IC 814 Hijack : એ 50 મિનિટ ખૂબ જ મહત્વની હતી, RAWના પૂર્વ ચીફે જણાવ્યું – એ સમયે ક્યા થઈ હતી ગંભીર ભૂલ

IC 814 Kandhar Hijack : 1999માં ભારતીય એરલાઇન્સની ફ્લાઇટ IC 814ના હાઇજેક પર આધારિત નેટફ્લિક્સ સિરીઝે ફરી વિવાદ જગાવ્યો છે. તત્કાલીન RAW ચીફ એ એસ દુલતે કહ્યું હતું કે, અમૃતસરમાં નિર્ણય લેવામાં ખામી રહી હતી. પંજાબ પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ વિમાનને રોકવામાં નિષ્ફળ રહી હતી. પાકિસ્તાનની ISIની ભૂમિકા પણ શંકાસ્પદ છે.

IC 814 Hijack : એ 50 મિનિટ ખૂબ જ મહત્વની હતી, RAWના પૂર્વ ચીફે જણાવ્યું - એ સમયે ક્યા થઈ હતી ગંભીર ભૂલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2024 | 2:33 PM

નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ‘IC 814: The Kandahar Hijack’ વેબ સિરીઝે ફરી એકવાર દેશને એ દુખદ અને હૃદયદ્રાવક ઘટનાની કાળી યાદ અપાવી છે. જેને આજે દેશ ભૂલી ગયો હતો. હકીકતમાં, 1999 માં, ઈન્ડિયન એરલાઇન્સની ફ્લાઈટ IC 814 ને પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા હાઇજેક કરવામાં આવી હતી. કાઠમંડૂથી દિલ્હી આવી રહેલ આ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને હાઈજેકર્સ આતંકવાદીઓ દિલ્હીને બદલે, અમૃતસર, લાહોર અને દુબઈ થઈને અફઘાનિસ્તાનના કાબુલ લઈ ગયા હતા.

નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ‘IC 814: The Kandahar Hijack’ વેબ સિરીઝે આ ઘટનાને લઈને નવી ચર્ચા જગાવી છે. આ ચર્ચામાં સરકાર અને તે સમયે સંકળાયેલી અનેક કેન્દ્રીય અને સ્ટેટ એજન્સીઓ દ્વારા લેવામાં આવેલ નિર્ણયો, તેમના દ્વારા કરાયેલી કાર્યવાહી પર સવાલો ઉઠી રહ્યા છે. 1999માં રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના વડા રહી ચૂકેલા એ એસ દુલતે ઈન્ડિયા ટુડે ટીવી સાથેની વાતચીતમાં સ્વીકાર્યું કે, આ મામલે નિર્ણય લેવામાં મોટી ભૂલ થઈ હતી.

દુલતે વધુમાં કહ્યું, “એકવાર અપહૃત વિમાન અમૃતસરમાં લેન્ડ થયું, અમારી પાસે એ સુનિશ્ચિત કરવાનો સમય હતો કે અપહૃત વિમાન ભારતીય ક્ષેત્ર છોડીને અન્ય ક્ષેત્રમાં ના જાય.” પરંતુ જ્યારે અપહૃત વિમાન અમૃતસરથી નીકળી ગયું ત્યારે આપણી પાસે અપહરણકારો સાથે સોદો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ બચ્યો ન હતો. તેમણે વધુમાં કહ્યું કે, ‘કોઈ નિર્ણય લેવાયો નહોતો. આ ઘટના બની ત્યારે પણ મેં આ જ કહ્યું હતું અને ઘણી વખત કહ્યું છે કે, અમૃતસરમાં આપણી મોટી ભૂલ થઈ હતી.

રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા
આજનું રાશિફળ તારીખ : 22-10-2024

એ 50 મિનિટ, આખો ગેમ પ્લાન ચેન્જ કરી શકત

હકીકતમાં, 24 ડિસેમ્બર, 1999ના રોજ, કાઠમંડુથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ IC 814 ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતાની સાથે જ પાંચ આતંકવાદીઓએ હાઈજેક કરી લીધી હતી. એરક્રાફ્ટ ઇંધણ ભરવા માટે અમૃતસર ઉતર્યું અને 50 મિનિટ સુધી અમૃતસર એરપોર્ટ પર રહ્યું. આમ છતાં પંજાબ પોલીસ અને કેન્દ્રીય ગુપ્તચર દળો સહિતના અધિકારીઓ આ તકનો લાભ ના ઉઠાવી શક્યા. દુલતે કહ્યું, ‘અમે બધા ત્યાં હતા અને અમારે નિર્ણય લેવો જોઈતો હતો. હું કોઈને દોષ આપવા માંગતો નથી, આટલા વર્ષો કોઈને દોષ આપવો એ વાજબી નથી. હું પણ બીજાની જેમ એટલો જ દોષિત છું.

દુલતે ચોંકાવનારો ખુલાસો કર્યો

ભૂતપૂર્વ RAW ચીફ એ એસ દુલતે અપહરણની પરિસ્થિતિ પર પંજાબના તત્કાલીન પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) સરબજીત સિંહ સાથેની તેમની લાંબી વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, ‘મારી પંજાબના ડીજીપી સાથે લાંબી વાતચીત થઈ હતી. જેમણે મને કહ્યું કે તેઓ કેપીએસ ગિલ નથી, અને તે પોતાની નોકરી દાવ પર લગાવવાના નથી. તેમણે કહ્યું કે મુખ્ય પ્રધાન (તે સમયે પ્રકાશ સિંહ બાદલ પંજાબના મુખ્યપ્રધાન હતા ) એ તેમને કહ્યું કે, તેઓ અમૃતસરમાં કોઈ રક્તપાત ઇચ્છતા નથી. દિલ્હીએ પણ તે દિવસે આવો જ સંકેત આપ્યો હતો.

અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મગફળી- સોયાબિનનો તૈયાર પાક પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મગફળી- સોયાબિનનો તૈયાર પાક પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
g clip-path="url(#clip0_868_265)">