Breaking News : કસાબને ફાંસી અપાવનાર વકીલ ઉજ્જવલ નિકમ કેતન અગ્રવાલને ન્યાય અપાવશે
પુણેનો બહુચર્ચિત કેતન અગ્રવાલ હત્યાકેસ હવે દિગ્ગજ વકીલ ઉજ્જવલ નિકમ લડશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને પીડિત પરીવારના અનુરોધ પર સરકારે તેમને ખાસ સરકારી વકીલ તરીકે નિયુક્ત કર્યા છે. આ કેસની સુનાવણી ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં થશે.

મહારાષ્ટ્રના પુણેમાં થયેલા હત્યા કેસમાં કેતન અગ્રવાલને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 26/11ના મુંબઈ આંતકી હુમલાના કસાબ કેસ અને દેશના અનેક હાઈપ્રોફાઈલ મામલે સરકારનો પક્ષ રાખનાર દેશના દિગ્ગજ સરકારી વકીલ અને રાજ્યસભાના સાંસદ ઉજ્જવલ નિકમ હવે આ કેસ લડશે.મહારાષ્ટ્ર સરકારે કેતન અગ્રવાલ મર્ડર કેસમાં ઉજ્જવલ નિકમને વિશેષ લોક અભિયોજક નિયુક્ત કર્યો છે. આ નિર્ણય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને પીડિત પરિવારની મુલાકાત બાદ લેવામાં આવ્યો છે.
વરિષ્ઠ અધિવક્તા ઉજ્જવલ નિકમે ખુદ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, મુખ્યંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેને ફોન કર્યો હતો. સીએમે તેને જાણકારી આપી કે, મૃતક કેતન અગ્રવાલના પિતાએ તેની સાથે મુલાકાત કરી અને આ કેસમાં ઉજ્જવલ નિકમને સરકારી વકીલ નિયુક્ત કરવાની માંગ કરી છે.
પીડિત પરીવારની ગંભીરતાને ધ્યાનમાં લઈ પુણેમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત પર ન્યાયની માંગ કરી હતી. પીડિત પરીવારની માંગને ગંભીરતાથી લઈ સરકારે આ મામલાની સુનાવણી ફાસ્ટ ટ્રૈક કોર્ટમાં કરવાની મંજુરી આપી છે. જેનાથી આરોપીને જલ્દી સજા મળી શકે.
શું છે કેતન અગ્રવાલ મર્ડર કેસ?
22 વર્ષીય કેતન અગ્રવાલનું મૃત્યું 18 જૂનના રોજ પુણેની પાસે ફેમસ લોહાગઢ કિલ્લાની ખાણમાં પડવાથી થઈ હતી. શરુઆતમાં આ અકસ્માત માનવામાં આવી રહ્યો હતો. પરંતુ પોલીસ તપાસમાં એક મોટો ખુલાસો થયો હતો. કારણ કે, આ એક કાવતરું હતુ. પોલીસે આ મામલે કેતન અગ્રવાલની મંગેતર સિયા ગોયલ અને તેનો પ્રેમી ચેતન ચૌધરીની ધરપકડ કરી છે.
કેતન અગ્રવાલ હત્યા કેસ
આરોપ એ છે કે, સિયા અને ચેતને સાથે મળી કેતનને રસ્તાથી દુર કરવા માટે લોહગઢ કિલ્લા પર બોલાવ્યો હતો. અહીથી નીચે ધક્કો મારી તેનો જીવ લીધો હતો. બંન્ને આરોપીઓ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે.કેતન અગ્રવાલ હત્યા કેસમાં, લોનાવાલા પોલીસે આરોપી ચેતનની બાઇક, હૂડી અને હેડફોન જપ્ત કર્યા છે અને ફોરેન્સિક ટેસ્ટ કરાવ્યા છે. આ દરમિયાન, આરોપી સિયાએ કબૂલાત કરી હતી કે કેતનને મારી નાખવો તેના પરિવારને અફેર જણાવવા કરતાં વધુ સરળ હતું. સિયાના ભાઈ સાહિલે પણ 10 કલાકની પૂછપરછ દરમિયાન પોલીસ સમક્ષ ઘણી વિગતો જાહેર કરી હતી.
