AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ABG શિપયાર્ડ કૌભાંડમાં ICICI બેંકના 7089 કરોડ રૂપિયા ડૂબી ગયા, સરકારે સંસદમાં આપી સંપૂર્ણ માહિતી

બજેટ સત્ર દરમિયાન પાંચ લોકસભા સાંસદોએ આ કૌભાંડ અંગે માહિતી માંગી હતી અને આ દિશામાં તપાસની પ્રગતિ શું છે તે પણ જાણવા માગતા હતા.

ABG શિપયાર્ડ કૌભાંડમાં ICICI બેંકના 7089 કરોડ રૂપિયા ડૂબી ગયા, સરકારે સંસદમાં આપી સંપૂર્ણ માહિતી
ABG Shipyard
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 6:10 PM
Share

તાજેતરમાં એબીજી શિપયાર્ડ (ABG Shipyard) કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું, જે દેશનું સૌથી મોટું બેંકિંગ કૌભાંડ હોવાનું કહેવાય છે. જેને 23000 કરોડ રૂપિયાનું બેંકિંગ ફ્રોડ કહેવામાં આવી રહ્યું છે, જેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ કંપની વિરુદ્ધ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) માં કેસ નોંધવામાં આવ્યો છે અને તેણે પણ તપાસ તેજ કરી છે. સોમવારે સંસદમાં એબીજી શિપયાર્ડ ગોટાળા સાથે જોડાયેલો પ્રશ્ન પણ ઉઠ્યો હતો. બજેટ સત્ર દરમિયાન પાંચ લોકસભા સાંસદોએ આ કૌભાંડ અંગે માહિતી માંગી હતી અને આ દિશામાં તપાસની પ્રગતિ શું છે તે પણ જાણવા માગતા હતા.

સાંસદોએ નાણાં પ્રધાનને પૂછ્યું કે છેતરપિંડીની ફરિયાદો મળવા છતાં એફઆઈઆર નોંધવામાં વિલંબ કેમ થઈ રહ્યો છે. એવો સવાલ પણ ઉઠ્યો હતો કે ડૂબેલા નાણાની વસૂલાત માટે સરકાર શું પગલાં લઈ રહી છે. આ તમામ પ્રશ્નોના લેખિત જવાબ નાણામંત્રીએ સંસદમાં આપ્યા હતા.

લેખિત જવાબમાં જણાવાયું છે કે લોન મેસર્સ એબીજી શિપયાર્ડ લિમિટેડને ICICI બેંકના કન્સોર્ટિયમ દ્વારા આપવામાં આવી હતી. આ કન્સોર્ટિયમ ICICI બેંકની અધ્યક્ષતામાં શરૂ કરવામાં આવ્યું હતું અને ABG શિપયાર્ડને આ બેંક દ્વારા સૌથી વધુ રૂ. 7089 કરોડ આપવામાં આવ્યા હતા. બીજા નંબર પર IDBI બેંક છે જેણે 3639 કરોડ રૂપિયા આપ્યા છે. ત્રીજા સ્થાને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા આવે છે, જેણે ABG શિપયાર્ડને 2925 કરોડ રૂપિયા લોન તરીકે આપ્યા હતા.

બેંકોના કન્સોર્ટિયમે શું કર્યું?

તેના જવાબમાં, સરકારે જણાવ્યું હતું કે કન્સોર્ટિયમમાં રહેલી તમામ બેંકોએ 1.8.2013ના રોજ અને ત્યારબાદ એબીજી શિપયાર્ડના ખાતાને એનપીએ તરીકે જાહેર કર્યા હતા. ત્યારબાદ, 24 માર્ચ 2014ના રોજ સીડીઆર એમ્પાવર્ડ ગ્રુપે કોર્પોરેટ લોન રિસ્ટ્રક્ચરિંગ સિસ્ટમ હેઠળ લોન સુવિધાઓના પુનર્ગઠનની ભલામણ કરી.

આ બધા પછી, કન્સોર્ટિયમની બેંકોએ એક બેઠક બોલાવી અને એબીજી શિપયાર્ડનું ફોરેન્સિક ઓડિટ કરાવવાનું નક્કી કર્યું. ફોરેન્સિક ઓડિટનો રિપોર્ટ આવ્યા બાદ, 25.04.2019ના રોજ, લીડ બેંકે એબીજી શિપયાર્ડના ખાતામાં 14,349 કરોડ રૂપિયા છેતરપિંડી અને તેના પર મળેલા વ્યાજને જાહેર કર્યા.

આ બેંકને સૌથી વધુ નુકસાન થયું છે

આ કૌભાંડમાં સૌથી વધુ ICICI બેંકના 7089 કરોડ રૂપિયા અને IDBI બેંકના 3639 કરોડ રૂપિયા ડૂબી ગયા છે. આ પછી સ્ટેટ બેંક ઓફ 2925, બેંક ઓફ બરોડા 1614, PNB 1244, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ 714, એક્ઝિમ બેંક 1327, ઈન્ડિયન ઓવરસીઝ બેંક 1228, બેંક ઓફ ઈન્ડિયા 719, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ 743, કેનેરા બેંક 40, E-Syndicate બેંક 408 કરોડ, એસબીઆઈ સિંગાપોર 458, ઈ-દેના બેંક 406, ઈ-આંધ્ર બેંક 350, એસબીએમ બેંક 125.

એલઆઈસી 136 કરોડ, ડીસીબી બેંક 106 કરોડ, પીએનબી ઈન્ટરનેશનલ બેંક 97, ઈ-લક્ષ્મી વિલાસ બેંકના 61, ઈન્ડિયન બેંકના 60, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના 39, પંજાબ એન્ડ સિંધ બેંકના 37, યસ બેંકના 2, આઈએફસીઆઈ લિમિટેડના 260 અને ફોનિક્સ એઆરસી પ્રાઈવેટ લિમિટેડના 141 કરોડ રૂપિયા આ કૌભાંડમાં ડૂબી ગયા છે.

આ પણ વાંચો : ચીનમાં ફેલાતા કોરોનાથી અશોક ગેહલોત ચિંતિત, કહ્યું- કેન્દ્ર સરકાર બેદરકાર ન રહે અને નવા પ્રતિબંધો પર વિચાર કરે

આ પણ વાંચો : Punjab: સીએમના શપથ ગ્રહણ સમારોહમાં સામાન્ય જનતા પણ ભાગ લેશે, માને કહ્યું- સાથે મળીને ભગત સિંહના સપના સાકાર કરીશું

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">