AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં હિંદુઓનો ટાર્ગેટ કિલિંગનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, કડક પગલાં લેવાની વિનંતી કરવામાં આવી

એડવોકેટ વિનીત જિંદાલે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) અરજી કરી છે અને આ મામલાની નોંધ લેવાની માગ કરી છે. તેમણે સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે હિન્દુઓની ટાર્ગેટ કિલિંગને લઈને દાખલ કરવામાં આવેલી અરજીને જાહેર હિતની અરજી તરીકે ગણવામાં આવે.

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં હિંદુઓનો ટાર્ગેટ કિલિંગનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, કડક પગલાં લેવાની વિનંતી કરવામાં આવી
Supreme Court
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2022 | 12:52 PM
Share

જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) આતંકવાદીઓ દ્વારા હિન્દુઓની સતત હત્યાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પહોંચ્યો છે. હિંદુઓની ટાર્ગેટ કિલિંગ પર સુપ્રીમ કોર્ટ પાસે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. એડવોકેટ વિનીત જિંદાલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને આ મામલાની નોંધ લેવાની માગ કરી છે. તેમણે સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે હિન્દુઓની ટાર્ગેટ કિલિંગને લઈને દાખલ કરવામાં આવેલી અરજીને જાહેર હિતની અરજી તરીકે ગણવામાં આવે.

જિંદાલે ભારતના મુખ્ય ન્યાયાધીશ CJI NV રમનાને પત્ર લખીને કાર્યવાહીની માગ કરી છે. સુપ્રીમ કોર્ટને લખેલા પત્રમાં કાશ્મીરમાં હિંદુ અલ્પસંખ્યકોને તાત્કાલિક સુરક્ષા આપવા અંગે નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી છે. જિંદાલે કોર્ટ પાસે આતંકવાદીઓ દ્વારા હિંદુઓની દિન-પ્રતિદિન હત્યાની તપાસ નેશનલ સિક્યુરિટી એજન્સી પાસે કરાવવાની પણ માગ કરી છે. આ સિવાય પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પીડિત પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે.

મે મહિનામાં જ 7 હત્યાઓ થઈ હતી

જિંદાલે પોતાના પત્રમાં કહ્યું કે મે મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં 7 હિન્દુઓની હત્યા કરવામાં આવી છે. આ મહિનાના છેલ્લા દિવસે એટલે કે 31મી મેના રોજ આતંકવાદીઓએ કુલગામમાં એક હિન્દુ શાળાના શિક્ષકની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. તેણે કહ્યું, મે મહિનામાં સ્કૂલ ટીચરની પહેલા ત્રણ કાશ્મીરી નાગરિકો અને ત્રણ પોલીસ કર્મચારીઓની હત્યા કરવામાં આવી હતી. કાશ્મીરમાં થઈ રહેલી ટાર્ગેટ કિલિંગ 1989-90ની ઘટનાઓની યાદ અપાવે છે.

હિન્દુ શિક્ષક રજની બાલાની હત્યા

ઉલ્લેખનીય છે કે, મંગળવારે કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ એક હિન્દુ શિક્ષકની ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું કે કુલગામના ગોપાલપુરા વિસ્તારમાં 36 વર્ષીય રજની બાલા પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જે બાદ તે ઘાયલ થઈ હતી. ઘટના બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. સાંબા જિલ્લાની રહેવાસી રજની બાલા ગોપાલપુરાની એક સરકારી શાળામાં શિક્ષિકા હતી. મે મહિનામાં બિન-મુસ્લિમ સરકારી કર્મચારીની આ બીજી હત્યા છે અને આ મહિનામાં કાશ્મીરમાં લક્ષ્યાંકિત હત્યાની સાતમી ઘટના છે.

જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં મંગળવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. તેમની પાસેથી 2 AK 47 રાઈફલ સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ ત્રાલના રહેવાસી શાહિદ રાથેર અને શોપિયાંના રહેવાસી ઉમર યુસુફ તરીકે થઈ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ મામલાની માહિતી આપી છે.

Follow Us
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
g clip-path="url(#clip0_868_265)">