Breaking News: BJP સાંસદ સંબિત પાત્રાનું WhatsApp Hack, સાયબર ગુનાને લઈને MP એ લોકોને કર્યા ‘Alert’
BJP ના લોકસભા સાંસદ સંબિત પાત્રા સાયબર ક્રાઈમનો ભોગ બન્યા છે અને તેમનું ઓફિશિયલ વોટ્સએપ એકાઉન્ટ હેક થઈ ગયું છે. આ ઘટનાની જાણ થતાં જ તેમણે ઓડિશા પોલીસના વરિષ્ઠ અધિકારીઓને ફરિયાદ કરી છે. સંબિત પાત્રાએ લોકોને અપીલ કરી છે કે, જ્યાં સુધી તેમનું એકાઉન્ટ રિકવર ન થાય, ત્યાં સુધી તેમના નંબર પરથી આવતા કોઈ પણ શંકાસ્પદ મેસેજ કે પૈસાની માંગણી પર બિલકુલ ભરોસો ન કરે.

બીજેપીના લોકસભા સાંસદ સંબિત પાત્રાએ માહિતી આપી છે કે, તેમનું વોટ્સએપ એકાઉન્ટ હેક થઈ ગયું છે. તેમણે જણાવ્યું કે, હેકર્સ તેમના વોટ્સએપ નંબરનો ઉપયોગ કરીને એવા મેસેજ મોકલી રહ્યા છે કે, જેમને તેમની સાથે કોઈ સંબંધ નથી. તેમણે લોકોને અપીલ કરી છે કે, તેમના નંબર પરથી આવતા કોઈપણ શંકાસ્પદ મેસેજ, કોલ અથવા પૈસા સંબંધિત વિનંતી પર બિલકુલ ભરોસો ન કરે.
સંબિત પાત્રાએ સ્પષ્ટ કર્યું કે, જો કોઈને તેમના નામે અથવા તેમના વોટ્સએપ નંબર પરથી પૈસા મોકલવા અથવા કોઈ પણ પ્રકારની આર્થિક મદદ માંગતો મેસેજ મળે, તો તેને સંપૂર્ણપણે નકલી (ફેક) માનવામાં આવે. તેમણે કહ્યું કે, આ સાયબર ક્રાઈમનો ગંભીર મામલો છે અને આવા કિસ્સાઓમાં તમામ લોકોએ ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે. મહત્વની વાત એ પણ છે કે, ઠગે તેમના નંબર પરથી ઘણા લોકોને મેસેજ મોકલીને કહ્યું કે અર્જન્ટ છે, પૈસા મોકલી દો.
પોલીસના વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી
સંબિત પાત્રાએ જણાવ્યું કે, સાયબર ઠગો અવારનવાર કોઈ પરિચિત અથવા પ્રભાવશાળી વ્યક્તિનું વોટ્સએપ એકાઉન્ટ હેક કરીને તેના સંપર્કમાં રહેલા લોકોને નિશાન બનાવે છે. આવા સમયમાં ખાતરી કર્યા વિના કોઈપણ પ્રકારની ચૂકવણી કરવી અથવા પોતાની અંગત માહિતી શેર કરવી નુકસાનનું કારણ બની શકે છે.
मेरा WhatsApp नंबर हैक हो गया है।
WhatsApp हैक होने के बाद मेरे नंबर से लोगों को भ्रामक संदेश भेजे जा रहे हैं तथा विभिन्न माध्यमों से पैसों की मांग की जा रही है। कृपया ध्यान दें कि इस प्रकार के सभी संदेश पूर्णतः फर्जी एवं साइबर अपराध का हिस्सा हैं। उनका मुझसे कोई संबंध नहीं है।…
— Sambit Patra (@sambitswaraj) July 5, 2026
સંબિત પાત્રાના જણાવ્યા અનુસાર, જેવી તેમને આ ઘટનાની જાણ થઈ, તેમણે તરત જ ઓડિશા પોલીસના વરિષ્ઠ અધિકારીઓને આ અંગેની માહિતી આપી દીધી. મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને તેમના વોટ્સએપ એકાઉન્ટને સુરક્ષિત રીતે ફરીથી તેમના નિયંત્રણમાં લાવવા માટે જરૂરી કાનૂની તેમજ તકનીકી (ટેકનિકલ) પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે.
વોટ્સએપ નંબરને લઈને સંબિત પાત્રાએ શું અપીલ કરી?
સંબિત પાત્રાએ લોકોને અપીલ કરી છે કે, જ્યાં સુધી તેમનો વોટ્સએપ નંબર સંપૂર્ણપણે સુરક્ષિત થઈને ફરીથી તેમના નિયંત્રણમાં ન આવી જાય, ત્યાં સુધી તેમના નંબર પરથી આવતા કોઈપણ મેસેજનો જવાબ ન આપે. સાથે જ કોઈપણ પ્રકારની રકમ મોકલવા અથવા પોતાની અંગત અને સંવેદનશીલ માહિતી શેર કરવાથી પણ બચે. હાલમાં પોલીસ અને સાયબર નિષ્ણાતો સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે.
હવે એ શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે, વોટ્સએપ એકાઉન્ટ કઈ રીતે હેક કરવામાં આવ્યું અને તેની પાછળ કયા લોકો સંડોવાયેલા છે. અધિકારીઓએ પણ લોકોને અપીલ કરી છે કે, જો તેમની પાસે કોઈ શંકાસ્પદ મેસેજ આવે તો તેની માહિતી તરત જ સાયબર હેલ્પલાઈન અથવા સ્થાનિક પોલીસને આપે અને કોઈપણ પ્રકારની ઓનલાઈન ઠગાઈથી સતર્ક રહે.
