AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: CBI કરી રહી છે મનીષ સિસોદિયાની પૂછપરછ, કેજરીવાલે કહ્યું- મનીષ 8 ડિસેમ્બર સુધી જેલમાં રહેશે

સીબીઆઈ (CBI) દિલ્હી એક્સાઈઝ પોલિસીમાં કથિત અનિયમિતતાના કેસની તપાસ કરી રહી છે. આ પહેલા પણ સીબીઆઈ ઘણી વખત મનીષ સિસોદિયાના સ્થળો પર દરોડા પાડી ચૂકી છે. તેની ઘણી વખત પૂછપરછ પણ કરવામાં આવી છે.

Delhi: CBI કરી રહી છે મનીષ સિસોદિયાની પૂછપરછ, કેજરીવાલે કહ્યું- મનીષ 8 ડિસેમ્બર સુધી જેલમાં રહેશે
Manish Sisodia
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2022 | 12:59 PM
Share

દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત અનિયમિતતાના મામલામાં પૂછપરછ માટે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia) સોમવારે સવારે 11 વાગે CBI ઓફિસ પહોંચ્યા હતા. સીબીઆઈએ સિસોદિયાની પૂછપરછ શરૂ કરી છે. આ પહેલા તેમણે રાજ્યસભા સાંસદ સંજય સિંહ સાથે રાજઘાટ પર બાપુની સમાધિના દર્શન કર્યા હતા. અહીંથી તેઓ સીબીઆઈ ઓફિસ ગયા હતા. તેમની સાથે વાહનો અને સમર્થકોનો લાંબો કાફલો પણ સીબીઆઈ ઓફિસ પહોંચ્યો હતો. જો કે, સીબીઆઈ ઓફિસની બહાર પોલીસે સિસોદિયાને એક્ઝિટ ગેટથી જ પ્રવેશવાની મંજૂરી આપી હતી. બીજી તરફ કેજરીવાલે (Arvind Kejriwal) દાવો કર્યો હતો કે ગુજરાત ચૂંટણીના પરિણામ ન આવે ત્યાં સુધી મનીષને જેલમાં રાખવામાં આવશે.

કાફલામાં અન્ય તમામને સીબીઆઈ કાર્યાલયની 100 મીટર પહેલા રોકી દેવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે સીબીઆઈ દિલ્હી એક્સાઈઝ પોલિસીમાં કથિત અનિયમિતતાના કેસની તપાસ કરી રહી છે. આ પહેલા પણ સીબીઆઈ ઘણી વખત મનીષ સિસોદિયાના સ્થળો પર દરોડા પાડી ચૂકી છે. તેની ઘણી વખત પૂછપરછ પણ કરવામાં આવી છે. જો કે, મનીષ સિસોદિયાએ દાવો કર્યો છે કે અત્યાર સુધી સીબીઆઈને તેમની પાસેથી આ કેસ સંબંધિત કંઈપણ મળ્યું નથી.

તેમણે પોતાના સમર્થકોની સામે ફરી એક વાર દાવો કર્યો કે આ કેસ સંપૂર્ણપણે નકલી છે. કારણ કે ભાજપ ગુજરાતમાં હારી રહ્યું છે. તેઓ પોતે ગુજરાતના પ્રવાસે જવાના હતા. તેથી જ તેમને ગુજરાતમાં જતા રોકવા માટે આ આખી રમત રમાઈ રહી છે. બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ગુજરાતના પરિણામો 8 ડિસેમ્બરે આવશે. ત્યાં સુધી આ લોકો મનીષને જેલમાં રાખશે.

સિસોદિયા એન્ટ્રી રજિસ્ટરમાં સહી કરીને અંદર ગયા

દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા સીબીઆઈ હેડ ક્વાર્ટર પર પહોંચતા જ તેમને એન્ટ્રી રજિસ્ટર આપવામાં આવ્યું હતું. જેના પર સહી કર્યા બાદ સીબીઆઈની ટીમ તેની સાથે અંદર ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે હાલ તેમની પૂછપરછ ચાલુ છે. પૂછપરછ કરતા તમામ અધિકારીઓ પાસે પ્રશ્નોની અલગ અલગ યાદી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પૂછપરછ થોડી લાંબી થઈ શકે છે. હકીકતમાં, આ પૂછપરછ દરમિયાન સિસોદિયાને અન્ય આરોપીઓ અને સાક્ષીઓના નિવેદનો પણ સાંભળવાના છે.

મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
g clip-path="url(#clip0_868_265)">