AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nigeria Oil Refinery Blast: નાઈજીરિયામાં મોટી દુર્ઘટના, ઓઈલ રિફાઈનરીમાં વિસ્ફોટ, 100 લોકોના મોતની આશંકા

Nigeria Oil Refinery Blast: નાઈજીરીયા(Nigeria)ના રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારી (Muhammadu Buhari) એ એક નિવેદન જાહેર કરીને વિસ્ફોટને અકસ્માત અને રાષ્ટ્રીય આપત્તિ ગણાવી હતી.

Nigeria Oil Refinery Blast: નાઈજીરિયામાં મોટી દુર્ઘટના, ઓઈલ રિફાઈનરીમાં વિસ્ફોટ, 100 લોકોના મોતની આશંકા
100 killed after blast at Nigerian oil refineryImage Credit source: AP
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 12:54 PM
Share

Nigeria Oil Refinery Blast: દક્ષિણ-પૂર્વ નાઈજીરીયા (Nigeria)માં ગેરકાયદેસર ઓઈલ રિફાઈનરીમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 100 લોકોના મોતની આશંકા છે. એક સ્થાનિક તેલ અધિકારીએ રવિવારે આ માહિતી આપી હતી. અધિકારીએ જણાવ્યું કે ઘટનાસ્થળે મૃતદેહોની શોધખોળ તેજ કરવામાં આવી છે. આ સિવાય વિસ્ફોટ (blast)માં સંડોવાયેલા બે શંકાસ્પદોની પણ શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. નાઈજીરીયાના રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારી (Muhammadu Buhari)એ એક નિવેદન જાહેર કરીને વિસ્ફોટને અકસ્માત અને રાષ્ટ્રીય આપત્તિ ગણાવી હતી. સરકારી અધિકારીઓએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું કે વિસ્ફોટ શુક્રવારે રાત્રે ઈમો રાજ્યના સરકારી માલિકીના ઓહાજી-અગબેમા વિસ્તારમાં સ્થિત રિફાઈનરીમાં થયો હતો.

નાઈજીરિયા આફ્રિકામાં સૌથી વધુ તેલ ઉત્પાદક દેશ

આ વિસ્ફોટ બે ઈંધણ સ્ટોરેજ વિસ્તારોમાં આગને કારણે થયો હતો, જ્યાં 100થી વધુ લોકો કામ કરતા હતા. ડઝનેક કામદારો આ વિસ્ફોટમાં ફસાઈ ગયા હતા. જ્યારે અન્ય ઘણા લોકોએ ભાગીને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ઈમો રાજ્યના પેટ્રોલ સંસાધનોના કમિશનર ગુડલક ઓપિયાએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં મૃત્યુઆંક 100 આસપાસ હોવાનો અંદાજ છે. તેમણે કહ્યું કે આગ લાગ્યા પછી ઘણા લોકો ઝાડીઓ તરફ ભાગવા લાગ્યા, જ્યાં તેઓ દાઝી જવાથી મૃત્યુ પામ્યા. જોકે નાઈજીરિયા આફ્રિકામાં સૌથી વધુ તેલ ઉત્પાદક દેશ છે. પરંતુ તેલની અછત અને ગેરકાયદેસર રિફાઈનરીના કારણે તેનું ઉત્પાદન પ્રભાવિત થયું છે.

ગેરકાયદેસર રિફાઈનરીઓ દ્વારા તેલની ચોરી થાય છે

જાન્યુઆરી 2021થી ફેબ્રુઆરી 2022ની વચ્ચે નાઈજીરીયામાં 3 બિલિયનના તેલની ચોરી થઈ હતી. દૂરના વિસ્તારોમાં રિફાઈનરીઓ સ્થપાઈ છે. જ્યાં વિસ્ફોટ થયો હતો, તે દૂરના વિસ્તારમાં પણ સ્થાપિત થયો હતો. Imo સ્ટેટ કમિશનર ડેક્કન અમેલુમ્બાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ બે ગુનેગારો ફરાર છે અને પોલીસ હવે તેમને શોધી રહી છે. અધિકારીઓએ શકમંદોની ઓળખ જાહેર કરી નથી. તેમણે કહ્યું કે આ ઘટનામાં માર્યા ગયેલા લોકોને સામૂહિક રીતે દફનાવવામાં આવશે.

આ પણ વાંચો :

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM ઠાકરેએ બોલાવી સર્વપક્ષીય બેઠક, લાઉડસ્પીકરના મુદ્દે થશે ચર્ચા

આ પણ વાંચો :

યુરોપ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ મેક્રોન સાથે કરશે મુલાકાત, ભારત-ફ્રાન્સ સંબંધોને મજબૂત કરવા પર લગાવશે જોર

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">