AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deltacron : કોરોના વાયરસનો નવો વોરિયન્ટ, ઓમિક્રોન અને ડેલ્ટામાંથી બન્યો છે ડેલ્ટાક્રોન, જાણો શું છે તેના લક્ષણો

યુકેમાં કોરોના વાયરસના નવા ડેલ્ટાક્રોન વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે. પહેલા તો તે લેબની ભૂલનું પરિણામ હોવાનું કહેવાતું હતું,

Deltacron : કોરોના વાયરસનો નવો વોરિયન્ટ, ઓમિક્રોન અને ડેલ્ટામાંથી બન્યો છે ડેલ્ટાક્રોન, જાણો શું છે તેના લક્ષણો
Deltacron Symbolic photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 2:38 PM
Share

Deltacron: ડેઈલી મેઈલના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, તે એક દર્દીમાં વિકસિત હોવાનું માનવામાં આવે છે જે એક જ સમયે omicron અને ડેલ્ટા બંને પ્રકારોથી સંક્રમિત હતા. પરંતુ તે સ્પષ્ટ નથી કે તે બીજા દેશમાં સંક્રમિત થયું છે કે કેમ. અથવા તે બ્રિટનમાં જ ઉદ્ભવ્યું હતું.રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ વેરિયન્ટ થી સંક્રમિત દર્દી (Patient)ઓની સ્થિતિ સામાન્ય છે.

ડેલ્ટાક્રોન કેટલો ચેપી છે, તેના લક્ષણો શું છે

UKHSA અધિકારીઓને એ પણ ખબર નથી કે કોરોનાનું આ નવું સ્વરૂપ કેટલું ચેપી અથવા ગંભીર છે. તેઓ અત્યારે એ પણ જાણતા નથી કે લક્ષણો શું છે અને તેની સામે રસીઓ કેટલી અસરકારક છે. જો કે, ચેપી રોગના નિષ્ણાત પ્રોફેસર પોલ હન્ટરને ડેઈલી મેઈલ દ્વારા ટાંકવામાં આવ્યું હતું કે, આનાથી વધુ ખતરો ન હોવો જોઈએ, કારણ કે યુકેમાં મૂળ ડેલ્ટા અને ઓમિક્રોન સામે રોગપ્રતિકારક શક્તિ અસ્તિત્વમાં છે.

ડબ્લ્યુએચઓએ ડેલ્ટાક્રોન પર શું કહ્યું

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ અહેવાલ આપ્યો હતો કે વ્યક્તિને વિવિધ પ્રકારના SARS-CoV-2 થી ચેપ લાગવો શક્ય છે. આના ઘણા ઉદાહરણો છે. આ રોગચાળા દરમિયાન લોકો ઈન્ફલ્યુએન્ઝા અને COVID-19 બંનેથી સંક્રમિત થયા હતા. ડબ્લ્યુએચઓના મારિયા વાન કેરખોવે ગયા મહિને ટ્વિટ કર્યું હતું: “ડેલ્ટાક્રોન જેવા શબ્દોનો ઉપયોગ કરશો નહીં. આ શબ્દો વાયરસ/વેરિઅન્ટ સંયોજન સૂચવે છે

અગાઉ, નિષ્ણાતોએ કહ્યું હતું કે,એક પ્રયોગશાળામાં “ડેલ્ટાક્રોન” નામના કથિત હાઇબ્રિડ કોવિડ -19 પરિવર્તનની શોધ થઈ છે. લેબની ભૂલને કારણે આવું બન્યું હોઈ શકે. આ અંગે ચિંતા ન કરવી જોઈએ.

ભારતમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 3,32,918

દેશમાં કોવિડ-19ના (Covid-19) એક દિવસમાં નવા 30,757 કેસ નોંધાયા છે અને 541 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 67,538 લોકો કોરોનાથી (Corona) સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 4,19,10,984 લોકો કોરોનાથી સાજા થયા છે. ભારતમાં કોરોનાના (Corona Virus) સક્રિય કેસની સંખ્યા 3,32,918 છે. રિકવરી રેટ હાલમાં 98.03 % છે. દૈનિક પોઝિટિવ દર 2.61 % છે. જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી દર 3.04 % છે. છેલ્લા 24 કલાકમાં 34,75,951 રસીકરણ થયુ છે. અત્યાર સુધીમાં કુલ 1,74,24,36,288 રસીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાની મોટી જાહેરાત, 2025 સુધીમાં 25 ટકા મહિલા પોલીસકર્મીઓની થશે ભરતી

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">