Delhi Lockdown : દિલ્લીમાં કોરોના રોગને કાબુમાં લેવા, 31 મી મે સુધી લંબાવાયુ લોકડાઉન

Delhi Lockdown : રાજધાની દિલ્લીમાં કોરોનાના સંક્રમણનો દર ઘણો ઓછો થઇ ગયો છે. અહીં સંક્રમણનો દર 3 ટકાથી પણ નીચે આવ્યો છે. તેમ છતાં સીએમ અરવિંદ કેજરીવાલે લોકડાઉમાં કોઇ છૂટ આપી નથી. કેજરીવાલ સરકારે દિલ્લીમાં લગાવવામાં આવેલા લોકડાઉનની અવધિ ફરીએક વાર વધારી છે. 

Delhi Lockdown : દિલ્લીમાં કોરોના રોગને કાબુમાં લેવા, 31 મી મે સુધી લંબાવાયુ લોકડાઉન
સીએમ અરવિંદ કેજરીવાલ (ફાઇલ ફોટો)
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 23, 2021 | 5:46 PM

Delhi Lockdown : રાજધાની દિલ્લીમાં (Delhi) કોરોનાના સંક્રમણનો દર ઘણો ઓછો થઇ ગયો છે. અહીં સંક્રમણનો દર 3 ટકાથી પણ નીચે આવ્યો છે. તેમ છતાં સીએમ અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) કોઇ છૂટ આપી નથી. કેજરીવાલ સરકારે દિલ્લીમાં લગાવવામાં આવેલા લોકડાઉનની અવધિ ફરી એક વાર વધારી છે.

સીએમ અરવિંદ કેજરીવાલે રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે દિલ્લીવાસીઓના અભિપ્રાય અનુસાર લોકડાઉન (Lockdown) એક અઠવાડિયા સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકડાઉન સોમવાર (31 મે) સવારે પાંચ વાગ્યા સુધી રહેશે અને પહેલાની જેમ જ પ્રતિબંધો રહેશે.તેમણે આગળ કહ્યુ કે દિલ્લીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1600 દર્દીઓ નોંધાયા છે અને સંક્રમણનો દર માત્ર 2.5 ટકા થયો છે જે એક સમયે 36 ટકા પર પહોંચી ગયો હતો.

કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ
કેપ્ટન બનતા જ સૂર્યકુમાર યાદવના ખરાબ દિવસ શરૂ, ટીમથી થશે બહાર!
કોહલીની જેમ આ સ્ટાર ખેલાડીએ આખા શરીરે ચિતરાવ્યા ટેટૂ, જાણો કોણ છે
હાર્દિક પંડ્યા પાસેથી છીનવાશે T20ની કપ્તાની, BCCI જલ્દી લેશે નિર્ણય!
સીતાફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા,જાણીને રહી જશો દંગ
ભુલી ગયા છો આધાર કાર્ડનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર? આ રીતે જાણી શકાશે

કોરોના પર મેળવી રહ્યા છીએ કાબુ 

સીએમ કેજરીવાલે આગળ જણાવ્યુ કે દેશમાં બીજી લહેર આવી ત્યારે સૌથી પહેલુ લોકડાઉન દેશમાં દિલ્લીમાં આપવામાં આવ્યુ હતુ. એક મહિનામાં દિલ્લીના લોકોની શિસ્તના કારણે કોરોનાની લહેર નબળી પડી રહી હોય તેમ લાગી રહ્યુ છે અને આપણે કોરોના પર કાબુ મેળવી રહ્યા છીએ. સૌ કોઇએ મળીને સમસ્યાને સમાપ્ત કરવામાં મોટી ભૂમિકા નિભાવી છે.

કેજરીવાલે આગળ કહ્યુ કે ડૉક્ટર્સ અને નર્સે 24 કલાક કામ કર્યુ છે. કેટલાય ડૉક્ટર શહિદ થયા ,આપણે તેમના ઋણી રહીશું. અમારા પ્રયત્નો છે કે એ શહિદોને 1 કરોડની રાશિ આપવામાં આવે અને તે અમે આપી રહ્યા છીએ. તેમણે આગળ જણાવ્યુ કે અમને આશા છે કે રસીની સમસ્યા જલ્દી પૂર્ણ થઇ જશે. સીએમ કેજરીવાલે આગળ જણાવ્યું કે ત્રીજી લહેર આવશે તો દિલ્લી સરકાર તેની પણ તૈયારી કરી રહી છે.

દિલ્લીમાં સંક્રમણનો દર ઘટ્યો  

આપને જણાવી દઇએ કે દિલ્લીમાં 19 એપ્રિલ રાત્રિના 10 વાગ્યાથી લોકડાઉન ચાલુ છે. ત્યારથી લઇ અત્યાર સુધી લોકડાઉન પાંચ વાર વધારવામાં આવ્યુ છે.તેનો ફાયદો એ થયો કે સંક્રમણનો જે દર 36 ટકા સુધી પહોંચી ગયો હતો, તે હવે 3 ટકા જેટલો થઇ ગયો છે. પરંતુ સરકારનું માનવું છે કે જો તરત છૂટ આપી દેવામાં આવે તો ગડબડ થઇ શકે છે. એટલે સરકારે દિલ્લીમાં લોકડાઉનની અવધિ એક અઠવાડિયા સુધી વધારી દીધી છે.

Latest News Updates

પાલિતાણામાં 29 વર્ષિય યુુવકને હાર્ટએટેક આવતા મોત
પાલિતાણામાં 29 વર્ષિય યુુવકને હાર્ટએટેક આવતા મોત
મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ
મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ
બોટાદમાં બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર
બોટાદમાં બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર
પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ
પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ
સૌરાષ્ટ્રના ખેડૂતોને મણ લસણ પર મળ્યા 2500થી લઇ 3500 ભાવ
સૌરાષ્ટ્રના ખેડૂતોને મણ લસણ પર મળ્યા 2500થી લઇ 3500 ભાવ
શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? જુઓ વીડિયો
શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? જુઓ વીડિયો
રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેમ આવ્યા સામસામે
રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેમ આવ્યા સામસામે
દાહોદ : નકલી કચેરીના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ
દાહોદ : નકલી કચેરીના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ
કુંડળીમાં 'કુસુમ' નામનો યોગ બનાવે છે જાતકને 'કિંગ' જાણવા જુઓ વીડિયો
કુંડળીમાં 'કુસુમ' નામનો યોગ બનાવે છે જાતકને 'કિંગ' જાણવા જુઓ વીડિયો
ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
g clip-path="url(#clip0_868_265)">