AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સરકારનું મોટું પગલું,પાન મસાલા હવે પ્લાસ્ટિકના પેકેટમાં વેચાશે નહીં!

FSSAIએ પાન મસાલા, ગુટખા અને તંબાકુના ઉત્પાદનોના પ્લાસ્ટિક પેકેજ પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં છે. નવા નિયમ હેઠળ હવે આ પેકિંગ માટે કાગળ કે પછી પ્રાકૃતિક સામગ્રીનો ઉપયોગ થશે. આ પગલું પ્લાસ્ટિકનો કચરો ઓછો કરવો , તેમજ પર્યાવરણની રક્ષા અને સાર્વજનિક સ્વાસ્થમાં સુધારા માટે છે. સરકારે આ ડ્રાફ્ટ પર 30 દિવસમાં સુચનો માંગ્યા છે.

Breaking News : સરકારનું મોટું પગલું,પાન મસાલા હવે પ્લાસ્ટિકના પેકેટમાં વેચાશે નહીં!
| Updated on: Apr 29, 2026 | 10:30 AM
Share

ફુડ સેફ્ટી એન્ડ સ્ટેડર્ડસ અથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ પાન મસાલા, ગુટખા અને તંબાકુને લઈ કડક નિયમો લાગુ કરવાની તૈયારી કરી લીધી છે. સરકારના નવા ડ્રાફ્ટ નિયમો મુજબ હવે આ ઉત્પાદનોને પ્લાસ્ટિક પેકેજ કે પછી કોથળીઓમાં વેચાણ સંપૂર્ણપણે તબક્કાવાર બંધ થઈ શકે છે. આનો અર્થ એ થયો કે પાન મસાલા જેવા ઉત્પાદનો હવે કાગળ, પેપરબોર્ડ અથવા કુદરતી સામગ્રીનો ઉપયોગ કરીને પેક કરવામાં આવશે. પ્લાસ્ટિક, પોલીથીન અથવા પીવીસી જેવી કોઈપણ કૃત્રિમ સામગ્રીનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે.

આ સાથે એલ્યુમિનિયમ ફોયલ વાળા પેકિંગ પર પ્રતિબંધ લગાવી શકે છે. આટલું જ નહી પ્લાસ્ટિક કોથળીઓમાં આ ઉત્પાદનોના વેચાણ, સંગ્રહ અને પેકિંગ પર સ્પષ્ટપણે પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ છે. નિયમોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિક પછી તે કોઈ પણ રુપમાં હોય તેનો ઉપયોગ આ પ્રોડક્ટના પેકિંગમાં કરવામાં આવશે નહી. સરકારે આ ડ્રાફ્ટ પર સામાન્ય લોકો અને સંબંધિત પક્ષો પાસેથી 30 દિવસની અંદર સુચનો માંગ્યા છે. ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે.

કેમ લેવામાં આવ્યો નિર્ણય?

આ પગલું પ્લાસ્ટિકનો કચરો ઓછો કરવા અને પર્યાવરણને થનારા નુકસનાને રોકવાનો છે. આ સાથે સાર્વજનિક સ્વાસ્થ પર ધ્યાન આપશે. જો આ નિયમ લાગુ પડે છે. તો બજારમાં પાન મસાલા અને તંબાકુના ઉત્પાદનોની પેકિંગ સંપુર્ણ રીતે બદલવામાં આવશે.વધુમાં, પ્લાસ્ટિકમાં રહેલા રસાયણોનો તમાકુ અથવા તમાકુના ઉત્પાદનો જેવા ઉત્પાદનો સાથે સીધો સંપર્ક સ્વાસ્થ્ય માટે વધુ હાનિકારક હોઈ શકે છે. કુદરતી સામગ્રીનો ઉપયોગ કરીને આ જોખમ ઘટાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

ઉદ્યોગ પર શું અસર થશે?

જો આ નિયમો લાગુ કરવામાં આવે છે, તો પાન મસાલા કંપનીઓએ તેમની સમગ્ર ઉત્પાદન લાઇન અને પેકેજિંગ એકમોને ફરીથી બનાવવી પડશે. કાગળ અથવા કુદરતી સામગ્રીનો ઉપયોગ કરવાથી કંપનીઓ માટે ખર્ચ વધી શકે છે, જે ગ્રાહકોના ખિસ્સા પર પણ અસર કરી શકે છે. જોકે, પર્યાવરણીય નિષ્ણાતો માને છે કે આ લાંબા ગાળે દેશ માટે વરદાન સાબિત થશે.

ગુજરાત સહિત રમત -ગમત સ્પોર્સ્ટસ અને મનોરંજનના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
ગીરમાં સિંહોના મોતથી વન વિભાગ એલર્ટ, શરૂ કરાયું વેક્સીનેશન અભિયાન
ગીરમાં સિંહોના મોતથી વન વિભાગ એલર્ટ, શરૂ કરાયું વેક્સીનેશન અભિયાન
PM મોદીએ વિસ્તારેલ ગુજરાત વિકાસ મોડલથી દેશના 80% ભાગમાં BJPની સત્તા
PM મોદીએ વિસ્તારેલ ગુજરાત વિકાસ મોડલથી દેશના 80% ભાગમાં BJPની સત્તા
પાંચ રાઉન્ડ ફાયરિંગ કેસમાં નિવૃત્ત DYSP અશોકસિંહ ચૌહાણની ધરપકડ
પાંચ રાઉન્ડ ફાયરિંગ કેસમાં નિવૃત્ત DYSP અશોકસિંહ ચૌહાણની ધરપકડ
બનાસકાંઠામાં SOGએ પેટ્રોલિંગ દરમિયાન 171 શંકાસ્પદ ઘીના ડબ્બા ઝડપ્યા!
બનાસકાંઠામાં SOGએ પેટ્રોલિંગ દરમિયાન 171 શંકાસ્પદ ઘીના ડબ્બા ઝડપ્યા!
Breaking News : પાલીતાણાની શેત્રુંજી નદીમાં દારૂની મજા માણતો વીડિયો
Breaking News : પાલીતાણાની શેત્રુંજી નદીમાં દારૂની મજા માણતો વીડિયો
બોરસદની યુવતીની કેનેડામાં ચપ્પાના ઘા ઝીંકીને હત્યા, જુઓ-Video
બોરસદની યુવતીની કેનેડામાં ચપ્પાના ઘા ઝીંકીને હત્યા, જુઓ-Video
g clip-path="url(#clip0_868_265)">