CM ગેહલોતે કહ્યું કે, ‘હું કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડીશ, વિપક્ષને મજબૂત કરવાની જરૂર’
આ પહેલા કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીને (Rahul Gandhi) પાર્ટીના અધ્યક્ષ બનાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. જોકે, તેમણે ચૂંટણી લડવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. આ સાથે જ એ વાતની પણ પુષ્ટિ થઈ ગઈ છે કે ગાંધી પરિવારમાંથી કોઈ પ્રમુખની ચૂંટણી લડશે નહીં.
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને (Election of Congress President) લઈને કોગ્રેસ પક્ષમાં જ હોબાળો ચાલી રહ્યો છે. જો કે આ વચ્ચે રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે (Ashok Gehlot) એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે મેં નક્કી કર્યું છે કે હું કોંગ્રેસ (Congress) અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડીશ. હું ટૂંક સમયમાં આ અંગેની તારીખ (નોમિનેશન ફાઇલ કરવા માટે) નક્કી કરીશ. વિપક્ષને મજબૂત કરવાની જરૂર છે, તેથી મેં આ નિર્ણય લીધો છે.
છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે તેને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. અત્યાર સુધીના કોંગ્રેસ અધ્યક્ષ ગાંધી પરિવારમાંથી જ બનતા આવ્યા છે. જો કે હવે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાવા જઇ રહી છે. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 24 થી 30 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે. 19મી ઓક્ટોબરે તેના પરિણામ જાહેર થશે. જો એકથી વધુ ઉમેદવારો હશે તો 17 ઓક્ટોબરે મતદાન થશે.
રાહુલ ગાંધીને મનાવવા પ્રયાસ
આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ બનાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. જોકે, તેમણે ચૂંટણી લડવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. આ સાથે જ એ વાતની પણ પુષ્ટિ થઈ ગઈ છે કે ગાંધી પરિવારમાંથી કોઈ પ્રમુખની ચૂંટણી લડશે નહીં. બીજી તરફ હાલમાં જ અશોક ગેહલોતે મીડિયાને કહ્યું હતું કે મેં રાહુલ ગાંધીને ઘણી વખત વિનંતી કરી હતી કે તેઓ બધાની ઈચ્છાઓ સ્વીકારે અને ફરીથી કોંગ્રેસ અધ્યક્ષ બને. પરંતુ, તેમણે નક્કી કર્યું છે કે ગાંધી પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ આગામી પાર્ટી અધ્યક્ષ ન બને.
રાહુલ ગાંધી હાલ કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર
હાલ રાહુલ ગાંધી કોંગ્રેસની ભારત જોડો યાત્રા અંતર્ગત અલગ-અલગ સ્થળોનો પ્રવાસ કરી રહ્યા છે. માહિતી મળી રહી છે કે રાહુલ ગાંધીનું સંપૂર્ણ ધ્યાન 2024ની લોકસભા ચૂંટણી પર છે. જો કે આ પહેલા પાર્ટીના કેટલાક અન્ય નેતાઓ પણ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આગળ આવ્યા હતા, જેમાં કોંગ્રેસના સાંસદ શશિ થરૂરનું નામ પણ સામે આવ્યું હતું. તેમને ચૂંટણી લડવા માટે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પાસેથી NOC એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ પણ મળ્યું છે.