AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે કહ્યું- હવે હું રાજનીતિ નહીં ધર્મ રક્ષા કરીશ, અયોધ્યા સુધીની પદયાત્રામાં કારસેવકોને આમંત્રણ આપીશ

રામ મંદિરના દાનની ચોરીથી વ્યથિત થઈ ઉઠેલા, કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે રાજકારણને બદલે ધર્મરક્ષા કરવાની નવી વાત ઉચ્ચારી છે. દિગ્વિજયસિંહે આગામી 2 ઓક્ટોબરે ઉજ્જૈનથી અયોધ્યા સુધીની પદયાત્રા યોજવાની જાહેરાત કરી છે. આ દરમિયાન, તેમણે તેમની યાત્રા અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે કે તેઓ હવે ફક્ત આસ્થાના રક્ષણ માટે પોતાને ધર્મ સમર્પિત કરશે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે કહ્યું- હવે હું રાજનીતિ નહીં ધર્મ રક્ષા કરીશ, અયોધ્યા સુધીની પદયાત્રામાં કારસેવકોને આમંત્રણ આપીશ
| Updated on: Jul 07, 2026 | 6:06 PM
Share

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ભાજપ, આરએસએસ અને વીએચપી અંગે એક નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, રાજકારણથી દૂર રહીને, તેઓ ધર્મ આસ્થાના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. એક મિશન જેને તેઓ તેમના છેલ્લા શ્વાસ સુધી અનુસરવાનો ઇરાદો ધરાવે છે. દિગ્વિજય સિંહે આ નિવેદન, આગામી 2 ઓક્ટોબરથી શરૂ થનારી ઉજ્જૈનથી અયોધ્યા સુધીની આગામી પદયાત્રાના સંદર્ભમાં કરી હતી.

રામ મંદિરમાં રામભક્તોએ આસ્થા અને શ્રદ્ધા સાથે કરેલ દાનની ચોરી થવાના મુદ્દા પર વાત કરતા, ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે કહ્યું, “હું સનાતન ધર્મને સમજું છું. હું ભાજપ, વીએચપી અને આરએસએસને પણ સમજું છું. મારો ઉદ્દેશ્ય હવે ધર્મ અને લોકોની શ્રદ્ધાનું રક્ષણ કરવાનો છે. હુ મારા છેલ્લા શ્વાસ સુધી તેને જાળવી રાખવાનો. આમાં કોઈ રાજકારણ સામેલ નથી.” જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ રાહુલ ગાંધીને ઉજ્જૈનથી અયોધ્યા સુધીની પદયાત્રામાં આમંત્રણ આપશે, ત્યારે તેમણે જવાબ આપ્યો, “હું બીજા કોઈને આમંત્રણ નહીં આપું, પરંતુ હું કારસેવક સંતોષ દુબેને ચોક્કસ આમંત્રણ આપીશ. સંતોષ એવો કાર સેવક છે જે કારસેવા દરમિયાન ચાર ગોળી વાગી હતી. તે મારી કૂચ દરમિયાન મુખ્ય મહેમાન હશે.”

અગાઉ, દિગ્વિજય સિંહે જાહેરાત કરી હતી કે, ઉજ્જૈનથી અયોધ્યા સુધીની પગપાળા કૂચ બિન-રાજકીય રહેશે. તેમણે કહ્યું હતું કે કોઈ પણ પક્ષના ધ્વજ પ્રદર્શિત કરવામાં આવશે નહીં અને ભગવાન રામમાં શ્રદ્ધા ધરાવનાર કોઈપણ વ્યક્તિ, કે જેમણે રામ મંદિરમાં દાન આપ્યુ હશે તેમનો પણ સમાવેશ થાય છે, તેઓ ભાગ લઈ શકશે. ઉજ્જૈનથી અયોધ્યાનું અંતર આશરે 1,000 કિલોમીટર છે, અને દરરોજ 10 થી 15 કિલોમીટરનું અંતર કાપવાની યોજના છે. “તે સમય દરમિયાન, હું ફેસબુક કે ટ્વિટરનો ઉપયોગ કરીશ નહીં. ‘દાનની ચોરી કરનારા ચોરો’નો વિરોધ કરતા તમામ પક્ષોના લોકોએ આ કૂચમાં જોડાવું જોઈએ,” તેમ પણ તેમણે તેમણે કહ્યું.

ભાજપે દિગ્વિજય સિંહ પર વળતો પ્રહાર કર્યો

દિગ્વિજય સિંહે તેમના ભોપાલ નિવાસસ્થાનની બહાર એક બેનર પણ લગાવ્યું છે. જેમાં જાહેર કરવામાં આવ્યું હતું કે રામ મંદિરના દાન અને ભેટની ચોરી કરનારા ચોરનો અહીં પ્રવેશ પ્રતિબંધિત છે. આ પગલાથી રાજકીય વિવાદ ઉભો થયો છે. ભાજપે આ પગલા પર દિગ્વિજય પર વળતો પ્રહાર કર્યો છે. ભાજપના પ્રવક્તા ડૉ. હિતેશ બાજપાઈએ તેમના પર કટાક્ષ કર્યો હતો અને સૂચન કર્યું હતું કે દિગ્વિજય સિંહે ઝાકિર નાઈક અને સમાન વિચારો ધરાવતા વ્યક્તિઓને આ યાત્રામાં જોડાવા માટે આમંત્રણ આપવું જોઈએ.

કોંગ્રેસ પાર્ટીએ હંમેશા શ્રદ્ધાની લાગણીઓને ઠેસ પહોંચાડી છે

આ દરમિયાન, ભાજપના મધ્યપ્રદેશના પ્રદેશ પ્રમુખ હેમંત ખંડેલવાલે જણાવ્યું હતું કે, રામ મંદિર લાખો લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે અને તે બધાના સામૂહિક પ્રયાસો દ્વારા બનાવવામાં આવ્યું છે. તેમણે નોંધ્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકાર રામ મંદિરના વિકાસ કાર્ય અંગે કડક નિર્ણયો લઈ રહી છે. ખંડેલવાલે આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસ પાર્ટી હંમેશા રાષ્ટ્રની શ્રદ્ધાની લાગણીઓને ઠેસ પહોંચાડવાનું કામ કરે છે.

Breaking News: રામ મંદિર બાદ આ પ્રસિદ્ધ મંદિરમાં થઈ ‘ચોરી’, 32 કિલો ચાંદીની મૂર્તિ સહિત 1.20 કરોડનો સામાન ‘ગાયબ’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">