Delhi: CBI મનીષ સિસોદિયાની 7 કલાકથી પૂછપરછ કરી રહી છે, કેજરીવાલે કહ્યુ- સિસોદિયા સામે નોંધાયેલ કેસ નકલી

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને દિલ્હી સરકારની નવી આબકારી નીતિમાં અનિયમિતતા અંગે ફરિયાદ મળ્યા બાદ CBI તપાસની ભલામણ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ CBIએ મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરોડા લગભગ 14 કલાક સુધી ચાલ્યા હતા.

Delhi: CBI મનીષ સિસોદિયાની 7 કલાકથી પૂછપરછ કરી રહી છે, કેજરીવાલે કહ્યુ- સિસોદિયા સામે નોંધાયેલ કેસ નકલી
Manish Sisodia
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2022 | 7:39 PM

દિલ્હી નવી આબકારી નીતિ કૌભાંડના મામલામાં આમ આદમી પાર્ટીના (AAP) વરિષ્ઠ નેતા અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા (Manish Sisodia) સોમવારે CBI ઓફિસ પહોંચ્યા હતા. સીબીઆઈની ટીમ લગભગ 7 કલાકથી તેની પૂછપરછ કરી રહી છે. તેની પૂછપરછ હજુ પૂરી થઈ નથી. આ કેસમાં, CBIએ મનીષ સિસોદિયા અને અન્ય 15 આરોપીઓ વિરુદ્ધ IPC કલમ 120B (ગુનાહિત કાવતરું), 477A (એકાઉન્ટ્સમાં હેરાફેરી) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 હેઠળ કેસ નોંધ્યો હતો. સીબીઆઈની એફઆઈઆરમાં સિસોદિયાનું નામ પહેલા નંબર પર છે.

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને દિલ્હી સરકારની નવી આબકારી નીતિમાં અનિયમિતતા અંગે ફરિયાદ મળ્યા બાદ CBI તપાસની ભલામણ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ CBIએ મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરોડા લગભગ 14 કલાક સુધી ચાલ્યા હતા. તેના પર દિલ્હી એક્સાઇઝ પોલિસી – 2021-22નું ઉલ્લંઘન કરવાનો, દારૂના વેપારીઓને ફાયદો પહોંચાડવાનો અને સરકારી તિજોરીને અબજોનું નુકસાન પહોંચાડવાનો આરોપ છે.

સિસોદિયા સામે નોંધાયેલ કેસ નકલી છે: કેજરીવાલ

સાથે જ મનીષ સિસોદિયાની પૂછપરછને લઈને આમ આદમી પાર્ટી ભાજપ અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત AAP નેતાઓએ દાવો કર્યો છે કે, મનીષ સિસોદિયા વિરુદ્ધ નોંધાયેલ કેસ નકલી છે. તેમને ગુજરાતમાં પ્રચાર કરતા રોકવા માટે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. AAP નેતાએ કહ્યું કે સિસોદિયા ભગત સિંહના અનુયાયી છે. દેશ માટે જેલ જવાનો ડર નથી. તે જ સમયે, મનીષ સિસોદિયાએ પણ તેમના પર લાગેલા આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે જો તેમની ધરપકડ કરવામાં આવે તો પણ AAPનું ચૂંટણી પ્રચાર બંધ નહીં થાય.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

નાટક કરી રહ્યા છે AAP નેતા: મનોજ તિવારી

AAP નેતાઓના પ્રહાર પર ઉત્તર-પૂર્વ દિલ્હીના બીજેપી સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે AAP નેતાઓ કથિત દારૂ કૌભાંડ અંગે તેમને પૂછવામાં આવેલા પ્રશ્નો પરથી ધ્યાન હટાવવા માટે નાટક કરી રહ્યા છે. મનીષ સિસોદિયાએ આબકારી નીતિમાં ભ્રષ્ટાચાર અંગેના એક પણ પ્રશ્નનો જવાબ આપ્યો નથી, એમ તેમણે દાવો કર્યો હતો. ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતા દસ્તાવેજી પુરાવા અને સ્ટિંગ વીડિયો છે, પરંતુ તેઓ હંમેશા આ મુદ્દાને વાળ્યા છે.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">