રાહુલ ગાંધીનો દાવો ખોટો સાબિત થયો, 1999માં અઝહર મસૂદની સાથે અજીત ડોભાલ હાજર ન હતા !
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા હાલમાં વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં તેમને આરોપ લગાવ્યો હતો કે, જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરની સાથે ડોભાલ પણ 1999માં કંધાર પહોંચ્યા હતા. જેના પર ગઇકાલથી જ રાજકારણ ગરમ થયું છે. IC-814 ના 161 યાત્રીઓને છોડાવવા માટે ભારતે 3 આતંકવાદીઓને મુક્ત કરવા પડ્યા હતા. આ અંગે આજે મોટો ખુલાસો સામે […]
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા હાલમાં વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં તેમને આરોપ લગાવ્યો હતો કે, જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરની સાથે ડોભાલ પણ 1999માં કંધાર પહોંચ્યા હતા. જેના પર ગઇકાલથી જ રાજકારણ ગરમ થયું છે. IC-814 ના 161 યાત્રીઓને છોડાવવા માટે ભારતે 3 આતંકવાદીઓને મુક્ત કરવા પડ્યા હતા.
આ અંગે આજે મોટો ખુલાસો સામે આવ્યો છે. જેના અનુસાર ડોભાલ તે વિમાનમાં ત્યાં પહોંચ્યા ન હતા. મસૂદ અઝહરને અને અન્ય બે આતંકીઓ જ માત્ર ત્યાં પહોંચાડવામાં આવ્યા હતા. એટલું જ નહીં તે સમયે ડોભાલ ગુપ્તચર વિભાગના નિર્દેશક તરીકે ફરજ બજાવતાં હતા અને તેઓ આ સમયે કોઇ પણ સ્થાન પર હાજર ન હતા.
આ પણ વાંચો : મોદી સરકારનો વિરોધ કરવા જતાં રાહુલ ગાંધીની જીભ લપસી, ‘મસુદ અઝહર’ બોલવાના બદલે બોલી દીધું ‘મસૂદ અઝહરજી’
ડોભાલના પ્રશ્ન પરનો જવાબ તે સમયના ગૃહમંત્રી લાલકૃષ્ણ આડવાણી અને રોના પૂર્વ પ્રમુખ એએસ દુલાતની પુસ્તકમાં થયો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, વિદેશ મંત્રી જસવંત સિંહ આતંકવાદી અઝહર અને અન્ય બે આંતકીઓ જ વિમાનમાં હાજર હતા.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]