AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: જાહેર સ્થળોથી રખડતા કૂતરા હટાવવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ, જીવદયા પ્રેમીઓની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓ અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે જાહેર સ્થળોએથી રખડતા કૂતરાઓને દૂર કરવાનો આદેશ યથાવત રહેશે. અગાઉનો આદેશ (2025 થી) અમલમાં રહેશે. કોર્ટે પશુ કલ્યાણ બોર્ડ દ્વારા દાખલ કરવામાં આવેલી તમામ અરજીઓ પણ ફગાવી દીધી હતી.

Breaking News: જાહેર સ્થળોથી રખડતા કૂતરા હટાવવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ, જીવદયા પ્રેમીઓની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
AI Image
| Updated on: May 19, 2026 | 12:27 PM
Share

દેશમાં રખડતા કૂતરાઓના મુદ્દે ચાલી રહેલી લાંબી કાનૂની લડાઈ વચ્ચે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જાહેર સ્થળોથી રખડતા કૂતરાઓને દૂર કરવાનો અગાઉનો આદેશ યથાવત રહેશે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. સાથે જ પશુ કલ્યાણ બોર્ડ સહિત કૂતરા પ્રેમીઓ દ્વારા દાખલ કરાયેલી તમામ અરજીઓને કોર્ટે ફગાવી દીધી છે.

ન્યાયમૂર્તિ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન. વી. અંજારિયા ની બેંચે આ ચુકાદો આપતાં જણાવ્યું હતું કે આ મુદ્દો માત્ર પશુ કલ્યાણનો નથી પરંતુ જાહેર આરોગ્ય અને નાગરિકોની સલામતી સાથે સીધો સંબંધ ધરાવે છે. કોર્ટે જણાવ્યું કે દેશમાં હડકવા અને કૂતરા હુમલાની ઘટનાઓમાં વધારો ગંભીર ચિંતાનો વિષય છે.

કોર્ટે અગાઉના 2025ના આદેશને યથાવત રાખતાં કહ્યું કે રાજ્યોએ પશુ જન્મ નિયંત્રણ (Animal Birth Control) નિયમોનો અસરકારક અમલ કરવો જરૂરી છે. જો રાજ્ય સરકારો આ આદેશોનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની અવમાનના (Contempt of Court) કાર્યવાહી પણ થઈ શકે છે.

ગયા વર્ષના આદેશમાં શાળા, કોલેજ, હોસ્પિટલો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને રમતના મેદાનો જેવા જાહેર સ્થળોથી રખડતા કૂતરાઓને દૂર કરવા અને તેમને આશ્રયસ્થાનોમાં મોકલવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. સાથે જ આવા સ્થળોની આસપાસ સુરક્ષા માટે સીમા દિવાલો બનાવવા અને પ્રવેશ નિયંત્રણ કડક કરવા પણ જણાવાયું હતું.

આ કેસમાં અનેક અરજીઓ પર લાંબી સુનાવણી બાદ 29 જાન્યુઆરીએ નિર્ણય અનામત રાખવામાં આવ્યો હતો. અંતે સુપ્રીમ કોર્ટે જાહેર સલામતીને પ્રાથમિકતા આપતાં સ્પષ્ટ કર્યું કે અગાઉનો નિર્ણય જ અમલમાં રહેશે. આ નિર્ણય બાદ દેશભરમાં ફરી એકવાર રખડતા કૂતરાઓના નિયંત્રણ અને જાહેર સુરક્ષા વચ્ચે સંતુલન અંગે ચર્ચા તેજ થઈ ગઈ છે.

આ પણ વાંચો- RRB Technician Recruitment: રેલવેમાં 6565 જગ્યાઓ માટે ભરતી, અરજી પ્રક્રિયા 30 જૂનથી થશે શરૂ, જાણો વિગતો

Follow Us
અમદાવાદમાં પાણીપુરીથી લઈને ઘી સુધીના નમૂનાઓ અખાદ્ય જાહેર
અમદાવાદમાં પાણીપુરીથી લઈને ઘી સુધીના નમૂનાઓ અખાદ્ય જાહેર
સિંગતેલ-કપાસિયા તેલ મોંઘા થતા ઘરખર્ચ પર ભાર, જુઓ Video
સિંગતેલ-કપાસિયા તેલ મોંઘા થતા ઘરખર્ચ પર ભાર, જુઓ Video
રમૂજ વર્તનથી ઘરમાં ખુશનુમા વાતાવરણ બનશે, તમને નોકરીમાં પ્રોત્સાહન મળશે
રમૂજ વર્તનથી ઘરમાં ખુશનુમા વાતાવરણ બનશે, તમને નોકરીમાં પ્રોત્સાહન મળશે
અમદાવાદ: નવા બનેલા રોડ પર 24 કલાકમાં ખોદકામની મંજૂરી અપાતાં વિવાદ
અમદાવાદ: નવા બનેલા રોડ પર 24 કલાકમાં ખોદકામની મંજૂરી અપાતાં વિવાદ
ભુજ ગૌરવ પથ બ્યુટીફિકેશન ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ચીફ ઓફિસરની સ્પષ્ટતા
ભુજ ગૌરવ પથ બ્યુટીફિકેશન ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ચીફ ઓફિસરની સ્પષ્ટતા
સુરેન્દ્રનગર: યોગ્ય વળતર વિના વીજ લાઇન નાખવા સામે ખેડૂતોનો વિરોધ
સુરેન્દ્રનગર: યોગ્ય વળતર વિના વીજ લાઇન નાખવા સામે ખેડૂતોનો વિરોધ
દુનિયા આખીને દારૂબંધીનું જ્ઞાન વહેંચતી પોલીસ પોતે જ ટલ્લી - જુઓ Video
દુનિયા આખીને દારૂબંધીનું જ્ઞાન વહેંચતી પોલીસ પોતે જ ટલ્લી - જુઓ Video
રાજકોટનો સાંઢિયા બ્રિજ નવા નેતાના કરકમળની જોઈ રહ્યો છે રાહ !
રાજકોટનો સાંઢિયા બ્રિજ નવા નેતાના કરકમળની જોઈ રહ્યો છે રાહ !
GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા
GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
g clip-path="url(#clip0_868_265)">