રેમડેસિવિરને લઈને મોદી સરકારે લીધો મોટો નિર્ણય, ઉત્પાદન વધશે અને ભાવ ઘટશે જાણો કઈ રીતે
કેન્દ્ર સરકારે રાહતનો નિર્ણય લીધો છે. એન્ટિવાયરલ દવા રેમડેસિવિર પર દેશએ આયાત ડ્યૂટી હટાવી દીધી છે. જે હાલમાં કોવિડ -19 દર્દીઓની સારવાર માટે વપરાય છે.
કોરોનાના વચ્ચે રેમડેસિવિરને લઈને સમગ્ર દેશમાં હંગામો મચી ગયો છે. કોરોના કેસમાં વધારો થવાને કારણે તેની માંગ એટલી વધી ગઈ છે કે તેને બધે જ ભાગદોડ શરુ થઇ ગઈ છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે રાહતનો નિર્ણય લીધો છે. એન્ટિવાયરલ દવા રેમડેસિવિર પર દેશએ આયાત ડ્યૂટી હટાવી દીધી છે. જે હાલમાં કોવિડ -19 દર્દીઓની સારવાર માટે વપરાય છે. મંગળવારે મોદી રાત્રે જારી કરાયેલા એક જાહેરનામામાં, રેમડેસિવિરના નિર્માણ માટે ઉપયોગમાં લેવાતી દવા પરાફેરીલીયાની આયાત પરની ડ્યુટી હટાવી દેવામાં આવી છે. આ પગલું ઘરેલું પ્રાપ્યતા વધારવામાં અને ઇન્જેક્શનના ખર્ચમાં ઘટાડો કરવામાં મદદ કરશે. વળી, સરકારના આ પગલાથી તેની અછત દૂર થશે જ, પરંતુ ભાવમાં પણ ઘટાડો થશે.
મંગળવારે સરકારે રેમડેસિવિર, તેના કાચા માલ અને એન્ટિવાયરલ દવાઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય ઘટકો પરની કસ્ટમ ડ્યુટી માફ કરી દીધી હતી. મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે જે ચીજો પર ડ્યુટી માફ કરી છે તેમાં રેમડેસિવિરના નિર્માણ માટે ઉપયોગમાં લેવામાં આવતા સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો, રેમડેસિવિર ઇન્જેક્શન અને બીટા સાયક્લોડોડેક્સ્ટ્રિનનો સમાવેશ થાય છે. આયાત ડ્યુટીમાં આ મુક્તિ 31 ઓક્ટોબર સુધી લાગુ રહેશે.
તે જ સમયે, કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે ટ્વિટ કર્યું છે કે કોરોનાની સારવારમાં અસરકારક ગણાતા રેમડેસિવિર ઈન્જેક્શન બનાવવા માટે ઉપયોગમાં લેવાતા રેમડેસિવિર એપીઆઈની આયાત પર કોઈ ફી લેવામાં આવશે નહીં. આ સિવાય રેમડેસિવિર ઇંજેક્શનની આયાત પણ ડ્યુટી મુક્ત કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારની ઘોષણા સાથે આ દવા આગામી દિવસોમાં દેશમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થવાની અપેક્ષા રાખી શકાય છે.
In line with PM @NarendraModi's priority to ensure affordable medical care for COVID-19 patients, imports of Remdesivir API, injection and specific inputs have been made import duty free. This should increase supply and reduce cost thus providing relief to patients. pic.twitter.com/F40SX8mNeS
— Piyush Goyal (@PiyushGoyal) April 20, 2021
આ દરમિયાન કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે એન્ટીવાયરલ ડ્રગ રેમડેસિવિરનું ઉત્પાદન આગામી 15 દિવસમાં બમણું થઈ જશે. તમને જણાવી દઇએ કે એન્ટીવાયરલ ડ્રગ રેમડેસિવિરને લઈને ઘણા રાજ્યોમાં ઉણપના સમાચાર છે. કેન્દ્રીય પ્રધાન માંડવીયાએ તેમના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો સંદેશમાં કહ્યું હતું કે ભારત સરકાર દેશમાં રેમડેસિવિર ઈન્જેક્શનનું ઉત્પાદન વધારવા અને ઓછા ખર્ચે તેને ઉપલબ્ધ કરાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. હાલમાં, રેમડેસિવિરની 150,000 શીશીઓ દરરોજ બનાવવામાં આવી રહી છે અને, આગામી 15 દિવસમાં ઉત્પાદન દરરોજ બમણું એટલે કે 300,000 શીશીઓ થઈ જશે.
આ પણ વાંચો: બજાજ ઓટોએ લોન્ચ કર્યું ધમાકેદાર નવું પલ્સર બાઈક, જાણો શું છે કિંમત અને ખાસિયત