AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નૂહમાં ફરી કાઢવામાં આવશે યાત્રા ! હિન્દુ સંગઠનની જાહેરાત બાદ ઈન્ટરનેટ ઠપ, મેસેજ સેવા પણ બંધ

હિન્દુ સંગઠનોએ ફરી એકવાર નૂહમાં બ્રિજ મંડળ યાત્રા કાઢવાની જાહેરાત કરી છે. આ ઘોષણા પછી, નૂહના કલેક્ટરે રાજ્ય સરકારને આ વિસ્તારમાં ઇન્ટરનેટ અને મેસેજિંગ પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી, ત્યારબાદ નૂહમાં આ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

નૂહમાં ફરી કાઢવામાં આવશે યાત્રા ! હિન્દુ સંગઠનની જાહેરાત બાદ ઈન્ટરનેટ ઠપ, મેસેજ સેવા પણ બંધ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2023 | 10:36 PM
Share

હરિયાણાના નુહમાં સાવચેતીના પગલારૂપે ફરી એકવાર ઈન્ટરનેટ અને મેસેજિંગ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. કેટલાક હિન્દુ સંગઠનો અને પંચાયતોએ ફરી એકવાર 28 ઓગસ્ટે બ્રિજ મંડળ શોભા યાત્રા કાઢવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ હરિયાણા સરકારે આ પગલું ભર્યું છે.

નૂહના કલેક્ટરે હરિયાણા સરકારને 25 ઓગસ્ટથી 28 ઓગસ્ટની રાત સુધી જિલ્લામાં ઈન્ટરનેટને સ્થગિત કરવા વાત કરી હતી, કારણ કે વહીવટીતંત્ર દ્વારા 28 ઓગસ્ટે ફરીથી શોભાયાત્રા કાઢવાની જાહેરાતને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા તરીકે સંદેશ સેવાઓ બંધ હોવી જોઈએ. જેથી અસામાજિક લોકો ભ્રામક અને ખોટા સમાચાર ફેલાવી ન શકે અને ખોટી માહિતી લોકો સુધી ન પહોંચે.

આ વિનંતી પર હરિયાણા સરકારના ગૃહ વિભાગે આદેશ જારી કરીને કહ્યું કે 26 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યાથી 28 ઓગસ્ટની રાત્રે 11.59 વાગ્યા સુધી નુહ જિલ્લામાં તમામ પ્રકારની મોબાઈલ, ડોંગલ ઈન્ટરનેટ અને મેસેજ સેવાઓ બંધ રહેશે. હરિયાણા સરકારના આ આદેશ બાદ TV9એ હિંસા પ્રભાવિત નૂહ ચોક વિસ્તારની મુલાકાત લીધી અને જાણવા મળ્યું કે આ વિસ્તાર હજુ પણ છાવણીમાં ફેરવાયેલો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ અને વધારાના સુરક્ષા દળો દરેક ખૂણે ચોકી કરી રહ્યા છે.

ઓનલાઈન પેમેન્ટમાં સમસ્યા આવશે

આ વિસ્તારના લોકોનું કહેવું છે કે 31 જુલાઈ પછી તેમના કામકાજ પર ખરાબ અસર પડી છે. હજુ પણ બજારની 90 ટકા જેટલી તેજ ગાયબ છે. આવી સ્થિતિમાં, ફરીથી નેટ બંધ કરીને, તેઓ ગ્રાહકો પાસેથી ઓનલાઈન પેમેન્ટ લઈ શકતા નથી અને ન તો કોઈને વધુ ચૂકવણી કરી શકે છે.

યાત્રા કાઢવા અંગે મુસ્લિમ સમાજનો અભિપ્રાય

બ્રિજ મંડળ શોભા યાત્રા ફરીથી કાઢવાના પ્રશ્ન પર મુસ્લિમ સમાજના લોકોનું કહેવું છે કે યાત્રા કાઢવા કે નહીં તે પ્રશાસનનો નિર્ણય છે. તમામ ધર્મોને તેમની આસ્થા અનુસાર ધાર્મિક યાત્રા કરવાનો અધિકાર છે, પરંતુ કેટલાક લોકો પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને તેને બગાડે છે, તેમને ટાળવું જોઈએ.

આ પણ વાંચો : કોંગ્રેસ માટે પરિવાર ફર્સ્ટ અને અમારા માટે રાષ્ટ્ર-વૈજ્ઞાનિક ફર્સ્ટ – અનુરાગ ઠાકુર

જો કે બીજી તરફ પ્રશાસનની પરવાનગી ન મળતાં શનિવારે 28 ઓગસ્ટે બ્રિજ મંડળની શોભા યાત્રા કાઢવા માટે એક બેઠક પણ યોજાઈ હતી જેમાં 52 પાલ પંચાયતના પ્રમુખ અરુણ ઝીલદારે જણાવ્યું હતું કે આ શોભા યાત્રા કાઢવામાં આવશે. સર્વ હિન્દુ સમાજ દ્વારા.. તેમણે કહ્યું કે યાત્રાના પ્રકાર અંગે વહીવટીતંત્ર સાથે વાતચીત કરવામાં આવશે.

રાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">