AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશના પ્રથમ વડાપ્રધાન નહેરુએ વિદેશની 3 સંસદને સંબોધી હતી, જ્યારે વર્તમાન PM મોદીએ 19 સંબોધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014 થી 2026 દરમિયાન વિદેશની 19 સંસદોને સંબોધિત કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મનમોહન સિંહે 7, ઇન્દિરા ગાંધીએ 4 અને જવાહરલાલ નહેરુએ 3 વિદેશની સંસદને સંબોધી હતી. પીએમ મોદીએ, યુએસ, યુકે, ઇઝરાયલ, ઓસ્ટ્રેલિયા અને અન્ય ઘણા દેશોની સંસદોમાં ભારતનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો.

દેશના પ્રથમ વડાપ્રધાન નહેરુએ વિદેશની 3 સંસદને સંબોધી હતી, જ્યારે વર્તમાન PM મોદીએ 19 સંબોધી
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2026 | 12:28 PM
Share

દેશના વર્તમાન વડાપ્રધાન આગામી સપ્તાહે, દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરનુ સૌથી વધુ દિવસ વડાપ્રધાન પદ પર બિરાજવાનો વિક્રમ તોડી નાખશે. આ પ્રસંગે, દેશના રાજકીય પૃષ્ઠભૂમિ પર વર્તમાન નરેન્દ્ર મોદી અને દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના કાર્યકાળ અને શાસનની રાજકીય વિશ્લેષકો ખાસ તુલના કરી રહ્યાં છે.

દેશના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014 થી જૂન 2026 સુધીના દરમિયાન વિવિધ 19 દેશની સંસદને સંબોધી છે. આ એક એવો રેકોર્ડ છે, જે ભારત દેશના અન્ય કોઈ વડાપ્રધાન દ્વારા કરાયો નથી.ગત સપ્તાહે, ભાજપે જણાવ્યું હતું કે, PM મોદીએ તેમના કોઈપણ પુરોગામી કરતાં વધુ વિદેશી સંસદમાં સંબોધન કર્યું છે. ભાજપ આ ઘટનાને ભારતની વિશ્વમાં વધતી જતી શક્તિ, રાજદ્વારી પ્રભાવ અને આંતરરાષ્ટ્રીય સ્તરના પુરાવા તરીકે ઓળખાવી રહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર, ભાજપે નોંધ્યું હતું કે, પીએમ મોદીએ યુએસ કોંગ્રેસથી લઈને ઇઝરાયલના નેસેટ સુધીની સંસ્થાઓને સંબોધિત કર્યા છે.

ભારતીય જનતા પાર્ટીના મતે, આ એક એવી સિદ્ધિ દર્શાવે છે કે ભારતનો અવાજ વૈશ્વિક મંચ પર વધુ મજબૂત બન્યો છે. ડેટા દર્શાવે છે કે, ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ તેમના કાર્યકાળ દરમિયાન માત્ર ત્રણ વિદેશી સંસદને સંબોધિત કર્યા હતા. ઇન્દિરા ગાંધીએ ચાર અને મનમોહન સિંહે સાત વિદેશી સંસદને સંબોધન કરી હતી. જ્યારે રાજીવ ગાંધી અને અટલ બિહારી વાજપેયીએ બે-બે વિદેશી સંસદોને સંબોધિત કર્યા હતા.

2014માં 4 રાષ્ટ્રોની સંસદોને સંબોધન

2014માં વડા પ્રધાન બન્યાના થોડા સમય પછી, નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયા, ફીજી, નેપાળ અને ભૂટાનની સંસદોને સંબોધિત કર્યા હતા. ત્યારબાદ, 2015માં, તેમણે મોરેશિયસની રાષ્ટ્રીય સભા, શ્રીલંકાની સંસદ, મોંગોલિયાની સંસદ અને યુકેની સંસદમાં ભાષણો આપ્યા હતા.

ડિસેમ્બર 2015માં, મોદીએ અફઘાનિસ્તાનની સંસદને સંબોધિત કરી હતી. જૂન 2016માં, તેમણે પ્રથમ વખત યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું – આ ઘટના તેમના સૌથી નોંધપાત્ર વિદેશી ભાષણોમાંની એક માનવામાં આવે છે. ત્યારબાદ, તેમણે 2018 માં યુગાન્ડા અને 2019 માં માલદીવની સંસદમાં ભાષણો આપ્યા.

2023 માં, મોદીએ બીજી વખત યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું. ત્યાં, તેમણે કહ્યું કે ભારત “લોકશાહીની માતા” છે અને લોકશાહી ચર્ચા, સંવાદ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને પ્રોત્સાહન આપે છે. ભાજપના મતે, મોદીએ 2024 માં ગુયાનાની સંસદને સંબોધિત કરી હતી. જુલાઈ 2025 માં, તેમણે ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો અને નામિબિયાની સંસદમાં ભાષણો આપ્યા હતા. ત્યારબાદ, તેમણે ઇથોપિયાની સંસદને પણ સંબોધિત કરી હતી.

પીએમ મોદીએ 99 દેશની મુલાકાતો કરી

તાજેતરમાં, વડા પ્રધાન મોદીએ ઇઝરાયલની સંસદ, નેસેટને સંબોધિત કરી હતી. સંબોધન દરમિયાન, તેમણે 7 ઓક્ટોબર, 2023 ના રોજ હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાનો ઉલ્લેખ કર્યો હતો અને જીવ ગુમાવનારા ઇઝરાયલી નાગરિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમને ઇઝરાયલી સંસદનું સર્વોચ્ચ સન્માન પણ આપવામાં આવ્યું હતું. ફેબ્રુઆરી 2026 સુધીમાં, વડા પ્રધાન મોદીએ 79 દેશોમાં 99 વિદેશ મુલાકાત કરી હતી. વિદેશી સંસદોમાં તેમના ભાષણો ભારતની વધતી જતી વૈશ્વિક ભૂમિકા અને આંતરરાષ્ટ્રીય પ્રભાવને પ્રતિબિંબિત કરે છે.

જવાહરલાલ નેહરુ અને નરેન્દ્ર મોદીના કાર્યકાળ વચ્ચે શું તફાવત? જાણો તેમના નેતૃત્વ વિશે

Follow Us
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
g clip-path="url(#clip0_868_265)">