AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nigeria Oil Refinery Blast: નાઈજીરિયામાં મોટી દુર્ઘટના, ઓઈલ રિફાઈનરીમાં વિસ્ફોટ, 100 લોકોના મોતની આશંકા

Nigeria Oil Refinery Blast: નાઈજીરીયા(Nigeria)ના રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારી (Muhammadu Buhari) એ એક નિવેદન જાહેર કરીને વિસ્ફોટને અકસ્માત અને રાષ્ટ્રીય આપત્તિ ગણાવી હતી.

Nigeria Oil Refinery Blast: નાઈજીરિયામાં મોટી દુર્ઘટના, ઓઈલ રિફાઈનરીમાં વિસ્ફોટ, 100 લોકોના મોતની આશંકા
100 killed after blast at Nigerian oil refineryImage Credit source: AP
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 12:54 PM
Share

Nigeria Oil Refinery Blast: દક્ષિણ-પૂર્વ નાઈજીરીયા (Nigeria)માં ગેરકાયદેસર ઓઈલ રિફાઈનરીમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 100 લોકોના મોતની આશંકા છે. એક સ્થાનિક તેલ અધિકારીએ રવિવારે આ માહિતી આપી હતી. અધિકારીએ જણાવ્યું કે ઘટનાસ્થળે મૃતદેહોની શોધખોળ તેજ કરવામાં આવી છે. આ સિવાય વિસ્ફોટ (blast)માં સંડોવાયેલા બે શંકાસ્પદોની પણ શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. નાઈજીરીયાના રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારી (Muhammadu Buhari)એ એક નિવેદન જાહેર કરીને વિસ્ફોટને અકસ્માત અને રાષ્ટ્રીય આપત્તિ ગણાવી હતી. સરકારી અધિકારીઓએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું કે વિસ્ફોટ શુક્રવારે રાત્રે ઈમો રાજ્યના સરકારી માલિકીના ઓહાજી-અગબેમા વિસ્તારમાં સ્થિત રિફાઈનરીમાં થયો હતો.

નાઈજીરિયા આફ્રિકામાં સૌથી વધુ તેલ ઉત્પાદક દેશ

આ વિસ્ફોટ બે ઈંધણ સ્ટોરેજ વિસ્તારોમાં આગને કારણે થયો હતો, જ્યાં 100થી વધુ લોકો કામ કરતા હતા. ડઝનેક કામદારો આ વિસ્ફોટમાં ફસાઈ ગયા હતા. જ્યારે અન્ય ઘણા લોકોએ ભાગીને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ઈમો રાજ્યના પેટ્રોલ સંસાધનોના કમિશનર ગુડલક ઓપિયાએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં મૃત્યુઆંક 100 આસપાસ હોવાનો અંદાજ છે. તેમણે કહ્યું કે આગ લાગ્યા પછી ઘણા લોકો ઝાડીઓ તરફ ભાગવા લાગ્યા, જ્યાં તેઓ દાઝી જવાથી મૃત્યુ પામ્યા. જોકે નાઈજીરિયા આફ્રિકામાં સૌથી વધુ તેલ ઉત્પાદક દેશ છે. પરંતુ તેલની અછત અને ગેરકાયદેસર રિફાઈનરીના કારણે તેનું ઉત્પાદન પ્રભાવિત થયું છે.

ગેરકાયદેસર રિફાઈનરીઓ દ્વારા તેલની ચોરી થાય છે

જાન્યુઆરી 2021થી ફેબ્રુઆરી 2022ની વચ્ચે નાઈજીરીયામાં 3 બિલિયનના તેલની ચોરી થઈ હતી. દૂરના વિસ્તારોમાં રિફાઈનરીઓ સ્થપાઈ છે. જ્યાં વિસ્ફોટ થયો હતો, તે દૂરના વિસ્તારમાં પણ સ્થાપિત થયો હતો. Imo સ્ટેટ કમિશનર ડેક્કન અમેલુમ્બાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ બે ગુનેગારો ફરાર છે અને પોલીસ હવે તેમને શોધી રહી છે. અધિકારીઓએ શકમંદોની ઓળખ જાહેર કરી નથી. તેમણે કહ્યું કે આ ઘટનામાં માર્યા ગયેલા લોકોને સામૂહિક રીતે દફનાવવામાં આવશે.

આ પણ વાંચો :

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM ઠાકરેએ બોલાવી સર્વપક્ષીય બેઠક, લાઉડસ્પીકરના મુદ્દે થશે ચર્ચા

આ પણ વાંચો :

યુરોપ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ મેક્રોન સાથે કરશે મુલાકાત, ભારત-ફ્રાન્સ સંબંધોને મજબૂત કરવા પર લગાવશે જોર

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">