BREAKING NEWS : ત્રિપુરા, મેઘાલય-નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણીની ચૂંટણી પંચે કરી જાહેરાત
આ વર્ષે દેશના ત્રણ પૂર્વોત્તર રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કેન્દ્રીય ચૂંટણી પંચે (Election Commission) આ ત્રણેય રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે.
આ વર્ષે દેશના ત્રણ પૂર્વોત્તર રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કેન્દ્રીય ચૂંટણી પંચે આ ત્રણેય રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરી, મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારના નેતૃત્વમાં ચૂંટણી પંચે 11 થી 14 જાન્યુઆરી સુધી ત્રણેય પૂર્વોત્તર રાજ્યોની મુલાકાત લીધી હતી. આ સમયગાળા દરમિયાન, પંચે રાજકીય પક્ષો અને રાજ્ય, કેન્દ્રીય સુરક્ષા અને નાગરિક અધિકારીઓ સાથે ઘણી બેઠકો યોજી હતી.
There are more than 62.8 lakh electors combined in Nagaland, Meghalaya & Tripura including – 31.47 lakh female electors, 97,000 80+ voters, and 31,700 PwD voters. Over 1.76 lakh first-time voters to participate in the elections in 3 states: CEC Rajiv Kumar#TV9News pic.twitter.com/Nd94cIGByR
— Tv9 Gujarati (@tv9gujarati) January 18, 2023
ત્રિપુરાની 60 વિધાનસભા બેઠકો માટે 16 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થશે. 2 માર્ચે પરિણામ આવશે. તમને જણાવી દઈએ કે ત્રિપુરા વિધાનસભાનો કાર્યકાળ 22 માર્ચે સમાપ્ત થઈ રહ્યો છે. હાલમાં ત્રિપુરામાં ભાજપની સરકાર છે. નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. અહીં વિધાનસભાની 60 બેઠકો છે. હાલમાં નાગાલેન્ડમાં નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીની સરકાર છે અને નેફિયુ રિયો મુખ્યમંત્રી છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં અહીંની હરીફાઈ ખૂબ જ રસપ્રદ રહી હતી. ચૂંટણી પહેલા સમીકરણો અલગ હતા, જ્યારે ચૂંટણી પછી ગઠબંધન અલગ થઈ ગયું. મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થશે અને પરિણામ 2 માર્ચે જાહેર થશે. મેઘાલયમાં વર્તમાન સરકારનો કાર્યકાળ 15 માર્ચે પૂરો થઈ રહ્યો છે. મેઘાલયમાં 60 વિધાનસભા બેઠકો છે.
આ પણ વાંચો : BREAKING NEWS: ત્રિપુરા, મેઘાલય-નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણીની આજે જાહેરાત કરશે ચૂંટણી પંચ
નાગાલેન્ડમાં રાષ્ટ્રવાદી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીને 42 અને ભાજપેને 12 બેઠક પર જીત મળી
જ્યારે નાગાલેન્ડમાં હાલ ભાજપે ગઠબંધન સાથે સરકારની રચના કરી છે. જેમાં હાલ નેફિયુ રીઓ રાજ્યના મુખ્યમંત્રી છે. તેવો રાષ્ટ્રવાદી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના નેતા છે. જ્યારે ઉપ મુખ્યમંત્રી તરીકે ભાજપ નેતા યાન્થુંગુ પેટન છે. જ્યારે રાજ્ય 60 વિધાનસભા બેઠક ધરાવે છે. જેમાં વર્ષ 2018માં રાષ્ટ્રવાદી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીને 42 અને ભાજપેને 12 બેઠક પર જીત મળી હતી.
ત્રિપુરામા ભાજપે આઈપીએફટી સાથે મળી સરકારની રચના કરી
જેમાં ત્રિપુરામાં વર્ષ માર્ચ 2018માં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. 60 વિધાનસભા બેઠક ધરાવતી ત્રિપુરામા ભાજપે આઈપીએફટી સાથે મળી સરકારની રચના કરી છે. જેમાં હાલ માણેક સાહા મુખ્યમંત્રી છે. જેમાં વર્ષ 2018માં ભાજપને 34 અને આપીએફટીને 05 બેઠક મળી હતી. જ્યારે સીપીઆઇ(એમ) 15 અને કોંગ્રેસને 15 બેઠક મળી હતી.
મેઘાલયમાં એનપીપીના નેતા કોનાર્ડ સંગમા મુખ્યમંત્રી
જ્યારે મેઘાલયમાં એનપીપીની સરકાર છે. જેમાં એનપીપીના નેતા કોનાર્ડ સંગમા રાજ્યના મુખ્યમંત્રી છે. 60 સભ્યોની વિધાનસભામાં વર્ષ 2018માં એનપીપી પાર્ટીએ સૌથી વધુ 44 બેઠક પર જીત મેળવી હતી. જ્યારે યુડીપીને 08, પીડીએફને 04,મ ભાજપને 02, એચએસપીડીપી ને 02 અને અપક્ષના ફાળે એક બેઠક ગઈ હતી. વિધાનસભામાં મેઘાલયના ત્રણ પ્રદેશોનું પ્રતિનિધિત્વ છે. જેમાં 29 સભ્યો ખાસી હિલ્સમાંથી, 7 જૈંતીયા હિલ્સમાંથી અને 24 ગારો હિલ્સમાંથી ચૂંટાયેલા છે.