Corona Updates : દેશમાં કોરોનાના આંકડા ડરામણા, છેલ્લા 24 કલાકમાં 3377 નવા કેસ નોંધાયા

મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં સક્રિય દર્દીઓની (Corona active case) સંખ્યામાં 821 નો વધારો થયો છે. આ રીતે સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 17801 થઈ ગઈ છે,જે કુલ કોવિડ કેસના માત્ર 0.04 ટકા છે.

Corona Updates : દેશમાં કોરોનાના આંકડા ડરામણા, છેલ્લા 24 કલાકમાં 3377 નવા કેસ નોંધાયા
Corona Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 9:57 AM

ભારતમાં કોરોના વાયરસના (Corona Virus) કેસ ફરી ઝડપથી વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 3377 નવા કેસ નોંધાયા છે. ઉપરાંત કોરોનાને (Corona Case) કારણે 60 લોકો મૃત્યુ પામ્યા છે. ગુરુવારે ભારતમાં કોવિડ -19 ના 3,303 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 39 લોકોના મોત થયા હતા. આ રીતે, છેલ્લા 24 કલાકમાં ફરી એકવાર કેસમાં વધારો નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના (Health Ministry) ડેટા અનુસાર, આ સમય દરમિયાન 2496 લોકો કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં સક્રિય દર્દીઓની(Active Case)  સંખ્યામાં 821 નો વધારો થયો છે. આ રીતે સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 17801 થઈ ગઈ છે. આ કુલ કોવિડ કેસના માત્ર 0.04 ટકા છે. કોવિડમાંથી 2496 દર્દીઓ સાજા થયા બાદ કોરોનાથી સાજા થનારા દર્દીઓની કુલ સંખ્યા વધીને 42,530,622 થઈ ગઈ છે. મંત્રાલયના આંકડા મુજબ દેશમાં રિકવરી રેટ 98.74 ટકા છે. કોવિડના કારણે 60 નવા લોકોના મોત બાદ દેશમાં કોરોનાથી મૃતકોની સંખ્યા વધીને 5,23,753 થઈ ગઈ છે. આ રીતે કોવિડ મૃત્યુ દર 1.22 ટકા છે. ગુરુવારે 46 દિવસ પછી દેશમાં દરરોજ ત્રણ હજારથી વધુ કેસ નોંધાયા હતા.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

વેક્સિનના 188.65 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા

દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં એન્ટી-કોવિડ-19 રસીના 188.65 કરોડથી વધુ ડોઝ (vaccine Dose) આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં લોકોને 22,80,743 ડોઝ આપવામાં આવ્યા છે. કોવિડથી બચવા અને વાયરસને નિયંત્રણમાં રાખવા માટે દેશમાં ઝડપી રસીકરણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત ઘણા રાજ્યોમાં વધતા કોવિડ કેસને ધ્યાનમાં રાખીને, માસ્ક અને જરૂરી કોવિડ પગલાં ફરીથી લાગુ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નિયમોનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે, 7 ઓગસ્ટ 2020ના રોજ દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા 20 લાખને વટાવી ગઈ હતી, 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખથી વધુ કેસ નોંધાયા હતા. ઉપરાંત 16 સપ્ટેમ્બર 2020ના રોજ કોવિડના કેસ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગયા હતા. 19 ડિસેમ્બર 2020 ના રોજ દેશમાં આ કેસ એક કરોડને વટાવી ગયા હતા. ગયા વર્ષે 4 મેના રોજ, સંક્રમિતોની સંખ્યા 20 મિલિયનને વટાવી ગઈ હતી અને 23 જૂન, 2021 ના ​​રોજ, તે 30 મિલિયનને વટાવી ગઈ હતી. આ વર્ષે 26 જાન્યુઆરીએ કેસ ચાર કરોડને વટાવી ગયા હતા.

આ પણ વાંચોઃ  કોંગ્રેસમાં જોડાવાનો ઈનકાર કર્યા બાદ પ્રશાંત કિશોરના સુર બદલાયા, કહ્યું ‘કોંગ્રેસને કોઈ PK ની જરૂર નથી, પાર્ટી સક્ષમ છે

આ પણ વાંચોઃ આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાત આવશે, કમલમ ખાતે ભાજપના હોદ્દેદારોને અને અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે કાર્યકરોને સંબોધશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">