West Bengal : સરકારી મેડિકલ કોલેજે 40 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ, જાણો કેમ કરવામાં આવી આ કાર્યવાહી?

પશ્ચિમ બંગાળમાં મેડિકલ કોલેજના 40 વિદ્યાર્થીઓને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સસ્પેન્શન પછી તેમને કોલેજમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે પરંતુ હોસ્ટેલ અને હોસ્પિટલમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

West Bengal : સરકારી મેડિકલ કોલેજે 40 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ, જાણો કેમ કરવામાં આવી આ કાર્યવાહી?
suspended 40 students
Follow Us:
| Updated on: Sep 20, 2024 | 8:36 AM

કોલકાતાના કલ્યાણીમાં એક સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલે 40 વિદ્યાર્થીઓને છ મહિના માટે સસ્પેન્ડ કરી દીધા છે. વિસ્તૃત કોલેજ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. મળતી માહિતી મુજબ કોલેજ ઓફ મેડિસિન અને જેએનએમ હોસ્પિટલે અન્ય વિદ્યાર્થીઓને ધમકાવવાના આરોપમાં આ કાર્યવાહી કરી છે.

પુરાવા અને વ્યક્તિગત વિદ્યાર્થીઓના નિવેદનોના આધારે વિસ્તૃત કોલેજ કાઉન્સિલે ગુરુવારે આ 40 વિદ્યાર્થીઓને હોસ્ટેલ હોસ્પિટલ અને કોલેજ કેમ્પસમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લીધો હતો.

હોસ્ટેલ અને હોસ્પિટલમાં પ્રવેશવા પર મનાઈ

આ સસ્પેન્શન પછી આ 40 વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે પરંતુ હોસ્ટેલ અને હોસ્પિટલમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેઓને માત્ર પરીક્ષામાં હાજર રહેવાની અને એન્ટિ-રેગિંગ સમિતિ અને આંતરિક ફરિયાદ સમિતિ અથવા કોઈપણ વિશેષ તપાસ સમિતિ દ્વારા તપાસનો સામનો કરવાની મંજૂરી આપવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

RG ટેક્સની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો

પશ્ચિમ બંગાળનું કોલકાતા છેલ્લા કેટલાક સમયથી સમાચારોમાં છે. કોલકાતાની આરજી કાર કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર રેપ અને હત્યાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આને લઈને સમગ્ર દેશમાં રોષ જોવા મળ્યો હતો. આ અંગે દેશભરમાં મોટા પાયે દેખાવો થયા હતા.

જુનિયર ડોકટરોએ 41 દિવસ પછી ગુરુવારે તેમનો વિરોધ સમાપ્ત કર્યો

કોલકાતા રેપ અને હત્યા કેસમાં ન્યાયની માગ સાથે જુનિયર ડોકટરોએ 41 દિવસ પછી ગુરુવારે તેમનો વિરોધ સમાપ્ત કર્યો. ડોક્ટરોએ કહ્યું કે, તેઓ શનિવારથી કામ પર પાછા ફરશે. આ ડોક્ટરો 9 ઓગસ્ટના રોજ લેડી ડોક્ટરના મોત બાદથી વિરોધ કરી રહ્યા હતા.

તબીબો પાંચ મુદ્દાની માગ સાથે વિરોધ કરી રહ્યા હતા. ડોક્ટરોનું કહેવું છે કે અમારો અવાજ સીબીઆઈ સુધી પહોંચાડવો જોઈએ. અમને ન્યાય જોઈએ છે. અમે રાજનીતિ માટે નહીં, ન્યાય માટે લડી રહ્યા છીએ. અમે શુક્રવારથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈશું. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ક્લિનિક ખોલવામાં આવશે. પૂરથી પ્રભાવિત લોકોને તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">