AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ABG શિપયાર્ડ કૌભાંડમાં ICICI બેંકના 7089 કરોડ રૂપિયા ડૂબી ગયા, સરકારે સંસદમાં આપી સંપૂર્ણ માહિતી

બજેટ સત્ર દરમિયાન પાંચ લોકસભા સાંસદોએ આ કૌભાંડ અંગે માહિતી માંગી હતી અને આ દિશામાં તપાસની પ્રગતિ શું છે તે પણ જાણવા માગતા હતા.

ABG શિપયાર્ડ કૌભાંડમાં ICICI બેંકના 7089 કરોડ રૂપિયા ડૂબી ગયા, સરકારે સંસદમાં આપી સંપૂર્ણ માહિતી
ABG Shipyard
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 6:10 PM
Share

તાજેતરમાં એબીજી શિપયાર્ડ (ABG Shipyard) કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું, જે દેશનું સૌથી મોટું બેંકિંગ કૌભાંડ હોવાનું કહેવાય છે. જેને 23000 કરોડ રૂપિયાનું બેંકિંગ ફ્રોડ કહેવામાં આવી રહ્યું છે, જેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ કંપની વિરુદ્ધ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) માં કેસ નોંધવામાં આવ્યો છે અને તેણે પણ તપાસ તેજ કરી છે. સોમવારે સંસદમાં એબીજી શિપયાર્ડ ગોટાળા સાથે જોડાયેલો પ્રશ્ન પણ ઉઠ્યો હતો. બજેટ સત્ર દરમિયાન પાંચ લોકસભા સાંસદોએ આ કૌભાંડ અંગે માહિતી માંગી હતી અને આ દિશામાં તપાસની પ્રગતિ શું છે તે પણ જાણવા માગતા હતા.

સાંસદોએ નાણાં પ્રધાનને પૂછ્યું કે છેતરપિંડીની ફરિયાદો મળવા છતાં એફઆઈઆર નોંધવામાં વિલંબ કેમ થઈ રહ્યો છે. એવો સવાલ પણ ઉઠ્યો હતો કે ડૂબેલા નાણાની વસૂલાત માટે સરકાર શું પગલાં લઈ રહી છે. આ તમામ પ્રશ્નોના લેખિત જવાબ નાણામંત્રીએ સંસદમાં આપ્યા હતા.

લેખિત જવાબમાં જણાવાયું છે કે લોન મેસર્સ એબીજી શિપયાર્ડ લિમિટેડને ICICI બેંકના કન્સોર્ટિયમ દ્વારા આપવામાં આવી હતી. આ કન્સોર્ટિયમ ICICI બેંકની અધ્યક્ષતામાં શરૂ કરવામાં આવ્યું હતું અને ABG શિપયાર્ડને આ બેંક દ્વારા સૌથી વધુ રૂ. 7089 કરોડ આપવામાં આવ્યા હતા. બીજા નંબર પર IDBI બેંક છે જેણે 3639 કરોડ રૂપિયા આપ્યા છે. ત્રીજા સ્થાને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા આવે છે, જેણે ABG શિપયાર્ડને 2925 કરોડ રૂપિયા લોન તરીકે આપ્યા હતા.

બેંકોના કન્સોર્ટિયમે શું કર્યું?

તેના જવાબમાં, સરકારે જણાવ્યું હતું કે કન્સોર્ટિયમમાં રહેલી તમામ બેંકોએ 1.8.2013ના રોજ અને ત્યારબાદ એબીજી શિપયાર્ડના ખાતાને એનપીએ તરીકે જાહેર કર્યા હતા. ત્યારબાદ, 24 માર્ચ 2014ના રોજ સીડીઆર એમ્પાવર્ડ ગ્રુપે કોર્પોરેટ લોન રિસ્ટ્રક્ચરિંગ સિસ્ટમ હેઠળ લોન સુવિધાઓના પુનર્ગઠનની ભલામણ કરી.

આ બધા પછી, કન્સોર્ટિયમની બેંકોએ એક બેઠક બોલાવી અને એબીજી શિપયાર્ડનું ફોરેન્સિક ઓડિટ કરાવવાનું નક્કી કર્યું. ફોરેન્સિક ઓડિટનો રિપોર્ટ આવ્યા બાદ, 25.04.2019ના રોજ, લીડ બેંકે એબીજી શિપયાર્ડના ખાતામાં 14,349 કરોડ રૂપિયા છેતરપિંડી અને તેના પર મળેલા વ્યાજને જાહેર કર્યા.

આ બેંકને સૌથી વધુ નુકસાન થયું છે

આ કૌભાંડમાં સૌથી વધુ ICICI બેંકના 7089 કરોડ રૂપિયા અને IDBI બેંકના 3639 કરોડ રૂપિયા ડૂબી ગયા છે. આ પછી સ્ટેટ બેંક ઓફ 2925, બેંક ઓફ બરોડા 1614, PNB 1244, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ 714, એક્ઝિમ બેંક 1327, ઈન્ડિયન ઓવરસીઝ બેંક 1228, બેંક ઓફ ઈન્ડિયા 719, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ 743, કેનેરા બેંક 40, E-Syndicate બેંક 408 કરોડ, એસબીઆઈ સિંગાપોર 458, ઈ-દેના બેંક 406, ઈ-આંધ્ર બેંક 350, એસબીએમ બેંક 125.

એલઆઈસી 136 કરોડ, ડીસીબી બેંક 106 કરોડ, પીએનબી ઈન્ટરનેશનલ બેંક 97, ઈ-લક્ષ્મી વિલાસ બેંકના 61, ઈન્ડિયન બેંકના 60, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના 39, પંજાબ એન્ડ સિંધ બેંકના 37, યસ બેંકના 2, આઈએફસીઆઈ લિમિટેડના 260 અને ફોનિક્સ એઆરસી પ્રાઈવેટ લિમિટેડના 141 કરોડ રૂપિયા આ કૌભાંડમાં ડૂબી ગયા છે.

આ પણ વાંચો : ચીનમાં ફેલાતા કોરોનાથી અશોક ગેહલોત ચિંતિત, કહ્યું- કેન્દ્ર સરકાર બેદરકાર ન રહે અને નવા પ્રતિબંધો પર વિચાર કરે

આ પણ વાંચો : Punjab: સીએમના શપથ ગ્રહણ સમારોહમાં સામાન્ય જનતા પણ ભાગ લેશે, માને કહ્યું- સાથે મળીને ભગત સિંહના સપના સાકાર કરીશું

Follow Us
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">