India China Clash : ચીને પણ માન્યું LAC પર બંને દેશો વચ્ચે સ્થિતિ નાજુક, ભારતમાં ચીની દૂતાવાસના પ્રભારીએ આપ્યું મોટુ નિવેદન

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે તાજેતરમાં કહ્યું હતું કે, પૂર્વી લદ્દાખમાં LAC પર સ્થિતિ અત્યંત નાજુક અને ખતરનાક છે. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી સરહદ પરની સમસ્યાનું સમાધાન નહીં થાય ત્યાં સુધી ચીન સાથેના સંબંધો સામાન્ય નહીં થાય.

India China Clash : ચીને પણ માન્યું LAC પર બંને દેશો વચ્ચે સ્થિતિ નાજુક, ભારતમાં ચીની દૂતાવાસના પ્રભારીએ આપ્યું મોટુ નિવેદન
Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2023 | 8:56 AM

ચીને ભારત સાથેના સંબંધોને લઈને ઘણી વાત કરી છે. ચીને કહ્યું છે કે, તે ભારત સાથે યુદ્ધ નથી ઈચ્છતું. ભારતમાં ચીની દૂતાવાસના પ્રભારી મા જિયાએ બુધવારે કહ્યું હતું કે, લદ્દાખમાં એલએસી નજીક બગડતી પરિસ્થિતિને કારણે ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હશે, પરંતુ વાસ્તવમાં બંને પક્ષો સરહદી વિસ્તારોમાં યુદ્ધ ઈચ્છતા નથી.

આ પણ વાચો: India US Relations: ઈતિહાસમાં પહેલીવાર સેનાથી સેનાની સીધી વાત, અમેરિકાએ LAC પર ભારતને કર્યું એલર્ટ !

પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જિયાએ કહ્યું કે, સરહદ પર સ્થિતિ સ્થિર છે. તેમણે કહ્યું કે બંને પક્ષો સરહદ પર સ્થિતિને નિયંત્રિત કરવા માટે વાતચીત કરી રહ્યા છે. તે જ સમયે, જ્યારે ચીનના રાજદૂતને પૂછવામાં આવ્યું કે, ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે તાજેતરમાં કહ્યું હતું કે, સરહદ પર પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે, તેના જવાબમાં જિયાએ કહ્યું કે, આ જ કારણ છે કે બંને પક્ષો રાજદ્વારી અને લશ્કરી ચેનલો દ્વારા વાતચીત કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ચીન અને ભારત ઈચ્છતા નથી યુદ્ધ

તેમણે કહ્યું કે, WMCC (ભારત-ચીન બોર્ડર અફેર્સ પર કન્સલ્ટેશન એન્ડ કોઓર્ડિનેશન માટે વર્કિંગ મિકેનિઝમ) અને કમાન્ડર લેવલની બેઠકમાં આ અંગે ચર્ચા થઈ રહી છે, કારણ કે અહીં કેટલીક સમસ્યાઓ છે. આપણે તેનો સામનો કરવો પડશે. ઝિયાએ વધુમાં કહ્યું કે, અમને ખાતરી છે કે ચીન અને ભારત યુદ્ધ ઇચ્છતા નથી. અમારામાંથી કોઈ પણ પક્ષ સરહદી વિસ્તારોમાં યુદ્ધ ઈચ્છતા નથી.

બંને પક્ષો ચોક્કસપણે કોઈ માર્ગ શોધી કાઢશે

જિયાએ કહ્યું કે, જ્યાં સુધી અમારી પાસે આ પ્રકારનો ઈરાદો છે અને એકબીજાની સમજ છે ત્યાં સુધી મને ખાતરી છે કે અમે કોઈને કોઈ રસ્તો શોધી કાઢીશું. તેમણે કહ્યું કે સીમા મુદ્દે સમજૂતી સુધી પહોંચવું સરળ નથી, કારણ કે તે ખૂબ જ જટિલ સમસ્યા છે. જિયાએ કહ્યું કે, રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બનાવવામાં આવેલી સર્વસંમતિ બંને પક્ષોને માર્ગ શોધવામાં મદદ કરી શકે છે.

લદ્દાખમાં LAC પરની સ્થિતિ ખતરનાક – જયશંકર

તાજેતરમાં જ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ચીન સાથે ભારતના સંબંધોને લઈને મોટી વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, પૂર્વી લદ્દાખમાં LACની સ્થિતિ ખૂબ જ નાજુક અને ખતરનાક છે. તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી સરહદ પરની સમસ્યાનું સમાધાન નહીં થાય ત્યાં સુધી ચીન સાથેના સંબંધો સામાન્ય નહીં થાય. તમને જણાવી દઈએ કે, ત્રણ વર્ષ પહેલા પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીન અને ભારતીય સેના વચ્ચે જબરદસ્ત અથડામણ થઈ હતી. આ દરમિયાન બંને દેશોના ઘણા સૈનિકો શહીદ થયા હતા. આ ઘટના બાદ અરુણાચલ પ્રદેશના તવાંગમાં બંને દેશોની સેનાઓ વચ્ચે અથડામણ થઈ હતી.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">