AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ‘રામભક્તો પર ગોળીઓ ચલાવનારા, શું જામા મસ્જિદમાં હનુમાન ચાલીસા કરી શકશે ?’ અયોધ્યામાં વિપક્ષ પર વરસ્યા ‘CM યોગી’

રામ મંદિરમાં ચઢાવાની ચોરીના વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે અયોધ્યા પહોંચ્યા હતા, જ્યાં તેમણે રૂ. 432 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. આ દરમિયાન એક જનસભાને સંબોધતા CM યોગીએ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

Breaking News: 'રામભક્તો પર ગોળીઓ ચલાવનારા, શું જામા મસ્જિદમાં હનુમાન ચાલીસા કરી શકશે ?' અયોધ્યામાં વિપક્ષ પર વરસ્યા 'CM યોગી'
| Updated on: Jul 10, 2026 | 3:18 PM
Share

રામ મંદિરના ચઢાવાની ચોરી પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે 10 July ના રોજ અયોધ્યા પહોંચ્યા હતા. અહીં CM યોગીએ 432 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિવિધ વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ/શિલાન્યાસ માટે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

આ દરમિયાન CM યોગીએ જનતાને સંબોધિત કરતા સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. CM યોગીએ તીખો હુમલો કરતા સવાલ કર્યો કે, સપાએ હનુમાનગઢીના પગથિયાં પર નમાજ પઢાવવાનું પાપ કર્યું હતું, શું તેઓ જામા મસ્જિદમાં ‘હનુમાન ચાલીસા’નો પાઠ કરી શકશે?

CM યોગી શું બોલ્યા?

CM યોગી આદિત્યનાથે અયોધ્યાથી વિપક્ષ પર જોરદાર પ્રહાર કર્યો છે. CM યોગીએ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, તેમણે હનુમાનગઢીના પગથિયાં પર નમાજ પઢાવી હતી. CM યોગીએ અયોધ્યાના લોકોને પૂછ્યું કે, શું જામા મસ્જિદમાં હનુમાન ચાલીસાના પાઠ થઈ શકે છે?

CM યોગીએ અયોધ્યામાં જનસભાને સંબોધતા કહ્યું કે, “લાંબા સમય સુધી અયોધ્યાની ઉપેક્ષા કરવામાં આવી. આ સિવાય જે લોકો આજે ભક્તિની વાતો કરે છે, તેમણે જ હનુમાનગઢીના પગથિયાં પર નમાજ પઢવાનું આયોજન કર્યું હતું. શું કોંગ્રેસ કે સમાજવાદી પાર્ટી ક્યારેય જામા મસ્જિદમાં હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરી શકશે? તો પછી તેમણે આ પાપ કેમ કર્યું?”

‘કોંગ્રેસે’ રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવ્યો

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં કહ્યું, “આજે લાખો લોકો અયોધ્યા આવે છે. તેમણે (સમાજવાદી પાર્ટીએ) લોકોને હનુમાનગઢીના પગથિયાં પર નમાજ પઢવા માટે પ્રેરિત કરીને પાપ કર્યું હતું પરંતુ અમે અયોધ્યાને એક નવી ઓળખ આપી છે. આજે અયોધ્યા રોડ, રેલ અને હવાઈ માર્ગથી જોડાયેલું છે.”

CM યોગીએ સપા-કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, “સપાએ રામભક્તો પર ગોળીઓ ચલાવી હતી. કોંગ્રેસે રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવ્યો હતો. સપા-કોંગ્રેસે અયોધ્યા સામે ઓળખનું સંકટ ઊભું કર્યું હતું. સપા-કોંગ્રેસવાળા વિકાસ કરી શક્યા નથી એટલા માટે વિરોધ કરી રહ્યા છે.”

Breaking News : ભારતમાં ફરી થઈ કોરોનાવાયરસની એન્ટ્રી, 2ના મોત, 4 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">