AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને એવી વાત કરી કે, પાકિસ્તાનના હાજા ગગડી ગયા

Independence Day 2026 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 80માં સ્વતંત્રતા દિવસ પર દેશને સંબોધિત કરતી વખતે પાકિસ્તાનને એક ટેન્શન આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના 2047ના લક્ષ્ય વિશે જણાવ્યું છે. પીએમ મોદીએ કહ્યું ભારતે 5 નવા ન્યુક્લિયર રિએક્ટર શરુ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

Breaking News : પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને એવી વાત કરી કે, પાકિસ્તાનના હાજા ગગડી ગયા
Image Credit source: PTI
| Updated on: Aug 15, 2026 | 9:29 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 80માં સ્વતંત્રતા દિવસ પર દિલ્લીના લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરમાણું ઉર્જાનો પણ ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું અમારે મોટી માત્રામાં વિજળીની જરુર પડશે. એનર્જી સિક્યોરિટી અમારા સમયની માંગ છે. અમે પહેલાથી જ આ દિશામાં એક બાદ એક મજબુત પગલું ભર્યું છે.

100 ગીગાવોટનો ટાર્ગેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનર્જી સિક્યોરિટીનું એક મોટું માધ્યમ પરમાણું ઉર્જા છે. આ માટે અમે સંસદમાં શાંતિ એક્ટ પાસ કરી એક નવા લક્ષ્ય સુધી પહોંચવાનો રસ્તો નક્કી કર્યો છે. 2047 અમે 100 ગીગાવોટ ન્યુક્લિયર પાવરનો ટાર્ગેટ લઈ ચાલી રહ્યા છે. આ એક દશકમાં 5 નવા પરમાણું રિએક્ટર શરુ કરવાનો ટાર્ગેટ છે. આ વર્ષે ભારતે ફાસ્ટ બ્રીડર ન્યુક્લિયર ટેક્નોલોજીમાં સફળતા મેળવવાના એક મહત્વનો પડાવ પાર કર્યો છે. આ કારણે પરમાણું ઈંધણમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં મોટી સફળતાનું પગલું અમે રાખ્યું છે.

વિક્સિત દેશનો સંકલ્પ

આ પહેલા સ્વતંત્રતા દિવસ પર પોતાના સંબોધનમાં વડાપ્રધા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે ભારતનું એક મોટું સપનું છે કે, 2047 સુધી તે એક વિકસિત દેશ બને. જ્યારે દુનિયાનો સૌથી વધારે વસ્તીવાળો દેશ વિકસિત દેશ બનવાનો સંકલ્પ લે છે. તો આ અમારા સાહસની ઓળખ બની જાય છે. તેમજ દુનિયા અમને એક અલગ નજરથી દેખવા માટે મજબુર થઈ જાય છે.

ભારત સરકારે વર્ષ 2047 સુધીમાં 100 ગીગાવોટ (GW) પરમાણુ ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરવાનો ઐતિહાસિક લક્ષ્યાંક નક્કી કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલ આ ‘પરમાણુ ઉર્જા મિશન’નો મુખ્ય ઉદ્દેશ્ય દેશની ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવવાનો અને વર્ષ 2070 સુધીમાં ‘નેટ-ઝીરો’ (નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જન) ના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવાનો છે.

લાલ કિલ્લાની પ્રાચીર પરથી, પીએમ મોદીએ વિશ્વભરમાં ચાલી રહેલા યુદ્ધોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષોમાં, દેશે ઘણા સંકટનો સામનો કરવો પડ્યો છે. તેમણે કહ્યું કે કેટલાક લોકોને દેશને ચિંતામાં રાખવામાં આનંદ આવે છે. યુદ્ધ દરમિયાન, કેટલાક લોકોએ અફવાઓ ફેલાવી હતી કે તેલ અને ગેસ ઉપલબ્ધ નહીં થાય. કેટલાક લોકોને ભારતને ડરાવવામાં આનંદ આવ્યો.

2014થી લઈને 2026 સુધી સ્વતંત્રતા દિવસ પર PM મોદીની પાઘડીની દરેક વખતે ચર્ચા થઈ ,જુઓ ફોટો અહી ક્લિક કરો

Follow Us
ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક 2026 રજૂ - જુઓ Video
ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક 2026 રજૂ - જુઓ Video
કીર્તિદાન ગઢવીના પાસની રકમમાં 10 કરોડની ઉચાપત મામલે નોંધાઈ ફરિયાદ
કીર્તિદાન ગઢવીના પાસની રકમમાં 10 કરોડની ઉચાપત મામલે નોંધાઈ ફરિયાદ
કચ્છના કંડલામાં કોલસા ભરેલું જહાજ એન્કર સાથે અથડાયું
કચ્છના કંડલામાં કોલસા ભરેલું જહાજ એન્કર સાથે અથડાયું
દરેક વોર્ડમાં શ્વાનની ‘ટેરિટરી’ નક્કી કરવા હાઈકોર્ટનો AMCને નિર્દેશ
દરેક વોર્ડમાં શ્વાનની ‘ટેરિટરી’ નક્કી કરવા હાઈકોર્ટનો AMCને નિર્દેશ
ફક્ત એક જ મેસેજ આપ્યો ને AI એ ટ્રેન ટિકિટ બુક કરી દીધી
ફક્ત એક જ મેસેજ આપ્યો ને AI એ ટ્રેન ટિકિટ બુક કરી દીધી
વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના ડેમોના દેખાયા તળિયા, પાણીની તંગીની ભીતિ
વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના ડેમોના દેખાયા તળિયા, પાણીની તંગીની ભીતિ
ગુજરાતમાં એક વર્ષમાં વિવિધ બિમારીથી 62 સિંહના મોત, સરકારે કરી જાહેરાત
ગુજરાતમાં એક વર્ષમાં વિવિધ બિમારીથી 62 સિંહના મોત, સરકારે કરી જાહેરાત
અમદાવાદમાં વધુ ઊંચાઈની ગણેશ મૂર્તિ સ્થપાતા આયોજકો સામે પોલીસ ફરિયાદ
અમદાવાદમાં વધુ ઊંચાઈની ગણેશ મૂર્તિ સ્થપાતા આયોજકો સામે પોલીસ ફરિયાદ
શ્યામ સંગીની માર્કેટ આગ કેસ: જાણીજોઈને લગાવી હતી આગ
શ્યામ સંગીની માર્કેટ આગ કેસ: જાણીજોઈને લગાવી હતી આગ
દેવભૂમિ દ્વારકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી, છૂટોછવાયો વરસાદ
દેવભૂમિ દ્વારકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી, છૂટોછવાયો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">