Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IC 814 Hijack : એ 50 મિનિટ ખૂબ જ મહત્વની હતી, RAWના પૂર્વ ચીફે જણાવ્યું – એ સમયે ક્યા થઈ હતી ગંભીર ભૂલ

IC 814 Kandhar Hijack : 1999માં ભારતીય એરલાઇન્સની ફ્લાઇટ IC 814ના હાઇજેક પર આધારિત નેટફ્લિક્સ સિરીઝે ફરી વિવાદ જગાવ્યો છે. તત્કાલીન RAW ચીફ એ એસ દુલતે કહ્યું હતું કે, અમૃતસરમાં નિર્ણય લેવામાં ખામી રહી હતી. પંજાબ પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ વિમાનને રોકવામાં નિષ્ફળ રહી હતી. પાકિસ્તાનની ISIની ભૂમિકા પણ શંકાસ્પદ છે.

IC 814 Hijack : એ 50 મિનિટ ખૂબ જ મહત્વની હતી, RAWના પૂર્વ ચીફે જણાવ્યું - એ સમયે ક્યા થઈ હતી ગંભીર ભૂલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2024 | 2:33 PM

નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ‘IC 814: The Kandahar Hijack’ વેબ સિરીઝે ફરી એકવાર દેશને એ દુખદ અને હૃદયદ્રાવક ઘટનાની કાળી યાદ અપાવી છે. જેને આજે દેશ ભૂલી ગયો હતો. હકીકતમાં, 1999 માં, ઈન્ડિયન એરલાઇન્સની ફ્લાઈટ IC 814 ને પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા હાઇજેક કરવામાં આવી હતી. કાઠમંડૂથી દિલ્હી આવી રહેલ આ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને હાઈજેકર્સ આતંકવાદીઓ દિલ્હીને બદલે, અમૃતસર, લાહોર અને દુબઈ થઈને અફઘાનિસ્તાનના કાબુલ લઈ ગયા હતા.

નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ‘IC 814: The Kandahar Hijack’ વેબ સિરીઝે આ ઘટનાને લઈને નવી ચર્ચા જગાવી છે. આ ચર્ચામાં સરકાર અને તે સમયે સંકળાયેલી અનેક કેન્દ્રીય અને સ્ટેટ એજન્સીઓ દ્વારા લેવામાં આવેલ નિર્ણયો, તેમના દ્વારા કરાયેલી કાર્યવાહી પર સવાલો ઉઠી રહ્યા છે. 1999માં રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના વડા રહી ચૂકેલા એ એસ દુલતે ઈન્ડિયા ટુડે ટીવી સાથેની વાતચીતમાં સ્વીકાર્યું કે, આ મામલે નિર્ણય લેવામાં મોટી ભૂલ થઈ હતી.

દુલતે વધુમાં કહ્યું, “એકવાર અપહૃત વિમાન અમૃતસરમાં લેન્ડ થયું, અમારી પાસે એ સુનિશ્ચિત કરવાનો સમય હતો કે અપહૃત વિમાન ભારતીય ક્ષેત્ર છોડીને અન્ય ક્ષેત્રમાં ના જાય.” પરંતુ જ્યારે અપહૃત વિમાન અમૃતસરથી નીકળી ગયું ત્યારે આપણી પાસે અપહરણકારો સાથે સોદો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ બચ્યો ન હતો. તેમણે વધુમાં કહ્યું કે, ‘કોઈ નિર્ણય લેવાયો નહોતો. આ ઘટના બની ત્યારે પણ મેં આ જ કહ્યું હતું અને ઘણી વખત કહ્યું છે કે, અમૃતસરમાં આપણી મોટી ભૂલ થઈ હતી.

Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો

એ 50 મિનિટ, આખો ગેમ પ્લાન ચેન્જ કરી શકત

હકીકતમાં, 24 ડિસેમ્બર, 1999ના રોજ, કાઠમંડુથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ IC 814 ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતાની સાથે જ પાંચ આતંકવાદીઓએ હાઈજેક કરી લીધી હતી. એરક્રાફ્ટ ઇંધણ ભરવા માટે અમૃતસર ઉતર્યું અને 50 મિનિટ સુધી અમૃતસર એરપોર્ટ પર રહ્યું. આમ છતાં પંજાબ પોલીસ અને કેન્દ્રીય ગુપ્તચર દળો સહિતના અધિકારીઓ આ તકનો લાભ ના ઉઠાવી શક્યા. દુલતે કહ્યું, ‘અમે બધા ત્યાં હતા અને અમારે નિર્ણય લેવો જોઈતો હતો. હું કોઈને દોષ આપવા માંગતો નથી, આટલા વર્ષો કોઈને દોષ આપવો એ વાજબી નથી. હું પણ બીજાની જેમ એટલો જ દોષિત છું.

દુલતે ચોંકાવનારો ખુલાસો કર્યો

ભૂતપૂર્વ RAW ચીફ એ એસ દુલતે અપહરણની પરિસ્થિતિ પર પંજાબના તત્કાલીન પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) સરબજીત સિંહ સાથેની તેમની લાંબી વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, ‘મારી પંજાબના ડીજીપી સાથે લાંબી વાતચીત થઈ હતી. જેમણે મને કહ્યું કે તેઓ કેપીએસ ગિલ નથી, અને તે પોતાની નોકરી દાવ પર લગાવવાના નથી. તેમણે કહ્યું કે મુખ્ય પ્રધાન (તે સમયે પ્રકાશ સિંહ બાદલ પંજાબના મુખ્યપ્રધાન હતા ) એ તેમને કહ્યું કે, તેઓ અમૃતસરમાં કોઈ રક્તપાત ઇચ્છતા નથી. દિલ્હીએ પણ તે દિવસે આવો જ સંકેત આપ્યો હતો.

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">