AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: જિલ્લાના 25 ગામડાઓમાં થયું 100 ટકા વેક્સિનેશન, જિલ્લાનું કુલ 40 ટકા રસીકરણ

ગ્રામ્ય વિસ્તારોમાં પહેલા લોકોમાં જાગૃતતા ઓછી હતી, પરંતુ હવે લોકોમાં જાગૃતતા આવી છે અને લોકો રસીકરણ તરફ આગળ આવી રહ્યા છે, તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે

Rajkot: જિલ્લાના 25 ગામડાઓમાં થયું 100 ટકા વેક્સિનેશન, જિલ્લાનું કુલ 40 ટકા રસીકરણ
corona vaccination
Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 03, 2021 | 6:36 PM
Share

રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશન (Corona Vaccination) પુરજોશમાં ચાલી રહ્યું છે. જિલ્લાના 25 જેટલા ગામડાઓમાં 100 ટકા વેક્સિનેશન પુરૂ થઈ જતા જિલ્લા કલેક્ટરે આરોગ્ય વિભાગની કામગીરી બિરદાવી છે. આ સાથે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 40 ટકા જેટલું વેક્સિનેશન પૂર્ણ થઈ ગયું છે. આ અંગે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ કહ્યુ હતુ કે જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં પહેલા લોકોમાં જાગૃતતા ઓછી હતી, પરંતુ હવે લોકોમાં જાગૃતતા આવી છે અને લોકો રસીકરણ તરફ આગળ આવી રહ્યા છે, તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે અને જિલ્લામાં વેક્સિનેશનની ટકાવારી 40 ટકાથી આગળ વધશે તેવો દાવો કર્યો હતો.

ત્રીજી લહેર પહેલા સાવચેતી જરૂરી-કલેક્ટર

જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ કહ્યું હતુ કે અન્ય રાજ્યોમાં ત્રીજી લહેરના પગલે કોરોનાના કેસોની સંખ્યા વધવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે લોકોએ સતર્ક રહેવાની જરૂર છે. માસ્ક અને સોશિયલ ડિસટન્સનું ચુસ્તપણે પાલન થાય તેવી અપીલ કરી હતી. આ ઉપરાંત તંત્ર દ્વારા ત્રીજી લહેર પહેલા તમામ સરકાર અને ખાનગી હોસ્પિટલોમાં સુવિધાઓની ચકાસણી કરીને તેને સજ્જ કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર દ્વારા ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે પણ બેઠક કરીને સ્થિતિની સમિક્ષા કરવામાં આવી છે.

પછાત તાલુકાઓમાં હજુ વેક્સિનેશન ધીમું

જિલ્લામાં સૌથી ધીમું વેક્સિનેશન વિંછીયા તાલુકામાં થઈ રહ્યું છે આ વિસ્તાર શૈક્ષણિક રીતે પછાત વિસ્તાર છે અને અહીં લોકોને વેક્સિનેશન માટે સમજાવવા તંત્ર માટે સૌથી મોટો પડકાર છે. જો કે 18 વર્ષથી 44 વર્ષનું વેક્સિનેશન શરૂ થયું, ત્યારબાદ આ ટકાવારીમાં થોડો ઉછાળો આવ્યો છે. જો કે અહીં આજે પણ લોકો અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાઓમાં માનતા હોવાથી વેક્સિનેશન ધીમું થઈ રહ્યું છે, જે તંત્ર માટે ચિંતાજનક છે.

આ પણ વાંચો : Rajkot: CM વિજય રૂપાણીએ જન્મદિવસે કોરોનામાં પોતાના માતા પિતા ગુમાવનાર બાળકો સાથે લીધુ ભોજન

આ પણ વાંચો : RAJKOT : વજુભાઇ વાળાની સક્રિય રાજકારણમાં એન્ટ્રી નિશ્ચિત, કઇ જવાબદારી સોંપાશે તેના પર સૌની નજર

 

રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
g clip-path="url(#clip0_868_265)">