AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check : કોરોના વેક્સિન લીધા બાદ શરીર પર ચોંટવા લાગે છે વસ્તુઓ, શું છે સત્ય ?

Fact Check : કોરોના સામેની મહામારી સામે એક માત્ર હથિયાર હોયતો તે છે કોરોના રસીકરણ. તો બીજી તરફ દેશમાં કોરોના વેક્સિનને લઈને અફવાઓ પણ વધી ગઈ છે.

Fact Check : કોરોના વેક્સિન લીધા બાદ શરીર પર ચોંટવા લાગે છે વસ્તુઓ, શું છે સત્ય ?
Fact Check
Charmi Katira
| Edited By: | Updated on: Jun 13, 2021 | 2:50 PM
Share

Fact Check : કોરોના સામેની મહામારી સામે એક માત્ર હથિયાર હોય તો તે છે કોરોના રસીકરણ. ( Corona vaccination) દેશભરમાં 1 મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ દેશમાં કોરોના વેક્સિનને લઈને અફવાઓ પણ વધી ગઈ છે.

હાલમાં એવી અફવા ઉડી રહી છે કે વેક્સીન લીધા બાદ શરીરમાં ચુંબકીય શક્તિ આવે છે. જેના કારણે શરીરમાં ચમચી,સિક્કા, મોબાઈલ ચોંટી જાય છે. આ પ્રકારના કેસ ગુજરાતમાં પણ સામે આવ્યા છે.

પરંતુ આ મામલે PIB દ્વારા FACT CHECK કરવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, આ પ્રકારની અફવાઓથી દૂર રહો અને કોરોના રસીથી કોઈ ચુંબકીય શક્તિ આવતી નથી. તેથી રસી અવશ્ય લો.

થોડા દિવસ પહેલા મીડિયા દ્વારા રસી ચુંબકીય શક્તિને લઈને ડેમો પણ કર્યો હતો. જેનું પરિણામ હેરાન કરનારું હતું. જે લોકોએ રસી લગાવી હતી અને જેઓએ રસી લગાવી ના હતી તેના શરીર પર સિક્કા સરળતાથી ચોંટી ગયા હતા. તો કોઈના શરીર ઉપર ચાવી પણ ચોંટી ગઈ હતી. પરંતુ જ્યારે શરીર લુછ્યું ત્યારે સિક્કા અને લોખંડની વસ્તુઓ નીચે પડવા લાગી હતી. આ બાદ ડોકટરોએ કહ્યું હતું કે જો આવી ચુંબકીય શક્તિ હોય તો સિક્કા પણ નીચે ના આવે. આ સાથે જ દાવો કરવામાં આવ્યો હતો કે આવું પરસેવાના કારણે થયું છે, તે સામાન્ય છે. આ તપાસમાં ચુંબકીય શક્તિનો દાવો ખોટો હોવાનું બહાર આવ્યું હતું ડોકટરોએ જણાવ્યું કે રસી મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે કોરોના સામે લડવાનો આ એકમાત્ર રસ્તો છે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">