AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Alert: સમગ્ર દેશમાં આ વખતે પડશે વધારે ગરમી, ‘લૂ’ અંગે પણ એલર્ટ જાહેર, જાણો જુદા-જુદા રાજ્યોની સ્થિતિ

આજે સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ-અલગ ભાગોમાં હીટ વેવની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે, જ્યારે પશ્ચિમ રાજસ્થાન અને આંતરિક ઓડિશામાં 16 અને 17 માર્ચે હીટ વેવની સ્થિતિ અપેક્ષિત છે.

Weather Alert: સમગ્ર દેશમાં આ વખતે પડશે વધારે ગરમી, 'લૂ' અંગે પણ એલર્ટ જાહેર, જાણો જુદા-જુદા રાજ્યોની સ્થિતિ
Heat Wave - Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 6:47 PM
Share

દેશના અનેક રાજ્યોમાં  વધવા લાગીઉનાળાની ગરમી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આજે દેશના મોટાભાગના ભાગોમાં ગરમી (Heat) તેની ટોચ બતાવશે. દિવસના તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. દેશના ઉત્તર-પશ્ચિમ ભાગોના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં 3-5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. IMD અનુસાર, આગામી 3 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના હવામાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. જ્યારે પૂર્વ ભારતમાં આગામી ચારથી પાંચ દિવસ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. IMD અનુસાર, સમગ્ર દેશમાં 2 થી 3 દિવસ સુધી હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. જો કે, આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન, ગુજરાત, કોંકણગોવા, તેલંગાણા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, કેરળ અને તમિલનાડુમાં તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયું છે. આગામી 24 કલાક દરમિયાન પણ ગુજરાત અને મહારાષ્ટ્રના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે.

બીજી તરફ, આજે સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ-અલગ ભાગોમાં હીટ વેવની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે, જ્યારે પશ્ચિમ રાજસ્થાન અને આંતરિક ઓડિશામાં 16 અને 17 માર્ચે હીટ વેવની સ્થિતિ અપેક્ષિત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના પાલઘર, થાણે, મુંબઈ, રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લામાં 16 માર્ચ સુધી હીટ વેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

મધ્ય ભારતમાં ગરમી વધશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં આગામી બે દિવસ તાપમાનમાં વધારો ચાલુ રહેશે. પૂર્વ ભારતમાં આગામી ત્રણથી ચાર દિવસ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, પશ્ચિમ રાજસ્થાન, કોંકણ, કોસ્ટલ કર્ણાટક, કેરળ, અરુણાચલ પ્રદેશ, આસામ-મેઘાલય અને નાગાલેન્ડ મણિપુર-મિઝોરમ-ત્રિપુરામાં તાપમાન સામાન્યથી ઉપર રહેશે. રાજધાની દિલ્હીમાં હવામાન સાફ રહેશે, પરંતુ તાપમાનમાં વધારો ચાલુ રહેશે.

ઉત્તર પ્રદેશમાં હવામાન શુષ્ક રહેશે

ઉત્તર પ્રદેશમાં હવામાન હજુ પણ શુષ્ક છે. રાજ્યમાં ગરમીનો પારો વધવાથી અને આકરા તડકાના કારણે ગરમી પણ વધવા લાગી છે. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર, આ સપ્તાહ સુધીમાં ગરમી વધુ વધશે. તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસથી વધુનો વધારો નોંધવામાં આવશે. આગામી દસ દિવસ સુધી હવામાન સ્વચ્છ રહેવાની સંભાવના છે.

આ પણ વાંચો : ABG શિપયાર્ડ કૌભાંડમાં ICICI બેંકના 7089 કરોડ રૂપિયા ડૂબી ગયા, સરકારે સંસદમાં આપી સંપૂર્ણ માહિતી

આ પણ વાંચો : ચીનમાં ફેલાતા કોરોનાથી અશોક ગેહલોત ચિંતિત, કહ્યું- કેન્દ્ર સરકાર બેદરકાર ન રહે અને નવા પ્રતિબંધો પર વિચાર કરે

Follow Us
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
g clip-path="url(#clip0_868_265)">