આગામી 6 મેના રોજ સવારે 6.25 વાગ્યે ખુલશે કેદારનાથના દરવાજા

પૌરાણિક પરંપરા અનુસાર, મહાશિવરાત્રીના તહેવાર પર કેદારનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ શિયાળાની પૂજા સ્થળ ઓમકારેશ્વર મંદિર ખાતે નક્કી કરવામાં આવે છે.

આગામી 6 મેના રોજ સવારે 6.25 વાગ્યે ખુલશે કેદારનાથના દરવાજા
કેદારનાથ (ફાઈલ ફોટો)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 4:26 PM

કેદારનાથ ધામના (Kedarnath Dham) દરવાજા આગામી 6 મેના રોજ સવારે 6.25 કલાકે ખોલવામાં આવશે. આજે, મહાશિવરાત્રિ (Mahashivaratri) પર શિયાળુ ગાદી ગણાતા ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં (Omkareshwar Temple), 12 જ્યોતિર્લિંગમાં સમાવિષ્ટ ભગવાન કેદારનાથના (Kedarnath) દ્વાર ખોલવાની તારીખ નક્કી કરવામાં આવી છે. શિયાળાના છ મહિના સુધી દરવાજા બંધ રાખ્યા બાદ કેદારનાથના દરવાજા ખોલવાની તારીખ આજે મહાશિવરાત્રિના પર્વે નક્કી કરવામાં આવી છે. કેદારનાથના દ્વાર આગામી 6 મેના રોજ સવારે 6.25 કલાકે અમૃતકાળમાં ખુલશે. બાબા કેદારની ડોળી આગામી 2 મેના રોજ ઓમકારેશ્વર મંદિર, ઉખીમઠથી કેદાર ધામ માટે રવાના થશે. ઓમકારેશ્વર મંદિર, ઉખીમઠમાં પૌરાણિક પરંપરાઓ અનુસાર, શિવરાત્રીના તહેવાર પર કેદારનાથના દ્વાર ખોલવાની તારીખ વૈદિક પૂજા સાથે પરંપરાગત વિધિઓ હેઠળ જાહેર કરવામાં આવી હતી.

બાબા કેદારનાથની ડોળી 2 મેના રોજ કેદાર ધામ જવા રવાના થશે

આગામી 2 મેના રોજ બાબા કેદારનાથની ડોળી, ઉખીમઠથી કેદારનાથ ધામ જવા માટે રવાના થશે. 2 મેના રોજ ડોળી ગુપ્તકાશી, 3 મેના રોજ ફાટા, 4 મેના રોજ ગૌરીકુંડ પહોચશે. જ્યા રાત્રી નિવાસ કર્યા બાદ, 5 મેના રોજ ડોળી કેદારનાથ ધામ પહોંચશે. 6 મેના રોજ સવારે 6.25 કલાકે સામાન્ય ભક્તોના દર્શન માટે દરવાજા ખોલવામાં આવશે. કેદારનાથના રાવલ ભીમાશંકર લિંગ, ઓમકારેશ્વર શુક્લ, કેદારનાથના ધર્માધિકારી, પૂજારીઓ અને વેદપાઠીઓએ પંચાંગની ગણતરીઓ પછી દરવાજા ખોલવાની તારીખ અને સમય નક્કી કર્યો હતો. આ સમયે, હક હકુકધારી, વેદપાઠી, મંદિર સમિતિના અધિકારી, તીર્થ પુરોહિત ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજય, ઉપપ્રમુખ કિશોર પંવાર, સભ્યો આશુતોષ ડીમરી, શ્રીનિવાસ પોસ્ટી, ભાસ્કર ડીમરી, મંદિર સમિતિના અધિકારીઓ, ગીરીશ ચંદ્ર દેવલી, રાજકુમાર નૌટીયાલ, આરસી તિવારી, રાકેશ સેમવાલ, ડો. હરીશ. ગૌર, કેદારનાથના ધારાસભ્ય મનોજ રાવત આ પ્રસંગે હાજર હતા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આવી રીતે નક્કી કરાય છે કેદારનાથના દરવાજા ખોલવાનો દિવસ

પૌરાણિક પરંપરા અનુસાર, મહાશિવરાત્રીના તહેવાર પર કેદારનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ શિયાળાની પૂજા સ્થળ ઓમકારેશ્વર મંદિર ખાતે નક્કી કરવામાં આવે છે. આ પ્રસંગે, રાવલ કેદારનાથની હાજરીમાં, આચાર્યો દ્વારા પૂજા સાથે વેદ જાપ કરવામાં આવે છે. જે બાદ આચાર્યો દ્વારા સ્થાનિક અધિકાર ધારકોની હાજરીમાં પંચાંગની ગણતરી કરીને શુભ મુહૂર્ત કાઢવામાં આવે છે.

તમામ પૌરાણિક પરંપરાઓ સાથેનો દિવસ નક્કી કરતી વખતે, ઓમકારેશ્વર મંદિરમાં ભૈરવનાથની પૂજા માટેનો દિવસ, ડોળીના પ્રસ્થાન માટેની તારીખ અને સમય, કેદારનાથ ધામના દરવાજા ખોલવાનો દિવસ, મુહૂર્ત અને સમય, ભૈરવનાથ મંદિરના દરવાજા ખોલવા માટેનો સમય અને દિવસ પંચાગ ગણતરીમાં મુખ્ય રીતે જોવામાં આવે છે.

આ પણ વાંચોઃ

Mahashivratri 2022: જાણો ભવનાથ મહાદેવની સ્થાપનાનું રહસ્ય, કોણે કરી ભવેશ્વર લિંગની સ્થાપના

આ પણ વાંચોઃ

Maha Shivratri 2022: મહાશિવરાત્રીના અવસરે ભગવાન શિવને આ વસ્તુનો ચઢાવો ભોગ, મહાદેવ થશે પ્રસન્ન

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">