મથુરાથી જેવર એરપોર્ટ માટે સીધી બસ સેવા શરૂ, સમય અને પૈસા બંન્નેની બચત થશે
આજથી આગ્રા, મથુરા, અલીગઢ સહિત યુપીના 8 જિલ્લાઓથી નોઈડા એરપોર્ટ માટે સીધી બસ સેવા શરૂ થશે. સોમવારે આજથી નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પહેલી ફ્લાઇટે ઉડાન ભરી હતી.

નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલનની સાથે મુસાફરો માટે એક મોટી સુવિધા શરુ થઈ ગઈ છે. હવે ઉત્તરપ્રદેશના 8 જિલ્લાઓની સાથે નોઈડા એરપોર્ટ સુધી બસની સેવાનો લાભ લઈ શકશે. જેનાથી હવે મુસાફરોને વારંવાર એરપોર્ટ સુધી પહોંચવા માટે વાહન બદલાવાની પરેશાની થશે નહી. જો તમે પણ તમારા માતા-પિતા કે પરિવાર સાથે મથુરા જઈ રહ્યા છો. તો તમને અમદાવાદથી જેવર એરપોર્ટ અને ત્યાંથી સીધી બસની કનેક્ટિવિટી મળી જશે. જેનાથી સમય અને પૈસા બંન્નેની બચત થશે.
નોઈડા ઈન્ટરનેશલ એરપોર્ટ શરુ થવાની સાથે મુસાફરોને સુંદર સુવિધાઓ મળી રહી છે. હવે ઉત્તરપ્રદેશના અનેક શહેરોમાંથી જેવર સ્થિત એરપોર્ટ સુધી પહોંચવું સરળ થઈ જશે. મુસાફરોની સુવિધા માટે આજથી યુપીના 8 જિલ્લાથી નોઈડા એરપોર્ટ માટે સીધી બસ સેવા શરુ કરવામાં આવી છે. જેનાથી એરપોર્ટ સુધી આવવા-જવાનો સમય અને ખર્ચ બંન્નેની બચત થશે.
ઉત્તરપ્રદેશની રોડવેઝની બસ આગ્રા, ફિરોઝાબાદ,હાથરસ,મથુરા, અલીગઢ, એટા,કાસગંજ અને લખનૌથી સીધી નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધી શરુ કરવામાં આવશે. યમુના ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે મુસાફરો સુંદર કનેક્ટિવિટી આપવા માટે અનેક પરિવહન એજન્સીઓ સાથે કરાર કરવામાં આવ્યા છે, જેનાથી એરપોર્ટ સુધી પહોંચવું સરળ બનશે.
નમો ભારત અને મેટ્રોથી મળશે નવો ઓપ્શન
ભવિષ્યમાં નોઈડા એરપોર્ટ સુધી પહોંચવું સરળ થશે. ગાઝિયાબાદથી નોઈડા એરપોર્ટ સુધી નમો ભારત અને મેટ્રો પ્રોજેક્ટ પ્રસ્તાવિત છે. આ અંદાજે 72 કિલોમીટર લાંબા કોરિડોર પર બાવીસ સ્ટેશન બનાવવામાં આવશે. તેનો ડીપીઆર કેન્દ્ર સરકારને સુપરત કરવામાં આવ્યો છે. ગુરુગ્રામને એરપોર્ટ સાથે જોડવાની પણ યોજનાઓ ચાલી રહી છે, જેનો સીધો લાભ દિલ્હી-એનસીઆરના લાખો રહેવાસીઓને થશે.
રેલવે સાથે પણ જોડાશે એરપોર્ટ
ભારતીય રેલ્વે ચોલા-રૂંધી રેલ્વે લાઇન પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. એરપોર્ટ નજીક એક નવું રેલ્વે સ્ટેશન બનાવવામાં આવશે, જેનાથી મુસાફરો વંદે ભારત, રાજધાની અને શતાબ્દી જેવી ટ્રેનોમાં સીધા દેશના વિવિધ ભાગોમાં મુસાફરી કરી શકશે.
દેશનું સૌથી મોટું ટ્રાન્સપોર્ટ હબ પણ બનાવવામાં આવશે
ગ્રેટર નોઇડાના બોડાકી ગામમાં દેશનું સૌથી મોટું મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ વિકસાવવામાં આવી રહ્યું છે. આનાથી હવાઈ, રેલ અને રોડ પરિવહનને એક જ નેટવર્કમાં એકીકૃત કરવામાં મદદ મળશે.
