Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પંજાબમાં પોલીસ ચોકી પર બોમ્બથી હુમલો કરીને ભાગેલા આંતકવાદીઓનું ઉત્તરપ્રદેશમાં એન્કાઉન્ટર

પંજાબના ગુરદાસપુરમાં ગત 19 ડિસેમ્બરના રોજ, એક પોલીસ ચોકી પર આતંકવાદીઓએ બોમ્બથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં સામેલ ત્રણ આતંકવાદીઓને યુપીના પીલીભીતમાં પોલીસે ઠાર માર્યા છે.

પંજાબમાં પોલીસ ચોકી પર બોમ્બથી હુમલો કરીને ભાગેલા આંતકવાદીઓનું ઉત્તરપ્રદેશમાં એન્કાઉન્ટર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2024 | 2:43 PM

કલાનૌર નગર પંજાબના ગુરદાસપુર જિલ્લામાં આવેલું છે. 19મી ડિસેમ્બરે અહીં બક્ષીવાલ પોલીસ ચોકી પર આતંકી હુમલો થયો હતો. આતંકવાદીઓએ પોલીસ ચોકીને નિશાન બનાવીને ગ્રેનેડ બોમ્બ ફેંક્યા અને ભાગી ગયા. પંજાબ પોલીસ, હુમલાખોર એવા આતંકવાદીઓ પર સતત નજર રાખી રહી હતી. આ દરમિયાન તેમને ખબર પડી કે ત્રણેય ખુંખાર આતંકીઓ ઉત્તર પ્રદેશના પીલીભીતમાં છુપાયેલા છે. યુપી પોલીસ અને પંજાબ પોલીસે, આજે સોમવારે સવારે પીલીભીતમાં હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન ત્રણેય માર્યા ગયા હતા.

પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓ જસન પ્રીત, વીરેન્દ્ર સિંહ અને ગુરવિંદર સિંહનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે જસન પ્રીત ગુરુદાસપુરના કલાનૌરના નિક્કા સુર ગામનો રહેવાસી હતો. ગામના લોકો તેને પ્રતાપ સિંહ કહીને બોલાવતા હતા. તેની ઉંમર 18 વર્ષની હોવાનું કહેવાય છે.

બોલીવુડનો એ જમાઈ, જેની સાસુની ઉંમર તેનાથી નાની છે, જુઓ તસવીર
Condom in Space : સ્પેસમાં કોન્ડોમ પહેરીને કેમ જાય છે અવકાશયાત્રીઓ ?
ફ્લાઈટમાં ટેકઓફ અને લેન્ડિંગ વખતે એર હોસ્ટેસ સીટ સીધી કરવાનુ કેમ કહે છે ?
47 મેચમાં ફક્ત 1 એવોર્ડ, હવે 8 મેચમાં 4 જીતી લીધા
Piles Remedy : પાઈલ્સ માટે બેસ્ટ ઔષધિ કઈ છે? જાણો
શાહરૂખ ખાનની પત્નીની રેસ્ટોરન્ટમાં પીરસાયુ નકલી પનીર? યુટ્યુબરે કર્યો દાવો

ત્રણ મહિના પહેલા જ લગ્ન થયા હતા

જસન પ્રીતની માતાએ જણાવ્યું કે તેનો પુત્ર ટ્રેક્ટર ચલાવતો હતો. તે આતંકવાદી પ્રવૃત્તિઓમાં કેવી રીતે સામેલ થયો તે ખબર નથી. જસન પ્રીતના લગ્ન ત્રણ મહિના પહેલા જ થયા હતા. ઘરમાં બધા ખુશ હતા. આઠ દિવસ પહેલા તે કોઈ કામના બહાને ઘરની બહાર ગયો હતો, પરંતુ પાછો આવ્યો ન હતો.

