AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CEC Sushil Chandra: જાણો કોણ છે નવા મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા, ગુજરાત સાથે શું છે કનેક્શન

સુશીલ ચંદ્રા 13 એપ્રિલનના રોજ એટલે કે આજે દેશના મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાની જગ્યા લેશે. ચાલો તમને જણાવીએ કે કોણ છે સુશીલ ચંદ્રા.

CEC Sushil Chandra: જાણો કોણ છે નવા મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા, ગુજરાત સાથે શું છે કનેક્શન
નવા મુખ્ય ચૂંટણી કમિશનર કોરોના પોઝિટિવ
| Updated on: Apr 13, 2021 | 10:13 AM
Share

સુશીલ ચંદ્રા 13 એપ્રિલનના રોજ એટલે કે આજે દેશના મુખ્ય ચૂંટણી કમિશનરનું પદ સંભાળશે. કાયદા મંત્રાલયે તેમની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. ચંદ્રા સોમવારે નિવૃત્ત થઇ રહેલા મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાની જગ્યા લેશે. ચાલો તમને જણાવીએ કે કોણ છે સુશીલ ચંદ્રા અને ગુજરાત સાથે તેમનું શું કનેક્શન છે.

આઈઆઈટી, રૂરકીથી બી-ટેક, અને ડીએઆરવી, દહેરાદૂનથી એલએલબી કરી ચૂકેલા ચંદ્રા ભારતીય મહેસૂલ સેવા (આવકવેરા સંવર્ધન) ના 1980 બેચના અધિકારી રહી ચૂક્યા છે. ચંદ્રાથી પહેલા ટી.એસ. કૃષ્ણમૂર્તિ એવા આઈઆરએસ અધિકારી હતા જેમને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કૃષ્ણમૂર્તિ 2004 માં મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા.

પરંપરા મુજબ, દેશના 3 ચૂંટણી કમિશનરોમાંથી સૌથી વરિષ્ઠ અધિકારીની મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક થાય છે, તે જ આધારે, ચંદ્રાની નિમણૂક કરવામાં આવી છે.

સુશીલ ચંદ્રા ઘણા ઉચ્ચ હોદ્દા પર રહી ચૂક્યા છે, તેઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) ના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. જ્યારે આઈઆરએસ અધિકારી, સુશીલ ચંદ્રાને યુપી, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં અનેક મહત્વપૂર્ણ હોદ્દા પર નિયુક્તિ આપવામાં આવી હતી. મુંબઇમાં ડિરેક્ટર પદ સંભાળ્યું છે.

ગુજરાત સાથે શું છે કનેક્શન?

સુશીલ ચંદ્રા ગુજરાતમાં પણ કામ કરી ચૂક્યા છે. અહિયાં તેમને ડાયરેક્ટર જનરલ (ઇન્વેસ્ટિગેશન) તરીકે મુકવામાં આવ્યા હતા. ચંદ્રા આઈઆઈએમ બેંગ્લોર, વ્હર્ટન જેવી ટોચની સંસ્થાઓમાંથી પણ વિવિધ પ્રકારની તાલીમ લઈ ચૂક્યા છે. તેમને આંતરરાષ્ટ્રીય કરવેરાનું પણ સારું નોલેજ હોવાનું માનવામાં આવે છે.

ચંદ્રાની લોકસભાની ચૂંટણી પહેલા 14 ફેબ્રુઆરી 2019 ના રોજ ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમને 14 મે 2022 ના પદમુક્ત કરવામાં આવશે. ચંદ્રાના કાર્યકાળ દરમિયાન ચૂંટણી પંચ ગોવા, મણિપુર, ઉત્તરાખંડ, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. ગોવા, મણિપુર, ઉત્તરાખંડ અને પંજાબની વિધાનસભાઓની મુદત આગામી વર્ષ માર્ચમાં જુદી જુદી તારીખે સમાપ્ત થશે.

ચૂંટણી પંચમાં ફરજ બજાવતા પહેલા ચંદ્રા સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ બોર્ડના અધ્યક્ષ હતા. અરોરાની નિવૃત્તિ પછી ત્રણ સભ્યોના કમિશનમાં એક પદ ખાલી છે. ચંદ્રા આજથી એટલે કે મંગળવારથી મુખ્ય ચૂંટણી કમિશનર રહેશે, જ્યારે રાજીવ કુમાર ચૂંટણી કમિશનર હશે.

આ પણ વાંચો: વૈજ્ઞાનિકોની ચેતવણી: વેક્સિનેશન બાદ પણ જાળવવી પડશે આ આ પ્રકારની સાવધાની

Follow Us
સુરતમાં 2000 કિલો ઘી અને 1700 કિલો રો મટીરીયલનો જથ્થો કબ્જે કર્યો
સુરતમાં 2000 કિલો ઘી અને 1700 કિલો રો મટીરીયલનો જથ્થો કબ્જે કર્યો
બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં બાળકીના પિતાની અપીલ,કહ્યું-આરોપ ખોટા છે
બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં બાળકીના પિતાની અપીલ,કહ્યું-આરોપ ખોટા છે
સૌરાષ્ટ્રની રાજનીતિમાં શાબ્દિક પ્રહારોથી વાતાવરણ ગરમાયું
સૌરાષ્ટ્રની રાજનીતિમાં શાબ્દિક પ્રહારોથી વાતાવરણ ગરમાયું
19 એપ્રિલથી આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરુ ! અક્ષય તૃતીયા કરાવશે લાભ
19 એપ્રિલથી આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરુ ! અક્ષય તૃતીયા કરાવશે લાભ
લાંબી મુસાફરી કરવાનું ટાળો, તમે બધાનું ધ્યાન ખેંચશો
લાંબી મુસાફરી કરવાનું ટાળો, તમે બધાનું ધ્યાન ખેંચશો
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
g clip-path="url(#clip0_868_265)">