AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પહેલા ચીન અને હવે પાકિસ્તાનની ડિગ્રીઓની માન્યતા રદ, જાણો શું છે તેનું કારણ

જો તમે ભારતીય વિદ્યાર્થી છો અને વિદેશમાં અભ્યાસ કરવાનું વિચારી રહ્યા છો, તો પાકિસ્તાનને તમારી યાદીમાંથી બહાર રાખો. હકીકતમાં, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) એ તેમની નવી એડવાઈઝરીમાં ભારતીય વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પાકિસ્તાન ન જવાની સલાહ આપી છે.

પહેલા ચીન અને હવે પાકિસ્તાનની ડિગ્રીઓની માન્યતા રદ, જાણો શું છે તેનું કારણ
De-recognition of degrees (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 3:16 PM
Share

આ એડવાઈઝરી મુજબ પાકિસ્તાનમાંથી (Pakistan) મેળવેલી કોઈપણ ડિગ્રી ભારતમાં માન્ય રહેશે નહીં અને આ ડિગ્રીને ભારતમાં નોકરી મેળવવા માટે લાયક ગણવામાં આવશે નહીં. ગયા મહિને સરકારે ચીનમાંથી (China) ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓને પણ ચેતવણી આપી હતી. હકીકતમાં ચીનના કોરોના પ્રતિબંધોને કારણે હજારો ભારતીય વિદ્યાર્થીઓ ચીન પરત ફરી શક્યા નથી અને તેમનો અભ્યાસ રોકાઈ ગયો છે. તેમજ રશિયા સાથેના તાજેતરના યુદ્ધને કારણે દેશમાં પરત ફરી રહેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ અસર પડી છે. સરકારના આ નિર્ણયને આ કારણો સાથે જોડવામાં આવી રહ્યો છે.

પાકિસ્તાની ડિગ્રીઓની માન્યતા રદ

ભારતમાં ઉચ્ચ શિક્ષણના નિયમનકારો UGC અને AICTEએ 23 એપ્રિલે જાહેર કરેલી તેમની નવી એડવાઈઝરીમાં ભારતીય વિદ્યાર્થીઓને પાકિસ્તાનની કોઈપણ કોલેજ કે શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ ન લેવાની સલાહ આપી છે. UGC અને AICTEએ તેમની સંયુક્ત એડવાઈઝરીમાં કહ્યું છે કે પાકિસ્તાનમાંથી મેળવેલી કોઈપણ ડિગ્રી ભારતમાં નોકરી અથવા ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે માન્ય રહેશે નહીં. આ નિયમ તમામ ભારતીય નાગરિકો અને વિદેશમાં રહેતા ભારતીયોને લાગુ પડશે. ભારતીય નાગરિકતા મેળવવા માંગતા સ્થળાંતર કરનારા અને તેમના બાળકોને આ નિયમમાંથી શરતી મુક્તિ આપવામાં આવી છે.

UGC અને AICTE મુજબ સ્થળાંતર કરનારા અને તેમના બાળકો જેમણે પાકિસ્તાનમાં ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યું છે અને તેમને ભારત દ્વારા નાગરિકતા આપવામાં આવી છે. આવા વ્યક્તિઓ ગૃહ મંત્રાલયની સુરક્ષા મંજૂરી પછી ભારતમાં નોકરીની શોધ માટે પાત્ર બનશે.

UGC અને AICTE દ્વારા લેવામાં આવેલા આ પગલા બાદ પાકિસ્તાને ભારતને આ મુદ્દે પોતાનું વર્તન સ્પષ્ટ કરવા કહ્યું છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે આ જાહેર માહિતીને લઈને ભારત સરકાર પાસેથી સ્પષ્ટતા માંગી છે. ભારતની આ ભેદભાવપૂર્ણ અને કથિત કાર્યવાહીના જવાબમાં પાકિસ્તાન યોગ્ય પગલાં લેવાનો અધિકાર રાખે છે.

સરકાર દ્વારા પાકિસ્તાનમાંથી મેળવેલી ડિગ્રીઓની માન્યતા રદ કરવાની અસર મુખ્યત્વે કાશ્મીરી વિદ્યાર્થીઓને પડશે. પાકિસ્તાનમાં ભારતના મોટાભાગના વિદ્યાર્થીઓ કાશ્મીરના છે. પાકિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓની ચોક્કસ સંખ્યા સત્તાવાર રીતે જાણી શકાયું નથી. પાકિસ્તાનમાં અભ્યાસ કરતા કાશ્મીરી વિદ્યાર્થીઓની સંખ્યા 200થી 1000ની વચ્ચે હોવાનો અંદાજ છે. એક મીડિયા રિપોર્ટ મુજબ 2020માં ભારતના 200થી વધુ વિદ્યાર્થીઓ પાકિસ્તાનમાં અભ્યાસ કરી રહ્યા હતા, જેમાંથી મોટાભાગના જમ્મુ અને કાશ્મીરના હતા.