વીરેન્દ્ર સિંહ અને ગુરવિંદર સિંહ પણ ગુરુદાસપુરના રહેવાસી

પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા વીરેન્દ્ર સિંહ પણ ગુરુદાસપુરના કલાનૌરનો રહેવાસી છે. તે અગવાન ગામનો રહેવાસી છે. ગામ લોકો તેને રવિ કહે છે. તેમના પિતાનું નામ રણજીત સિંહ છે. તેની ઉંમર 23 વર્ષ હોવાનું કહેવાય છે. ત્રીજો આતંકી ગુરવિંદર સિંહ ગુરુદાસપુરના કલાનૌરનો રહેવાસી છે. તેની ઉંમર 25 વર્ષની હોવાનું કહેવાય છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે પીલીભીતમાં પોલીસે આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાનું કહ્યું, પરંતુ ત્રણેય પોલીસ ટીમને નિશાન બનાવીને ફાયરિંગ શરૂ કરી દીધું. પોલીસની જવાબી કાર્યવાહીમાં ત્રણેય આતંકીઓ ઘાયલ થયા હતા. તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ત્રણેયના મોત થયા હતા. ત્રણ આતંકવાદીઓનું એન્કાઉન્ટર પીલીભીતના પુરનપુરમાં નહેર પાસે થયું હતું.

આતંકીઓ પાસેથી 2 એકે 47 મળી આવી

પીલીભીતના એસપી અવિનાશ પાંડેએ જણાવ્યું કે એન્કાઉન્ટરમાં, ત્રણેય આતંકીઓ માર્યા ગયા છે. તેના પર પંજાબમાં પોલીસ ચોકી પર હુમલો કરવાનો આરોપ હતો. આતંકીઓ પાસેથી બે એકે 47 અને બે પિસ્તોલ મળી આવી છે. એન્કાઉન્ટર દરમિયાન યુપી પોલીસની ટીમ સાથે પંજાબ પોલીસની ટીમ પણ સામેલ હતી.

એડીજીએ શું કહ્યું?

ઉત્તર પ્રદેશના એડીજી કાયદો અને વ્યવસ્થા અમિતાભ યશે કહ્યું કે, યુપી પોલીસ અને પંજાબ પોલીસે મળીને આતંકવાદી મોડ્યુલને સફળતાપૂર્વક બેઅસર કરી દીધું છે. આ આતંકીઓ કોની સાથે કનેક્શન ધરાવે છે તેની તપાસ કરવામાં આવી રહી છે. અમે દેશની સાર્વભૌમત્વની સુરક્ષા માટે અન્ય રાજ્યોની પોલીસ અને એજન્સીઓ સાથે સંયુક્ત મોરચો બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.

વડોદરામાં મનપાના ખાલી પ્લોટમાં દારૂની બોટલો ક્યાંથી આવી?
વડોદરામાં મનપાના ખાલી પ્લોટમાં દારૂની બોટલો ક્યાંથી આવી?
રાજકોટમાં કોંગ્રેસે સિટી બસ કંપનીને બ્લેકલિસ્ટ કરવાની કરી માગ
રાજકોટમાં કોંગ્રેસે સિટી બસ કંપનીને બ્લેકલિસ્ટ કરવાની કરી માગ
ધાર્મિક સ્થાનોના દબાણ પર ફરી વળ્યું બુલડોઝર
ધાર્મિક સ્થાનોના દબાણ પર ફરી વળ્યું બુલડોઝર
સિગ્નલ ગ્રીન થતા જ સિટી બસ દોડી હતી બેફામ, 4ને મોતને ઘાટ ઉતાર્યા
સિગ્નલ ગ્રીન થતા જ સિટી બસ દોડી હતી બેફામ, 4ને મોતને ઘાટ ઉતાર્યા
બોડકદેવ વિસ્તારમાં BMW કારે સર્જ્યો અકસ્માત
બોડકદેવ વિસ્તારમાં BMW કારે સર્જ્યો અકસ્માત
કડીમાં નાયબ મામલતદાર 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
કડીમાં નાયબ મામલતદાર 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
આ રાશિના જાતકોએ આજે વાહન ચલાવવામાં રાખવી કાળજી
આ રાશિના જાતકોએ આજે વાહન ચલાવવામાં રાખવી કાળજી
આગામી 2 દિવસ ગરમીથી નહીં મળે રાહત, આ જિલ્લામાં હીટવેવની આગાહી
આગામી 2 દિવસ ગરમીથી નહીં મળે રાહત, આ જિલ્લામાં હીટવેવની આગાહી
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
g clip-path="url(#clip0_868_265)">