Corona Virus: દેશમાં કોરોના સંક્રમણમાં મોટો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 3,993 નવા કેસ આવ્યા સામે

સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન 108 લોકોના મોત બાદ કોરોના વાઈરસથી મૃત્યુ પામનારા લોકોનો આંકડો 5,15,210 પર પહોંચી ગયો છે.

Corona Virus: દેશમાં કોરોના સંક્રમણમાં મોટો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 3,993 નવા કેસ આવ્યા સામે
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 11:12 AM

કોરોના વાઈરસનો (Corona virus) કહેર દેશમાં હવે સતત ઘટતો જોવા મળી રહ્યો છે. આજે દેશભરમાં કોરોના સંક્રમણના 3,993 નવા કેસ (Corona Cases In India) નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 108 દર્દીઓના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Union Health Ministry) જણાવ્યું કે ભારતમાં કોરોના વાઈરસના એેક્ટિવ દર્દી હવે ઘટીને 50 હજારથી ઓછા રહ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન 108 લોકોના મોત બાદ કોરોના વાઈરસથી મૃત્યુ પામનારા લોકોનો આંકડો 5,15,210 પર પહોંચી ગયો છે. જ્યારે ભારતમાં કોરોનાના એક્ટિવ દર્દી ઓછા થઈને 50 હજારથી પણ ઓછા એટલે કે 49,948 રહી ગયા છે. જે કુલ કેસના 0.12 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી છે કે સોમવારે ભારતમાં સંક્રમણથી 8,055 લોકો સાજા થયા, ત્યારબાદ કોરોનાથી અત્યાર સુધી સાજા થનારા લોકોની સંખ્યા 4,24,06,150 થઈ ગઈ છે.

કોરોના વેક્સિનનેશનનો આંકડો 179 કરોડને પાર

દેશમાં દૈનિક પોઝિટીવિટી રેટ 0.46 ટકા છે. વિકલી પોઝિટીવિટી રેટ 0.68 ટકા છે. ત્યારે રિક્વરી રેટ હવે 98.68 ટકા થઈ ગયો છે. તેની વચ્ચે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે દેશમાં સોમવારે કોરોના વાઈરસ માટે 8,73,395 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા. ત્યારબાદ દેશમાં સેમ્પલ ટેસ્ટિંગનો આંકડો હવે 77.43 કરોડ થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે સમગ્ર દેશમાં અત્યાર સુધી 179.13 કરોડ કોરોના વેક્સિનના ડોઝ લગાવવામાં આવી ચૂક્યા છે. નવા આંકડાઓ મુજબ ભારતમાં કુલ વેક્સિનેશનનો આંકડો હવે 1,79,13,41,295 થઈ ગયો છે.

ગુજરાતમાં કોરોનાના વળતા પાણી

રાજયમાં જિલ્લાવાર કોરોનાની સ્થિતિ પર એક નજર કરીએ તો 7 માર્ચે અમદાવાદ જિલ્લામાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા, વડોદરામાં કોરોનાના નવા 9 કેસ સામે આવ્યા, સુરતમાં કોરોનાના નવા 2 કેસ નોંધાયા, ગાંધીનગર જિલ્લામાં કોરોનાના નવા 2 કેસ નોંધાયા તો અરવલ્લી, બનાસકાંઠા, જામનગર, રાજકોટ અને સાંબરકાંઠા જિલ્લામાં 1-1 કેસ નોંધાયા છે. આ સિવાયના રાજયના તમામ જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. કોરોનાને કારણે રાજકોટ અને સુરતમાં 1-1 દર્દીનું મોત થયું છે, આમ રાજયમાં આજે કોરોનાને કારણે 2 દર્દી મોતને ભેટ્યા છે.

આ પણ વાંચો: International Women’s Day: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગૂગલે મહિલાઓ માટે બનાવ્યું એક ખાસ ડૂડલ

આ પણ વાંચો: Russia Ukraine War : યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ‘No-Fly Zone’ ની કરી માગ, જાણો શું છે નો-ફ્લાય ઝોન?

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">