AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: CBI મનીષ સિસોદિયાની 7 કલાકથી પૂછપરછ કરી રહી છે, કેજરીવાલે કહ્યુ- સિસોદિયા સામે નોંધાયેલ કેસ નકલી

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને દિલ્હી સરકારની નવી આબકારી નીતિમાં અનિયમિતતા અંગે ફરિયાદ મળ્યા બાદ CBI તપાસની ભલામણ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ CBIએ મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરોડા લગભગ 14 કલાક સુધી ચાલ્યા હતા.

Delhi: CBI મનીષ સિસોદિયાની 7 કલાકથી પૂછપરછ કરી રહી છે, કેજરીવાલે કહ્યુ- સિસોદિયા સામે નોંધાયેલ કેસ નકલી
Manish Sisodia
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2022 | 7:39 PM
Share

દિલ્હી નવી આબકારી નીતિ કૌભાંડના મામલામાં આમ આદમી પાર્ટીના (AAP) વરિષ્ઠ નેતા અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા (Manish Sisodia) સોમવારે CBI ઓફિસ પહોંચ્યા હતા. સીબીઆઈની ટીમ લગભગ 7 કલાકથી તેની પૂછપરછ કરી રહી છે. તેની પૂછપરછ હજુ પૂરી થઈ નથી. આ કેસમાં, CBIએ મનીષ સિસોદિયા અને અન્ય 15 આરોપીઓ વિરુદ્ધ IPC કલમ 120B (ગુનાહિત કાવતરું), 477A (એકાઉન્ટ્સમાં હેરાફેરી) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 હેઠળ કેસ નોંધ્યો હતો. સીબીઆઈની એફઆઈઆરમાં સિસોદિયાનું નામ પહેલા નંબર પર છે.

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને દિલ્હી સરકારની નવી આબકારી નીતિમાં અનિયમિતતા અંગે ફરિયાદ મળ્યા બાદ CBI તપાસની ભલામણ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ CBIએ મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરોડા લગભગ 14 કલાક સુધી ચાલ્યા હતા. તેના પર દિલ્હી એક્સાઇઝ પોલિસી – 2021-22નું ઉલ્લંઘન કરવાનો, દારૂના વેપારીઓને ફાયદો પહોંચાડવાનો અને સરકારી તિજોરીને અબજોનું નુકસાન પહોંચાડવાનો આરોપ છે.

સિસોદિયા સામે નોંધાયેલ કેસ નકલી છે: કેજરીવાલ

સાથે જ મનીષ સિસોદિયાની પૂછપરછને લઈને આમ આદમી પાર્ટી ભાજપ અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત AAP નેતાઓએ દાવો કર્યો છે કે, મનીષ સિસોદિયા વિરુદ્ધ નોંધાયેલ કેસ નકલી છે. તેમને ગુજરાતમાં પ્રચાર કરતા રોકવા માટે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. AAP નેતાએ કહ્યું કે સિસોદિયા ભગત સિંહના અનુયાયી છે. દેશ માટે જેલ જવાનો ડર નથી. તે જ સમયે, મનીષ સિસોદિયાએ પણ તેમના પર લાગેલા આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે જો તેમની ધરપકડ કરવામાં આવે તો પણ AAPનું ચૂંટણી પ્રચાર બંધ નહીં થાય.

નાટક કરી રહ્યા છે AAP નેતા: મનોજ તિવારી

AAP નેતાઓના પ્રહાર પર ઉત્તર-પૂર્વ દિલ્હીના બીજેપી સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે AAP નેતાઓ કથિત દારૂ કૌભાંડ અંગે તેમને પૂછવામાં આવેલા પ્રશ્નો પરથી ધ્યાન હટાવવા માટે નાટક કરી રહ્યા છે. મનીષ સિસોદિયાએ આબકારી નીતિમાં ભ્રષ્ટાચાર અંગેના એક પણ પ્રશ્નનો જવાબ આપ્યો નથી, એમ તેમણે દાવો કર્યો હતો. ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતા દસ્તાવેજી પુરાવા અને સ્ટિંગ વીડિયો છે, પરંતુ તેઓ હંમેશા આ મુદ્દાને વાળ્યા છે.

હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
હોર્મુઝ સ્ટ્રેટમાં ભારત આવતા જહાજ પર હુમલો
હોર્મુઝ સ્ટ્રેટમાં ભારત આવતા જહાજ પર હુમલો
g clip-path="url(#clip0_868_265)">