારીઓ પણ તેમને બચાવવા આગળ આવ્યા હતા. પરંતુ હવે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે કાશ્મીરી પંડિતો ક્યારે ઘરે પરત ફરશે? કાશ્મીરના યુવાનોની બેરોજગારી ક્યારે દૂર થશે? કાશ્મીરમાં સૌથી મોટું રોકાણ ક્યારે થશે? અને સૌથી મહત્વની વાત એ છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ક્યારે ભારતમાં પાછું આવશે? શું આપણે આ જન્મમાં વીર સાવરકરનું એ સ્વપ્ન સાકાર થતું જોઈ શકીશું? ,

‘જરૂર પડે તો શિવસેના હાથમાં તલવાર લઈને હિન્દુત્વ માટે તૈયાર છે’

શિવસેનાના સાંસદે કહ્યું કે, ‘શિવસેના ક્યારેય હિન્દુત્વ છોડી શકે નહીં અને અમે ક્યારેય હિન્દુત્વ છોડ્યું નથી. હિન્દુત્વ કોણ ભૂલી ગયું, આ ભાજપ પાસેથી પૂછવું જોઈએ. હિંદુત્વવાદી પાર્ટી શિવસેના સાથે કોણે દગો કર્યો તેના પર તેમણે વિચાર કરવો જોઈએ. કાશ્મીરમાં સરકાર બનાવનાર અલગતાવાદી અને અફઝલ ગુરુની સહાનુભૂતિ ધરાવતી મહેબૂબા મુફ્તીએ અમને હિન્દુત્વ ન શીખવવું જોઈએ. જ્યારે જરૂર પડશે ત્યારે હિન્દુત્વ માટે તલવાર લઈને તૈયાર થઈશું.

આ પણ વાંચોઃ

મુંબઈ મેગા બ્લોકઃ મુંબઈ લોકલ દ્વારા મુસાફરી કરનારાઓ માટે મહત્વના સમાચાર, આજે હાર્બર લાઇન પર મેગા બ્લોક રહેશે, સેન્ટ્રલ-વેસ્ટર્ન લાઇનને અસર નહીં થાય

આ પણ વાંચોઃ

મહારાષ્ટ્રને મોટી ગીફટ, નિતીન ગડકરીએ 2100 કરોડના રોડ પ્રોજેક્ટને આપી મંજુરી

કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
g clip-path="url(#clip0_868_265)">