Rajkot: જિલ્લાના 25 ગામડાઓમાં થયું 100 ટકા વેક્સિનેશન, જિલ્લાનું કુલ 40 ટકા રસીકરણ

ગ્રામ્ય વિસ્તારોમાં પહેલા લોકોમાં જાગૃતતા ઓછી હતી, પરંતુ હવે લોકોમાં જાગૃતતા આવી છે અને લોકો રસીકરણ તરફ આગળ આવી રહ્યા છે, તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે

Rajkot: જિલ્લાના 25 ગામડાઓમાં થયું 100 ટકા વેક્સિનેશન, જિલ્લાનું કુલ 40 ટકા રસીકરણ
corona vaccination
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 03, 2021 | 6:36 PM

રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશન (Corona Vaccination) પુરજોશમાં ચાલી રહ્યું છે. જિલ્લાના 25 જેટલા ગામડાઓમાં 100 ટકા વેક્સિનેશન પુરૂ થઈ જતા જિલ્લા કલેક્ટરે આરોગ્ય વિભાગની કામગીરી બિરદાવી છે. આ સાથે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 40 ટકા જેટલું વેક્સિનેશન પૂર્ણ થઈ ગયું છે. આ અંગે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ કહ્યુ હતુ કે જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં પહેલા લોકોમાં જાગૃતતા ઓછી હતી, પરંતુ હવે લોકોમાં જાગૃતતા આવી છે અને લોકો રસીકરણ તરફ આગળ આવી રહ્યા છે, તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે અને જિલ્લામાં વેક્સિનેશનની ટકાવારી 40 ટકાથી આગળ વધશે તેવો દાવો કર્યો હતો.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

ત્રીજી લહેર પહેલા સાવચેતી જરૂરી-કલેક્ટર

જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ કહ્યું હતુ કે અન્ય રાજ્યોમાં ત્રીજી લહેરના પગલે કોરોનાના કેસોની સંખ્યા વધવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે લોકોએ સતર્ક રહેવાની જરૂર છે. માસ્ક અને સોશિયલ ડિસટન્સનું ચુસ્તપણે પાલન થાય તેવી અપીલ કરી હતી. આ ઉપરાંત તંત્ર દ્વારા ત્રીજી લહેર પહેલા તમામ સરકાર અને ખાનગી હોસ્પિટલોમાં સુવિધાઓની ચકાસણી કરીને તેને સજ્જ કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર દ્વારા ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે પણ બેઠક કરીને સ્થિતિની સમિક્ષા કરવામાં આવી છે.

પછાત તાલુકાઓમાં હજુ વેક્સિનેશન ધીમું

જિલ્લામાં સૌથી ધીમું વેક્સિનેશન વિંછીયા તાલુકામાં થઈ રહ્યું છે આ વિસ્તાર શૈક્ષણિક રીતે પછાત વિસ્તાર છે અને અહીં લોકોને વેક્સિનેશન માટે સમજાવવા તંત્ર માટે સૌથી મોટો પડકાર છે. જો કે 18 વર્ષથી 44 વર્ષનું વેક્સિનેશન શરૂ થયું, ત્યારબાદ આ ટકાવારીમાં થોડો ઉછાળો આવ્યો છે. જો કે અહીં આજે પણ લોકો અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાઓમાં માનતા હોવાથી વેક્સિનેશન ધીમું થઈ રહ્યું છે, જે તંત્ર માટે ચિંતાજનક છે.

આ પણ વાંચો : Rajkot: CM વિજય રૂપાણીએ જન્મદિવસે કોરોનામાં પોતાના માતા પિતા ગુમાવનાર બાળકો સાથે લીધુ ભોજન

આ પણ વાંચો : RAJKOT : વજુભાઇ વાળાની સક્રિય રાજકારણમાં એન્ટ્રી નિશ્ચિત, કઇ જવાબદારી સોંપાશે તેના પર સૌની નજર

 

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">