Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Shivratri 2022: મહાશિવરાત્રીના અવસરે ભગવાન શિવને આ વસ્તુનો ચઢાવો ભોગ, મહાદેવ થશે પ્રસન્ન

Maha Shivratri 2022: મહા શિવરાત્રીનું વ્રત કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ દિવસે ભગવાન શિવને વિવિધ પ્રકારના ભોગ ચઢાવવામાં આવે છે. આવો જાણીએ આ દિવસે તમે ભગવાન શિવને કઈ વસ્તુઓ અર્પણ કરી શકો છો.

Maha Shivratri 2022: મહાશિવરાત્રીના અવસરે ભગવાન શિવને આ વસ્તુનો ચઢાવો ભોગ, મહાદેવ થશે પ્રસન્ન
Maha-Shivratri-2022 (symbolic image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 2:17 PM

મહા શિવરાત્રી 2022નો તહેવાર ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી પર ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર આજે એટલે કે 1લી માર્ચે ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે ભક્તો શિવલિંગને વિવિધ તબક્કામાં દૂધ અને જળ ચઢાવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ઉપવાસ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. પૂજા સ્થળને સુશોભિત કરવાથી લઈને સ્વાદિષ્ટ પ્રસાદ (Mahashivratri Bhog) અર્પણ કરવા અને ભજન ગાવા સુધી શિવરાત્રી સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવને અનેક મીઠાઈઓ ધરવામાં આવે છે. અહીં અમે કેટલીક સરળ વાનગીઓ જણાવવા જઈ રહ્યા છીએ, તમે તેને ઘરે સરળતાથી બનાવીને ભગવાન શિવને અર્પણ કરી શકો છો.

ઠંડાઈ

આ માટે તમારે 1 લીટર દૂધ, 1 કપ પલાળેલી બદામ, 10 કાળા મરીના દાણા, 8 એલચી, 1 ટેબલસ્પૂન વરિયાળી, 1 ટેબલસ્પૂન ખસખસ, 1 કપ ખાંડ, એક ચપટી મીઠું જોઈએ. બદામને ચમચી દૂધ સાથે પીસી લો. તેને એટલું બારીક પીસી લો કે બદામના દાણા દેખાય નહીં. મસાલાને પણ અલગ ડ્રાય બ્લેન્ડરમાં ગ્રાઈન્ડ કરવાની જરૂર છે. સ્વાદને વધારવા માટે તમે તેને પીસતા પહેલા શેકી શકો છો. દૂધ ઉકાળો, ગરમ દૂધમાં બદામ અને મસાલા ઉમેરો અને તેને ઓછામાં ઓછા 5 મિનિટ સુધી હલાવતા રહો, જેથી મલાઈ જેવું ફીણ બને.

હવે ઠંડા પીણામાંથી દૂધના મિશ્રણને ચાળણી દ્વારા ગાળી લો. તમે તેને ફરીથી બ્લેન્ડરમાં પીસી શકો છો અને તેને ફરીથી પીણામાં ઉમેરી શકો છો, ખાંડ સંપૂર્ણપણે ઓગળી જાય ત્યાં સુધી 2થી 3 કપ પાણીમાં ખાંડ મિક્સ કરો. આ ખાંડના દ્રાવણથી પીણું પાતળું કરો, મોટા ગ્લાસમાં રેડવું. દરેક ગ્લાસમાં એક ચપટી મીઠું નાખો. ઠંડાઈને થોડીવાર ફ્રીજમાં રાખો. આ રીતે ઠંડાઈ તૈયાર થશે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2025
ફસાઈ ગયું પાકિસ્તાન.. ભારત માટે એયરસ્પેસ બંદ કરવાથી તેને થશે કરોડોનું નુકસાન
સૌથી મોટા ઘરની માલકીન છે એક ક્રિકેટરની પત્ની, ગુજરાતમાં છે આ આલીશાન ઘર
સારા તેંડુલકરે પહેલીવાર જોયું પહેલગામનું સૌંદર્ય
Richest Society : અમદાવાદની 6 સૌથી મોંઘી સોસાયટી, વૈભવી જીવન જીવવા લોકોની પહેલી પસંદ
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?

ઠંડાઈનું મહત્વ અને ફાયદા જાણો

જ્યારે મહાદેવે સમુદ્ર મંથન દરમિયાન વિષપાન કર્યું હતું, ત્યારે તેમના શરીરમાં ભયંકર અગ્નિ ઉત્પન્ન થઈ હતી. ત્યારે તેમને ઠંડી વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી. જેનાથી તેમના શરીરને ઠંડક મળી હતી. ત્યારથી તેમને ભક્તો દ્વારા ઠંડી વસ્તુઓનો ભોગ લગાવવામાં આવે છે. આથી મહાદેવને ઠંડાઈનો પ્રસાદ ચઢાવવામાં આવે છે.

આ ઉપરાંત મહાશિવરાત્રિના તહેવારના થોડા સમય બાદ ઉનાળાની ઋતુ શરૂ થાય છે. ઉનાળાની ઋતુમાં ઠંડાઈ ખૂબ જ ફાયદાકારક પીણું છે. તે શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે અને પેટમાં બળતરા, અપચો, એસિડિટી જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. આ સિવાય તે તમારા મનને પણ શાંત રાખે છે.

આ પણ વાંચો :સેટેલાઈટ તસ્વીરોમાં ખુલાસો, યુક્રેનના રસ્તાઓ પર જોવા મળ્યો 64 કિલોમીટર લાંબો કાફલો, રાજધાની કીવ પર મોટા હુમલાની ફિરાકમાં રશિયા

આ પણ વાંચો :છોડમાંથી તૈયાર કરવામાં આવી કોરોનાની નવી વેક્સિન ‘કોવિફેંઝ’, તમામ વેરિઅન્ટ્સ પર 71 ટકા અસરકાર, જાણો કેવી રીતે કરે છે કામ

મદરેસામાં બાળકો સાથે શું થાય છે? વાયરલ વીડિયોમાં આ બિરાદરે ખોલ્યા રાઝ
મદરેસામાં બાળકો સાથે શું થાય છે? વાયરલ વીડિયોમાં આ બિરાદરે ખોલ્યા રાઝ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ટેસ્લાની સાયબર ટ્રકની સૌપ્રથમ સુરતમાં થઈ એન્ટ્રી
ટેસ્લાની સાયબર ટ્રકની સૌપ્રથમ સુરતમાં થઈ એન્ટ્રી
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
g clip-path="url(#clip0_868_265)">