AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST 2.0 નો કમાલ: ભારતીય અર્થતંત્રનો GDP દર 6.8% થી વધુ રહેવાનો અંદાજ

GST દરમાં ઘટાડો અને આવકવેરામાં મળેલી રાહતને કારણે ભારતમાં વપરાશમાં નોંધપાત્ર વધારો થયો છે. મુખ્ય આર્થિક સલાહકાર (CEA) વી. અનંત નાગેશ્વરનના મતે, આ કારણોસર ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર (GDP) 6.8% થી વધુ થવાનો અંદાજ છે. જાણો વિગતે.

GST 2.0 નો કમાલ: ભારતીય અર્થતંત્રનો GDP દર 6.8% થી વધુ રહેવાનો અંદાજ
| Updated on: Nov 08, 2025 | 9:37 PM
Share

ભારતનું અર્થતંત્ર હાલમાં મજબૂત ગતિએ વધી રહ્યું છે, અને સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ દર 6.8% થી વધુ થવાની અપેક્ષા છે. મુખ્ય આર્થિક સલાહકાર (CEA) વી. અનંત નાગેશ્વરને શુક્રવારે જણાવ્યું હતું કે GST દરમાં ઘટાડો અને આવકવેરામાં રાહતથી વપરાશમાં વધારો થયો છે, જેની સીધી અસર વૃદ્ધિ પર પડી રહી છે.

જાન્યુઆરીમાં સંસદમાં રજૂ કરાયેલા આર્થિક સર્વેમાં FY26 માટે GDP વૃદ્ધિ દર 6.3% થી 6.8% રહેવાનો અંદાજ હતો.

GDP 6.5% થી ઉપર રહેશે

વી. અનંત નાગેશ્વરના મતે, પહેલા એવી ચિંતા હતી કે વૃદ્ધિ 6% ની નીચી રેન્જમાં સરકી શકે છે, પરંતુ હવે પરિસ્થિતિ ઘણી સારી દેખાય છે. વૃદ્ધિ 6.5% થી ઉપર રહેશે અને 6.8% થી વધુ થવાની શક્યતા વધુ છે. 7% નો આંકડો અંદાજતા પહેલા, બીજા ત્રિમાસિક ગાળાના ડેટાની સમીક્ષા કરવાની જરૂર પડશે.

ભારતે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 7.8% GDP વૃદ્ધિ નોંધાવી હતી. આ વૃદ્ધિ કૃષિ, વેપાર, હોટેલ્સ, નાણાકીય સેવાઓ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રોમાં મજબૂત પ્રદર્શનને કારણે થઈ હતી. જાન્યુઆરી-માર્ચ 2024 માં GDP પણ 8.4% ની ગતિએ વધ્યો, જે તાજેતરના વર્ષોમાં સૌથી વધુ છે. ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર રહ્યું છે, જે ચીનના 5.2% વૃદ્ધિને વટાવી ગયું છે.

ભારત-અમેરિકા વેપાર કરારથી GDP વધશે

CEA એ જણાવ્યું હતું કે જો અમેરિકા સાથેના બાકી રહેલા દ્વિપક્ષીય વેપાર કરાર (BTA)નો ઉકેલ આવે છે, તો વૃદ્ધિ વધુ ઝડપી બની શકે છે. હાલમાં, અમેરિકાએ ભારતીય માલ પર 50% સુધીના ભારે ટેરિફ લાદ્યા છે, જેમાં રશિયા પાસેથી તેલ ખરીદી પર વધારાની 25% ડ્યુટીનો સમાવેશ થાય છે. આ ટેરિફ ઓગસ્ટથી અમલમાં છે, અને બંને દેશો વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. નાગેશ્વરને જણાવ્યું હતું કે એકવાર આ વેપાર વિવાદ ઉકેલાઈ જાય, પછી ભારતના આર્થિક વિકાસના અંદાજોમાં સુધારો થશે.

દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
g clip-path="url(#clip0_868_265)">