AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Election 2022 : ધારાસભ્ય અદિતિ સિંહે કોંગ્રેસમાંથી છેડો ફાડયો, સોનિયા ગાંધીને પત્ર લખી આપ્યુ રાજીનામુ

રાયબરેલીના ધારાસભ્ય અદિતિ સિંહે સોનિયા ગાંધીને પત્ર લખીને કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે.

UP  Election 2022 : ધારાસભ્ય અદિતિ સિંહે કોંગ્રેસમાંથી છેડો ફાડયો, સોનિયા ગાંધીને પત્ર લખી આપ્યુ રાજીનામુ
MLA Aditi Singh resigns from congress party (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 1:42 PM
Share

UP Election 2022 : ઉતર પ્રદેશમાં ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયુ છે.મળતા અહેવાલ અનુસાર કોંગ્રેસના રાયબરેલીના ધારાસભ્ય અદિતિ સિંહે(MLA Aditi singh) કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ સોનિયા ગાંધીને (Sonia Gandhi) પત્ર લખીને રાજીનામુ આપ્યુ છે. તેમણે સોનિયા ગાંધીને લખેલા પત્રમાં લખ્યુ હતુ કે, હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહી છું, કૃપા કરીને સ્વીકારો.

અદિતિ સિંહના બદલાયા સૂર

તમને જણાવી દઈએ કે, અદિતિ સિંહ નવેમ્બરમાં જ ઔપચારિક રીતે ભાજપમાં જોડાયા હતા. ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર બન્યા બાદથી અદિતિ સિંહ કોંગ્રેસ પાર્ટીને લઈને નિવેદનો આપી રહી છે. પાર્ટીના અભિપ્રાય સિવાય તે અવારનવાર કેન્દ્રમાં સત્તામાં રહેલી ભાજપ સરકારના નિર્ણયોની પ્રશંસા કરતી જોવા મળતી હતી.

અદિતિ સિંહના આ પગલાથી તેના પતિ અંગદ સિંહ સૈનીને મોટું નુકસાન થઈ શકે છે. અંગદ પંજાબની નવાશહર સીટથી કોંગ્રેસના ધારાસભ્ય છે. જ્યારે અદિતિ સિંહ કોંગ્રેસના ગઢ ગણાતા રાયબરેલીથી ધારાસભ્ય છે. આ બેઠક પરથી સોનિયા ગાંધી સતત સાંસદ તરીકે ચૂંટાઈ રહ્યા છે. જ્યારે અદિતિના પિતા અખિલેશ સિંહ અહીંથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.

પ્રિયંકા ગાંધી પર ઘણી વખત પલટવાર

રાયબરેલીથી કોંગ્રેસના ધારાસભ્ય અદિતિ સિંહે પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) પર ઘણી વખત ખુલ્લેઆમ પ્રહારો કર્યા છે. અદિતિ સિંહે એકવાર કહ્યું હતું કે, જ્યારે કૃષિ કાયદાઓ રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે પણ તેમને સમસ્યાઓ હતી. હવે જ્યારે કૃષિ કાયદાઓ રદ કરવામાં આવ્યા ત્યારે પણ તેઓ વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યે આરોપ લગાવ્યો હતો કે, પ્રિયંકા ગાંધી આ મામલામાં માત્ર રાજનીતિ કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે હવે પ્રિયંકા ગાંધી માટે રાજનીતિ કરવાના મુદ્દાઓ પૂરા થઈ ગયા છે. એટલા માટે તે ખેડૂતોના મુદ્દાઓ પર રાજનીતિ કરી રહી છે.

આ પણ વાંચો : UP Assembly Election: કોંગ્રેસે જાહેર કર્યુ ઉમેદવારોનું બીજુ લિસ્ટ, 41 ઉમેદવારમાંથી 16 મહિલાઓને આપી તક

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">