AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CDS જનરલ બિપિન રાવતના સન્માનમાં સ્મારક બનાવવાની માગ, કુન્નરના સ્થાનિક લોકોએ PM મોદીને લખ્યો પત્ર

શહીદ સૈનિકો પ્રત્યે તેમનું સન્માન દર્શાવવાના પ્રયાસરૂપે, તમિલનાડુના મહેસૂલ વિભાગની જગ્યા પર એક સ્મારક બનાવવું જોઈએ, જેથી જનતા તેમને શ્રદ્ધાંજલિ આપી શકે.

CDS જનરલ બિપિન રાવતના સન્માનમાં સ્મારક બનાવવાની માગ, કુન્નરના સ્થાનિક લોકોએ PM મોદીને લખ્યો પત્ર
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 7:47 AM
Share

તમિલનાડુના નીલગિરિ જિલ્લામાં કુન્નૂર વેલિંગ્ટન છાવણીના લોકોએ સોમવારે વડાપ્રધાન (PM Modi) અને તમિલનાડુના મુખ્યપ્રધાનને દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત (CDS Bipin Rawat) અને જીવ ગુમાવનારા અન્ય સૈનિકોનું સ્મારક બનાવવાની અપીલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિનને સમાન પત્રોમાં જનતા દ્વારા વિનંતી કરવામાં આવી હતી.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટનાને કારણે લોકોમાં શોકની લહેર છે અને જ્યાં આ દુર્ઘટના (Helicopter Crash) બની તે સ્થળ કુન્નુર પાસે નંજપ્પાસથિરમ છે. શહીદ સૈનિકો પ્રત્યે તેમનું સન્માન દર્શાવવાના પ્રયાસરૂપે, તમિલનાડુના મહેસૂલ વિભાગની જગ્યા પર એક સ્મારક બનાવવું જોઈએ, જેથી જનતા તેમને શ્રદ્ધાંજલિ આપી શકે.

વધુમાં, અમે તમને નંજપ્પાસાથિરમ નજીક મેટ્ટુપલયમની મુલાકાત લેવા વિનંતી કરીએ છીએ. ઉટી લાઇન પરના કેટરી પાર્ક અને રાનીમેડુ રેલ્વે સ્ટેશનનું નામ જનરલ રાવતના નામ પર રાખવું જોઈએ, જે એક ઐતિહાસિક પ્રતીક અને તેમના બલિદાનની સ્મૃતિ છે.

એરફોર્સે ટ્વીટ કર્યું હતું 8 ડિસેમ્બરના રોજ તમિલનાડુના કુન્નુર પાસે હેલિકોપ્ટર ક્રેશ થતાં જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 સેનાના જવાનોએ જીવ ગુમાવ્યો હતો. અકસ્માતમાં બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની બેંગલુરુમાં સારવાર ચાલી રહી છે. વાયુસેનાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ‘વાયુસેનાનું Mi-17V5 હેલિકોપ્ટર, જેમાં CDS જનરલ બિપિન રાવત સવાર હતા, તેને તમિલનાડુના કુન્નુર પાસે અકસ્માત થયો છે.

જાણવા મળ્યું છે કે જનરલ રાવત સહિત તમામ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે ઘટનાસ્થળેથી મળી આવેલા મૃતદેહોને મિલિટરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. વાયુસેનાએ અકસ્માતનું કારણ જાણવા તપાસના આદેશ આપ્યા હતા.

અગાઉ શનિવારે, ભારતીય વાયુસેનાએ (IAF) તમિલનાડુના નીલગિરિ જિલ્લામાં IAF હેલિકોપ્ટર ક્રેશ થયા પછી બચાવ કામગીરીમાં સતત મદદ કરવા બદલ સ્થાનિક લોકો અને પોલીસ અધિકારીઓનો આભાર માન્યો હતો. મુખ્યપ્રધાન એમકે સ્ટાલિન અને જિલ્લા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. IAF એ તેમની ‘ઝડપી અને સતત’ મદદ માટે પ્રશંસા કરી.

આ પણ વાંચો : Terrorist Attack: PM મોદીએ શ્રીનગરમાં આતંકવાદી હુમલાની માંગી માહિતી, શહીદ જવાનોના પરિવારજનો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના

આ પણ વાંચો : અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિને રાજનાથ સિંહને કર્યો ફોન, CDS બિપિન રાવત સાથેની તેમની મુલાકાત કરી યાદ

Follow Us
મહિસાગરના લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવાની માગ બની પ્રબળ
મહિસાગરના લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવાની માગ બની પ્રબળ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
g clip-path="url(#clip0_868_265)">