એક રિપોર્ટ મુજબ J&K સ્ટુડન્ટ એસોસિએશનના ફાઉન્ડર પ્રેસિડેન્ટ નાસિર ખોમેની મુજબ પાકિસ્તાનમાં 1000 કાશ્મીરી વિદ્યાર્થીઓ છે. અહેવાલો મુજબ કાશ્મીરના મોટાભાગના વિદ્યાર્થીઓ મેડિકલ અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે પાકિસ્તાન જાય છે.

2020માં મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (MCI)એ જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના વિદ્યાર્થીઓને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માંથી તબીબી અભ્યાસક્રમો ન લેવા ચેતવણી આપી હતી. MCIએ પોતાની એડવાઈઝરીમાં કહ્યું હતું કે જો કે જમ્મુ અને કાશ્મીરનો સમગ્ર વિસ્તાર ભારતનો ભાગ છે, પરંતુ PoKમાં સ્થિત સંસ્થાઓને ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટ 1956 હેઠળ માન્યતા નથી, તેથી ત્યાંથી મેળવેલી ડિગ્રી ભારતમાં માન્ય નથી.

આ પ્રતિબંધોને કારણે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ ચાલુ રાખવા માટે ચીન પરત ફરી શક્યા નથી. અત્યાર સુધી પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા નથી. રિપોર્ટ મુજબ 20,000 ભારતીય વિદ્યાર્થીઓ ચીનની કોલેજોમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે. કોરોનાના કારણે ચીનની તમામ યુનિવર્સિટીઓ બંધ છે અને મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ દેશમાં પરત ફર્યા છે. અગાઉ, ચીને કહ્યું હતું કે અભ્યાસક્રમો ઓનલાઈન હાથ ધરવામાં આવશે, પરંતુ UGCએ સ્પષ્ટતા કરી છે કે જો ચીનમાંથી મેળવેલ ઓનલાઈન ડિગ્રીઓ માટે પરવાનગી લેવામાં નહીં આવે તો તેને દેશમાં માન્યતા આપવામાં આવશે નહીં.

UGCના નિર્ણય પછી ચીનમાં અભ્યાસ કરતા હજારો ભારતીય તબીબી વિદ્યાર્થીઓને ડર છે કે જો તેમનો અભ્યાસ ઑનલાઈન ચાલુ રહેશે તો પ્રેક્ટિકલના અભાવને કારણે તેમની ડિગ્રીઓ અમાન્ય થઈ શકે છે. અગાઉ, નેશનલ મેડિકલ કાઉન્સિલ (NMC)એ 8 ફેબ્રુઆરીના રોજ સ્પષ્ટતા કરી હતી કે વિદેશમાંથી મેડિકલ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ કે જેમણે મેડિકલ અભ્યાસક્રમો ઓનલાઈન લીધા છે તેઓ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ એક્ઝામિનેશન (FMGE)માં બેસવા માટે લાયક રહેશે નહીં, જે ભારતમાં પ્રેક્ટિસ માટે જરૂરી છે.

યુક્રેન પર રશિયાના તાજેતરના હુમલા પછી 18 હજાર ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હતા, જેમને સરકાર સુરક્ષિત રીતે દેશમાં પરત લાવી હતી. યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓનો અભ્યાસ અધવચ્ચે જ અટવાઈ ગયો છે. તેમાં મેડિકલનો અભ્યાસ કરતા હજારો ભારતીય વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે, જેઓ યુક્રેનથી દેશમાં પરત ફર્યા છે.

ભારતીય વિદ્યાર્થીઓના શિક્ષણને ખરાબ થવાથી બચાવવા માટે સરકાર યુક્રેન જેવી શિક્ષણ પ્રણાલી સાથે પડોશી દેશોની કોલેજોનો સંપર્ક કરી રહી છે, જેથી ભારતીય વિદ્યાર્થીઓ ત્યાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે. પાકિસ્તાનની બાબતમાં સરકારનું આ પગલું બંને દેશો વચ્ચેના ખરાબ સંબંધોને કારણે હોવાનું માનવામાં આવે છે. આ સાથે પાકિસ્તાનમાં ઈમરાન સરકારના પતન, ત્યાંની અસ્થિર રાજકીય અને કથળતી આર્થિક સ્થિતિ પણ તેનું કારણ હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો: Raisina Dialogue 2022 : પીએમ મોદી આજે રાયસીના ડાયલોગનું ઉદ્ઘાટન કરશે, 90 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે

આ પણ વાંચો: Nigeria Oil Refinery Blast: નાઈજીરિયામાં મોટી દુર્ઘટના, ઓઈલ રિફાઈનરીમાં વિસ્ફોટ, 100 લોકોના મોતની આશંકા

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">