AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: કોરોનાની બીજી લહેર હજુ પૂરી નથી થઈ, 8 રાજ્યોમાં સ્થિતિ નાજૂક – આરોગ્ય મંત્રાલયની ચેતવણી

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યુ છે કે દેશના 44 જિલ્લાઓ એવા છે જ્યા કોરોનાના કેસ 10 ટકાથી વધુ છે. આ જિલ્લાઓ કેરળ, મણિપૂર, મિઝોરમ અને નાગાલેન્ડના છે. વિશ્વભરમાં કોરોનાના નવા નવા કેસ સામે આવી રહ્યાં છે. મહામારી હજૂ દૂર નથી થઈ.

Coronavirus: કોરોનાની બીજી લહેર હજુ પૂરી નથી થઈ, 8 રાજ્યોમાં સ્થિતિ નાજૂક - આરોગ્ય મંત્રાલયની ચેતવણી
Love Agarwal, Joint Secretary, Ministry of Health
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 8:25 PM
Share

દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. ત્યારે કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે મંગળવારે ચેતવણી ઉચ્ચારી છે કે, દેશના 18 જિલ્લાઓમાં કોરોનાના કેસમાં છેલ્લા એક મહિનામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ એવા 18 જિલ્લાઓ છે કે જ્યા કોરોનાના કુલ કેસના 47.5 ટકા કેસ નોંધાયા છે. કેરળના 10 જિલ્લાઓમાં છેલ્લા એક અઠવાડિયામાં 40.6 ટકા કોરોનાના નવા કેસ સામે આવ્યા છે.

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યુ કે, 10 મેના રોજ દેશમાં 37 લાખ કોરોનાના પોઝીટીવ કેસ હતા જે ઘટીને હવે 4 લાખ થયા છે. એક રાજ્ય એવુ છે કે, જ્યા એક લાખથી વધુ પોઝીટીવ કેસ છે. અને આઠ રાજ્ય એવા છે કે જ્યા 10,000થી લઈને એક લાખ સુધીના કેસ છે. દેશના 27 રાજ્યો એવા છે કે, જ્યા 10,000થી ઓછા કેસ છે. તેમણે કહ્યું કે, 1 જૂનના રોજ 279 જિલ્લાઓ એવા હતા કે, જ્યા 100થી વધુ કેસ સામે આવી રહ્યાં હતા. પરંતુ હવે એવા જિલ્લાઓની સંખ્યા ઘટીને 57 થઈ ગઈ છે. 222 જિલ્લામાં કોરોનાના નવા કેસની સંખ્યા ઘટી છે.

44 જિલ્લાઓમાં કોરોના સંક્રમણના કેસ 10 ટકાથી વધુ

લવ અગ્રવાલે કહ્યુ કે, દેશના 44 જિલ્લાઓ એવા છે જ્યા કોરોનાના કેસ 10 ટકાથી વધુ છે. આ જિલ્લાઓ કેરળ, મણિપૂર, મિઝોરમ અને નાગાલેન્ડના છે. વિશ્વભરમાં કોરોનાના નવા નવા કેસ સામે આવી રહ્યાં છે. મહામારી હજૂ દૂર નથી થઈ. જ્યા સુધી ભારતને લાગે છે ત્યા સુધી કોરોનાની બીજી લહેર સમાપ્ત નથી થઈ. રિપ્રોડકશન (R) નંબરને પણ ગણીને કેસનો ગ્રોથ રેટ અને સક્રીય કેસની સંખ્યા નક્કી કરવામાં આવે છે. આ કોરોનાની પીક દરમિયાન એક સંક્રમિત વ્યક્તિ દ્વારા થનારા નવા સંક્રમણની સરેરાસ સંખ્યા છે.

તેમણે એમ પણ કહ્યુ કે, જ્યારે પણ રિપ્રોડકશન (R) નંબર ઉપર હોય ત્યારે તેનો અર્થ એ થાય કે સંક્રમણ વધી રહ્યું છે. તેને નિયંત્રણમાં લેવાની જરૂર છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ભારતમાં સરેરાશ રિપ્રોડકશન નંબર 1.2 છે. એનો મતલબ એવો કરી શકાય કે એક સંક્રમિત વ્યક્તિ એક કરતા વધુ લોકોને સંક્રમીત કરી રહ્યો છે. ભારતના 8 રાજ્યોમાં આ R ફેકટર વધુ છે.

દેશના જે આઠ રાજ્યોમાં રિપ્રોડકશન નંબર વધી રહ્યાં છે તેમાં હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મિર, લક્ષ્યદ્વિપ, તામિલનાડુ, મિઝોરમ, કર્ણાટક, પુડ્ડુચેરી અને કેરળનો સમાવેશ થાય છે. જ્યારે સાત રાજ્યોમાં રિપ્રોડકશન નંબર સ્થિર છે. જેમાં નાગાલેન્ડ, મેઘાલય, હરિયાણા, ગોવા, ઝારખંડ, દિલ્લી અને તેની આસપાસના વિસ્તાર તેમજ પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. આ સિવાય આન્ધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ રિપ્રોડકશન નંબર ઓછા થઈ રહ્યાં છે.

દેશમાં અત્યાર સુધીમાં 47.85 કરોડ લોકોને અપાઈ છે રસી આરોગ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર, દેશમાં અત્યાર સુધીમાં 47.85 કરોડ લોકોને કોરોનાની રસીના ડોઝ આપી દેવાયો છે. જેમાં 37.26 કરોડ લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો છે. જ્યારે 10.59 કરોડ લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. મે મહિનાની સરખામણીએ જુલાઈમાં અપાયેલ રસીના ડોઝ બમણાથી વધુ છે. કેટલાક રાજ્યોમાં 3 કરોડથી લોકોને રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે. જેમાં ઉતરપ્રદેશમાં 4.88 કરોડ, મહારાષ્ટ્રમાં 4.5 કરોડ અને ગુજરાતમાં 3.4 કરોડ લોકોને રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે.

આ પણ વાંચોઃ ઓક્ટોબર-નવેમ્બરમાં વધુ ચાર ફાર્મા કંપનીઓ વેક્સિનનું ઉત્પાદન શરુ કરી શકે છેઃ મનસુખ માંડવિયા

આ પણ વાંચોઃ Rajkot: જિલ્લાના 25 ગામડાઓમાં થયું 100 ટકા વેક્સિનેશન, જિલ્લાનું કુલ 40 ટકા રસીકરણ

ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
g clip-path="url(#clip0_868_265)">