AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assam and Meghalaya Dispute: 50 વર્ષ બાદ મામલો થાળે પડવાની શક્યતા, બંને રાજ્યના મુખ્યપ્રધાન અમિત શાહ સાથે કરશે બેઠક

મેઘાલય અને આસામ વચ્ચે વર્ષોથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. આ સમસ્યાના ઉકેલ માટે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરશે.

Assam and Meghalaya Dispute: 50 વર્ષ બાદ મામલો થાળે પડવાની શક્યતા, બંને રાજ્યના મુખ્યપ્રધાન અમિત શાહ સાથે કરશે બેઠક
Assam and Meghalaya Border Dispute (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 4:12 PM
Share

Assam and Meghalaya Border Dispute: મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમા (CM Conrad K Sangma) અને આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા (Himanta Biswa Sarma) ગુરુવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને (Amit Shah) મળશે. બંને મુખ્યમંત્રીઓ બેઠક દરમિયાન પૂર્વોત્તર રાજ્યો વચ્ચે દાયકાઓ જૂના સરહદ વિવાદને ઉકેલવા માટે ગૃહમંત્રીને ભલામણો કરશે. સંગમાએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યુ હતુ કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે દિલ્હીમાં આ બેઠક યોજાશે.

પ્રાદેશિક સમિતિઓની ભલામણો ગૃહ મંત્રાલયને આપવામાં આવશે

એક અહેવાલ અનુસાર સંગમાએ એમ પણ કહ્યું કે અમે ઓછા સમયમાં સામાન્ય રિપોર્ટ સબમિટ કરીશું અને પછી ભારત સરકારે કાયદા અનુસાર આ મામલે આગળ વધવું પડશે. તેમણે વધુમાં જણાવ્યું કે મેઘાલય અને આસામ સરકારની પ્રાદેશિક સમિતિઓની ભલામણો આગળની કાર્યવાહી માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA)ને આપવામાં આવશે.

Give and take ફોર્મ્યુલાને મંજૂરી આપી

આસામ અને મેઘાલય કેબિનેટે બે રાજ્યો વચ્ચેના પાંચ દાયકા જૂના સરહદ વિવાદને ઉકેલવા માટે Give and take ફોર્મ્યુલાને મંજૂરી આપી દીધી છે. પ્રથમ તબક્કામાં 12 વિવાદિત વિસ્તારોમાંથી છ વિસ્તારોનો ઉકેલ લાવવામાં આવશે. જેમાં હાહીમ, ગીઝાંગ, તારાબારી, બોકલપરા, ખાનપરા-પીલિંગકાટા અને રાચેરાનો સમાવેશ થાય છે. અન્ય છ ક્ષેત્રો જ્યાં વિવાદો વધુ જટીલ છે તેની બાદમાં વિચારણા કરવામાં આવશે. યોજના મુજબ, સંસદીય પ્રક્રિયા બાદ સરહદનું સીમાંકન હાથ ધરવામાં આવશે.

બંને રાજ્યો વચ્ચે 1972થી વિવાદ ચાલી રહ્યો છે

તમને જણાવી દઈએ કે 1972માં મેઘાલયને આસામમાંથી અલગ કરીને રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યુ હતુ. બંને રાજ્યો 733 કિમીની સરહદ ધરાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બંને પડોશી રાજ્યોના સરહદી વિસ્તારોમાં રહેતા વિવિધ સમુદાયો વચ્ચે ઘણી અથડામણ થતી જોવા મળે છે. મેઘાલય ઓછામાં ઓછા 12 વિસ્તારો પર પોતાનો હોવાનો દાવો કરી રહ્યું છે.તે વિસ્તારો હાલમાં આસામના કબજામાં છે.

બંને રાજ્યોએ એક નીતિ અપનાવી છે. જે અંતર્ગત કોઈપણ રાજ્ય અન્ય રાજ્યને જાણ કર્યા વિના વિવાદિત વિસ્તારોમાં વિકાસ યોજનાઓ શરૂ કરી શકશે નહીં.ઉલ્લેખનીય છે કે,મેઘાલય આગામી  21 જાન્યુઆરીએ તેનો 50મો સ્થાપના દિવસ ઉજવશે, ત્યારે બંને રાજ્યોની સરકાર આ સુવર્ણ જયંતિની ઉજવણી પહેલા વિવાદને ઉકેલવા માટે મથામણ કરી રહી છે.

આ પણ વાંચો : UP Election 2022 : ધારાસભ્ય અદિતિ સિંહે કોંગ્રેસમાંથી છેડો ફાડયો, સોનિયા ગાંધીને પત્ર લખી આપ્યુ રાજીનામુ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">