AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chardham Yatra 2023: ચારધામ યાત્રા માટે ઓનલાઈન નોંધણી શરૂ, જાણો કેવી રીતે કરશો અરજી

ચારધામ યાત્રા (Chardham Yatra) માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. આજથી ભક્તો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. ગત વર્ષે ચારધામમાં ઉમટેલી શ્રદ્ધાળુઓની ભીડને જોતા આ વખતે પણ, વહીવટીતંત્ર દ્વારા ચારધામમાં દર્શન માટે ભક્તોની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.

Chardham Yatra 2023: ચારધામ યાત્રા માટે ઓનલાઈન નોંધણી શરૂ, જાણો કેવી રીતે કરશો અરજી
Registration for Chardham YatraImage Credit source: Uttarakhand Tourism
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2023 | 10:53 AM
Share

ચારધામ યાત્રા માટે આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. ઉતરાખંડ પર્યટન વિભાગના પોર્ટલ સવારે સાત વાગ્યે શરુ થયું છે. ભક્તોની સુવિધા માટે યાત્રા શરૂ થવાના બે મહિના અગાઉથી એડવાન્સ બુકિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે. એપ્રિલ મહિનામાં ચારધામ યાત્રા શરૂ થઈ રહી છે. કેદારનાથ અને બદ્રીનાથ ધામના પોર્ટલ 25 એપ્રિલ અને 27 એપ્રિલે ખુલશે.

ચારધામ યાત્રાને લઈને આજે મહત્વના નિર્ણયો લેવાશે

આજે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીની અધ્યક્ષતામાં ચારધામ યાત્રાની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાશે અને તેમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવશે. ચાર ધામ યાત્રાની વ્યવસ્થા અને ભક્તોની સુવિધા માટે બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવી શકે છે. ગત વર્ષે ચારધામમાં ઉમટેલી શ્રદ્ધાળુઓની ભીડને જોતા આ વખતે પણ, વહીવટીતંત્ર દ્વારા દર્શન માટે ભક્તોની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.

અહેવાલો અનુસાર, બદ્રીનાથ માટે દરરોજ લગભગ 18 હજાર, કેદારનાથ ધામ માટે 15 હજાર, ગંગોત્રીમાં નવ હજાર અને યમનોત્રી માટે છ હજાર મુસાફરોની સંખ્યા નક્કી કરવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

આ ઉપરાંત ચારધામ યાત્રાના રૂટ પર ખાણી-પીણી અને આરોગ્યની સુવિધાઓ, કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં શ્રદ્ધાળુઓનું રોકાણ, બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં વીઆઈપી દર્શન માટે ફી નક્કી કરવી, બસોનું સંચાલન, ઘોડા ખચ્ચરનું આરોગ્ય તપાસવું, ચાલવાના માર્ગો પર હોટ સ્પોટ, પાણીની વ્યવસ્થા, શેડ, રસ્તાના સમારકામ સહિતની અનેક બાબતો અંગે નિર્ણય લેવાશે.

આ રીતે કરાવો નોંધણી

આ વખતે ઉત્તરાખંડ પ્રવાસન વિભાગે નોંધણીને લઈને ચાર વિકલ્પો આપ્યા છે. ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ટુરીઝમ વિભાગની વેબસાઈટ registrationandtouristcare.uk.gov.in, વોટ્સએપ નંબર 8394833833, ટોલ ફ્રી નંબર 1364 અને મોબાઈલ એપ ટુરીસ્ટકેર ઉત્તરાખંડ દ્વારા કરી શકાશે. સવારે 7 વાગ્યાથી વેબસાઈટ, ટોલ ફ્રી નંબર, વોટ્સએપ નંબર અને મોબાઈલ એપ પર રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. ચારધામ માટે ભક્તો પોતાની સુવિધા અનુસાર વેબસાઈટ, વોટ્સએપ નંબર, ટોલ ફ્રી નંબર અને મોબાઈલ એપ પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત
નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
g clip-path="url(#clip0_868_265)">