Ramnavmi2021: ભગવાન શ્રીરામના જીવન સાથે જોડાયેલી આ 10 રસપ્રદ વાતો, ખૂબ ઓછા લોકો જાણે છે

ચૈત્ર શુક્લ નવમીનાં દિવસને રામ નવમી તરીકે ઉજવવામાં આવે છે. આજનાં દિવસે લોકો વ્રત રાખે છે અને ભગવાનીની પૂજા પણ કરે છે. ચાલો તમને જણાવીએ કેટલીક એવી વાતો જેનાથી તમે અજાણ હશો.

Ramnavmi2021: ભગવાન શ્રીરામના જીવન સાથે જોડાયેલી આ 10 રસપ્રદ વાતો, ખૂબ ઓછા લોકો જાણે છે
ભગવાન શ્રી રામ
Follow Us:
| Updated on: Apr 21, 2021 | 9:50 AM

રામ નવમીનું પાવન પર્વ મર્યાદા પુરષોત્તમ શ્રીરામ નાં જન્મોત્સવનો શુભ તહેવાર છે. રામજીનો જન્મ ચૈત્ર મહિનાની નવમી તિથિએ ત્રેતાયુગમાં થયો હતો, એટલેજ દર વર્ષની ચૈત્ર શુક્લ નવમીનાં દિવસને રામ નવમી તરીકે ઉજવવામાં આવે છે. આજનાં દિવસે લોકો વ્રત રાખે છે અને ભગવાનીની પૂજા પણ કરે છે. ચાલો તમને જણાવીએ કેટલીક એવી વાતો જેનાથી તમે અજાણ હશો.

1.શ્રીરામની એક બહેન પણ હતી.

કેટલાક ગ્રંથોમાં ભગવાન શ્રી રામની એક બહેન હોવાના વર્ણન પણ છે. તેનું નામ શાંતા હતું. રાજા દશરથે તેમને અંગદેશના રાજા રોમપદાને દત્તક આપ્યા હતા. શાંતાએ ઋષિ ઋષ્યશ્રૃંગ સાથે લગ્ન કર્યા હતા. રાજા દશરથ દ્વારા કરવામાં આવેલ પુત્રકામેસ્ઠી યજ્ઞ ઋષ્યશ્રૃંગએ જ કરાવ્યા હતા. જેના કારણે શ્રી રામ વગેરેનો જન્મ થયો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

2.સીતાના સ્વયંવરમાં નહોતા ગયા શ્રી રામ

શ્રીરામચરિત માનસમાં લખ્યું છે કે શ્રી રામ સીતા સ્વયંવરમાં ગયા ન હતા, જ્યારે વાલ્મિકી રામાયણમાં સીતા સ્વયંવરનું વર્ણન નથી. તેમના કહેવા મુજબ, રામ અને લક્ષ્મણ ઋષિ વિશ્વામિત્ર સાથે મિથિલા ગયા હતા. વિશ્વામિત્રે રાજા જનકને તે મેઘધનુષ્ય શ્રી રામને બતાવવા કહ્યું. પછી શ્રી રામેં ધનુષ ઉપાડી લીધું અને પ્રત્યંચા ચડાવતા ટે તૂટી ગયું. રાજા જનકનું પ્રણ હતું કે જે આ શિવ ધનુષ ઉંચકશે તે તેની પુત્રી સીતા સાથે લગ્ન કરશે. આ કારણે શ્રીરામના સીતા સાથે લગ્ન થયા.

3.લગ્ન સમયે શ્રી રામની ઉમર કેટલી હતી

વાલ્મિકી રામાયણનો એક શ્લોક બતાવે છે કે લગ્ન સમયે ભગવાન શ્રી રામ 13 વર્ષના હતા અને દેવી સીતા 6 વર્ષના હતા. લગ્નના 12 વર્ષ પછી દેશનિકાલ પર જતા સમયે શ્રીરામ 25 વર્ષ અને સીતા 18 વર્ષના હતા.

4.લક્ષ્મણ અને પરશુરામ વચ્ચે કોઈ વિવાદ નહોતો થયો

શ્રી રામચરિત માનસ મુજબ સીતા સ્વયંવરના સમયે ભગવાન પરશુરામ ત્યાં આવ્યા હતા અને લક્ષ્મણ સાથે તેમનો વિવાદ પણ થયો હતો. જ્યારે વાલ્મિકી રામાયણ અનુસાર, શ્રીરામ સીતા સાથેના લગ્ન પછી અયોધ્યા પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમને પરશુરામ મળ્યા. તેમણે શ્રી રામને તેમના ધનુષ પર એક તીર ચડાવવા કહ્યું. શ્રીરામે જ્યારે ધનુષ પર તીર ચડાવ્યું ત્યારે તે ત્યાંથી કોઈ વિવાદ કર્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા.

