ઓક્ટોબર-નવેમ્બરમાં વધુ ચાર ફાર્મા કંપનીઓ વેક્સિનનું ઉત્પાદન શરુ કરી શકે છેઃ મનસુખ માંડવિયા

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ( Union Health Minister Mansukh Mandaviya ) કહ્યુ કે, રસીકરણ સારી રીતે ચાલી રહી છે. આવનારા દિવસોમાં વધુ ચાર ભારતીય કંપનીઓ રસીનું ઉત્પાદન શરૂ કરશે

ઓક્ટોબર-નવેમ્બરમાં વધુ ચાર ફાર્મા કંપનીઓ વેક્સિનનું ઉત્પાદન શરુ કરી શકે છેઃ મનસુખ માંડવિયા
Union Health Minister Mansukh Mandvia
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 5:28 PM

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ( Union Health Minister Mansukh Mandaviya ) મંગળવારે સંસદમાં કહ્યુ કે, ચાર ભારતીય ફાર્મા કંપનીઓ ઓક્ટોબર- નવેમ્બર સુધીમાં એન્ટી કોરોના વાયરસ વેક્સિનનું ઉત્પાદન શરુ કરશે તેવી આશા છે. ભારતમાં અત્યાર સુધીમાં 47 કરોડ વેકિસન અપાઈ ચૂકી છે. કેન્દ્ર સરકાર ઝડપથી દેશભરના લોકોને વેક્સિન મળે તેવી કામગીરી કરી રહી છે.

મનસુખ માંડવિયાએ કહ્યુ કે, ખાનગી હોસ્પિટલોમાં ઉપયોગમાં નહી લેવાયેલ 7થી 9 ટકા જેટલા વેક્સિનના ડોઝ પણ સરકારી રસી કેન્દ્ર ઉપર ઉપયોગમાં લેવાયા છે. પેગાસસ અને કૃષિબીલના મુદ્દે વિપક્ષ દ્વારા મચાવાયેલા હોબાળાની વચ્ચે કેન્દ્રિય આરોગ્ય પ્રધાને જણાવ્યુ કે, રસીકરણનો કાર્યક્રમ સારી રીતે ચાલી રહ્યો છે. આવનારા દિવસોમાં વધુ ચાર ભારતીય કંપનીઓ રસીનું ઉત્પાદન શરૂ કરશે. તેની સાથે રસીકરણના કાર્યક્રમમાં વધુ ઝડપ આવશે.

બાયોલોજિકલ ઈ અને નોવાર્ટિસની પણ વેક્સિન ઉપલબ્ધ થશે તેમણે વધુમાં કહ્યુ કે, સરકારને આશા છે કે, વધુ ચાર કંપનીઓ રસીનુ ઉત્પાદન શરૂ કરશે તેનાથી આપણી જરૂરીયાતને પૂરી કરી શકાશે. આવનારા દિવસોમાં બાયોલોજિકલ ઈ અને નોવાર્ટિસની પણ વેક્સિન બજારમાં મળતી થઈ જશે. જ્યારે ઝાયડસ કેડિલા દ્વારા ઉત્પાદિત રસીને બહુ ઝડપથી તજજ્ઞોની સમિતિ દ્વારા કટોકટીમાં ઉપયોગમાં લેવા માટે મંજૂરી આપવામાં આવશે. હાલ બે કંપની, ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટીટ્યુટ દ્વારા સરકારને વેક્સિનનો જથ્થો પૂરો પાડવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યુ કે સ્પૂતનિક વેક્સિન ઉપલબ્ધ છે અને તેનુ ઉત્પાદન પણ શરૂ થઈ ચૂક્યુ છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યુ કે, રસીકરણના કાર્યક્રમ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં 47 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. જે વિશ્વભરમાં સૌથી વધુ છે. આપણે આવનારા દિવસોમાં રસીકરણની પ્રક્રિયાને વધુ ઝડપ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ખાનગી હોસ્પિટલોને અપાતા વેક્સિનના જથ્થામાં ઘટાડો કરવા અંગે ભાજપના સાંસદ સુશીલકુમાર મોદીના સવાલનો જવાબ આપતા માંડવિયાએ કહ્યુ કે, એ જરૂરી નથી, ખાનગી હોસ્પિટલો દ્વારા અપાતી રસી માટે વેક્સિનનો જથ્થા સરકાર દ્વારા નક્કી કરાઈ રહ્યો છે. દેશભરની જનતાને વધુ ઝડપથી કોરોના વિરોધી રસી મળે તે માટે સરકાર પ્રયત્નશીલ હોવાનું જણાવ્યુ હતું.

આ પણ વાંચોઃ શું નાગરિકોને COVID-19 રસીના ત્રીજા અથવા બૂસ્ટર ડોઝની જરૂર પડશે? બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો જવાબ

આ પણ વાંચોઃ INDIA CORONA UPDATE : 6 દિવસ સુધી 40,000 થી વધુ કેસ આવ્યાં બાદ દેશમાં દૈનિક કોરોના કેસમાં મોટો ઘટાડો નોંધાયો

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">