Hindi Diwas 2021: ગૃહપ્રધાન અમિત શાહે હિન્દી દિવસની પાઠવી શુભેચ્છા, કહ્યુ ” હિન્દી ભાષા આધુનિક વિકાસ વચ્ચેનો સેતુ છે “

ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950 ના રોજ લાગુ કરવામાં આવ્યુ હતુ, જેમાં દેવનાગરી લિપિમાં લખાયેલી હિન્દીને ભારતીય બંધારણની (Indian Constitution)કલમ 343 હેઠળ સત્તાવાર ભાષા તરીકે અપનાવવામાં આવી છે.

Hindi Diwas 2021: ગૃહપ્રધાન અમિત શાહે હિન્દી દિવસની પાઠવી શુભેચ્છા, કહ્યુ  હિન્દી ભાષા આધુનિક વિકાસ વચ્ચેનો સેતુ છે
Amit Shah (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 9:30 AM

Hindi Diwas 2021 : દેશભરમાં14 સપ્ટેમ્બરને હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વભરના હિન્દી ભાષી લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આ દિવસે દેવનાગરી લિપિમાં હિન્દીને(Hindi Language) ભારતની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે.

ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah) ટ્વિટ કરીને લખ્યુ કે, ‘લાગણી વ્યક્ત કરવા માટે ભાષા સૌથી શક્તિશાળી માધ્યમ છે. હિન્દી આપણી સાંસ્કૃતિક ચેતના અને રાષ્ટ્રીય એકતાનો પાયાનો આધાર છે તેમજ પ્રાચીન સભ્યતા અને આધુનિક પ્રગતિ વચ્ચેનો સેતુ છે. મોદીજીના નેતૃત્વમાં, અમે હિન્દી અને તમામ ભારતીય ભાષાઓના સમાંતર વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છીએ. ”

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

14 સપ્ટેમ્બરને હિન્દી દિવસ તરીકે કેમ ઉજવવામાં આવે છે ?

14 સપ્ટેમ્બરે હિન્દીને ભારતની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારવામાં આવી હતી. બિયોહર રાજેન્દ્ર સિંહના 50 મા જન્મદિવસે 14 સપ્ટેમ્બર 1949 ના રોજ હિન્દીને સત્તાવાર ભાષા તરીકે અપનાવવામાં આવી હતી અને તે બાદ આ ભાષાને પ્રોત્સાહન આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યુ હતુ. દેવનાગરી લિપિમાં લખાયેલી હિન્દીને ભારતીય બંધારણની (Indian constitution) કલમ 343 હેઠળ સત્તાવાર ભાષા તરીકે અપનાવવામાં આવી હતી.

બિયોહર રાજેન્દ્ર સિંહ

બિયોહર રાજેન્દ્ર સિંહ હિન્દી સાહિત્યકાર (Hindi poet) હતા જેમણે હિન્દીને સત્તાવાર ભાષા બનાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો હતો. આપને જણાવી દઈએ કે હિન્દીને સત્તાવાર ભાષા તરીકે માન્યતા અપાવવા માટે ઘણા હિન્દી સાહિત્યકારોએ દક્ષિણ ભારતની ઘણી યાત્રાઓ કરી હતી. યાત્રા કરીને તેઓ લોકોને હિન્દી વિશે માહિતગાર કરતા હતા.રાજેન્દ્ર સિંહની (Rajendra Singh) સાથે કાકા કાલેલકર, મૈથિલીશરણ ગુપ્તા, હજારીપ્રસાદ દ્વિવેદી, મહાદેવી વર્મા, શેઠ ગોવિંદદાસે પણ હિન્દીને સત્તાવાર ભાષા બનાવવા માટે પ્રયત્નો કર્યા હતા.

આ પણ વાંચો: Hindi Diwas 2021 : ‘હિન્દી દિવસ’ ‘વિશ્વ હિન્દી દિવસ’ થી કેવી રીતે અલગ છે? અગર નથી જાણતા તો વાંચો આ વિગત

આ પણ વાંચો: Maharashtra : સાકીનાકા રેપ કેસ બાદ ઉદ્ધવ ઠાકરે સરકાર એક્શનમાં, મહિલાઓની સલામતીને લઈને અધિકારીઓને આપ્યા નિર્દેશ

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">