5.તેથી શ્રી રામના હસ્તે રાવણનો થયો વધ

રઘુવંશમાં એક પ્રતાપી રાજા હતો, જેનું નામ અનરન્ય હતું. જ્યારે રાવણ વિશ્વવિજય કરવા બહાર આવ્યા ત્યારે રાજા અનરન્ય સાથે ઘોર યુદ્ધ થયું. તે યુદ્ધમાં રાજા અનરન્યનું મોત નીપજ્યું, પરંતુ મૃત્યુ પામતા પહેલા તેણે રાવણને શ્રાપ આપ્યો કે મારા વંશમાં જન્મેલો એક યુવાન તારા મૃત્યુનું કારણ બનશે.

6.શ્રી રામે કબંધને શાપ મુક્ત કરાવ્યો હતો

જ્યારે શ્રીરામ અને લક્ષ્મણ જંગલમાં સીતાની શોધ કરી રહ્યા હતા. તે સમયે રામ-લક્ષ્મણ દ્વારા કબંધ નામના રાક્ષસનો વધ કરવામાં આવ્યો. હકીકતમાં કબંધ શ્રાપને કારણે રાક્ષસ બન્યો હતો. શ્રીરામે જ્યારે અંતિમ સંસ્કાર કર્યા ત્યારે તે શ્રાપ મુક્ત થયો. તે કબંધ હતો જેણે શ્રી રામને સુગ્રીવની મિત્રતા કરવાનું કહ્યું હતું.

7.લક્ષ્મણ નહીં શ્રી રામ થયા હતા ક્રોધિત

શ્રી રામચરિતમાનસ મુજબ, જ્યારે સમુદ્રએ વાંદરાની સેનાને લંકા જવાનો માર્ગ ન આપતો ત્યારે લક્ષ્મણ ખૂબ ગુસ્સે થયા, જ્યારે વાલ્મીકિ રામાયણમાં લખ્યું છે કે લક્ષ્મણ નહીં શ્રી રામ સમુદ્ર ઉપર ગુસ્સે થયા હતા અને તેમણે સમુદ્રના પાણીને સૂકવી દેવાનું બાણ ઓઅન છોડી દીધું. ત્યારે લક્ષ્મણ અને અન્ય લોકોએ ભગવાન શ્રી રામને સમજાવ્યા હતા.

8.ઇન્દ્રએ શ્રી રામને રથ મોકલ્યો હતો

તે સમયે જ્યારે રામ-રાવણનું અંતિમ યુદ્ધ ચાલી રહ્યું હતુ, ત્યારે ઇન્દ્રએ પોતાનો રથ શ્રી રામને મોકલ્યો. તે રથ પર બેસીને શ્રીરામે રાવણનો વધ કર્યો. જ્યારે લાંબા સમય સુધી રામ-રાવણનું યુદ્ધ ચાલુ રહ્યું, ત્યારે અગસ્ત્ય મુનિએ શ્રી રામને આદિત્યહૃદય સ્ત્રોતનો પાઠ કરવા કહ્યું, આ પછી જ રામે રાવણનો વધ કર્યો.

9.31 બાણથી મર્યો હતો રાવણ

શ્રીરામચરિતમાનસ મુજબ શ્રીરામે રાવણનો એક સાથે 31 તીરથી વધ કર્યો હતો. આ 31 બાણોમાંથી 1 તીર રાવણના નાભિ પર મારવામાં આવ્યું હતું, બાકીના 30 તીરથી 10 માથા અને 20 હાથ ધડથી અલગ થયા હતા. રાવણનું વિશાળ ધડ પૃથ્વી પર પડતાંની સાથે જ પૃથ્વી હલવા લાગી.

10.રામ નામનો મહિમા

શ્રીરામ ભગવાન વિષ્ણુના 7 મા અવતાર હતા. વિષ્ણુ સહસ્ત્રનામમાં ભગવાનના 1 હજાર નામોનો ઉલ્લેખ છે. તેમાંથી 394 સ્થાન પર ભગવાન વિષ્ણુનું એક નામ રામ જણાવવામાં આવ્યું છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">