દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને મોટી રાહત, દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મળ્યા જામીન

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોર્ટમાંથી જામીન મળી ગયા છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે. અગાઉ તેમને વચગાળાના જામીન મળ્યા હતા.

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને મોટી રાહત, દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મળ્યા જામીન
Image Credit source: Social Media
Follow Us:
krushnapalsinh chudasama
| Edited By: | Updated on: Jun 20, 2024 | 8:50 PM

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોર્ટમાંથી નિયમિત જામીન મળી ગયા છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે. આ પહેલા કોર્ટે તેમને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે વચગાળાના જામીન આપ્યા હતા. જોકે આ પછી તેને ફરીથી જેલમાં જવું પડ્યું હતું.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) એ નિયમિત જામીનનો વિરોધ કરવા માટે સીએમ અરવિંદ કેજરીવાલ પાસે 48 કલાકનો સમય માંગ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટના આ નિર્ણય બાદ સીએમ કેજરીવાલ શુક્રવારે તિહાર જેલમાંથી 1 લાખ રૂપિયાના બોન્ડ પર બહાર આવી શકે છે.

સત્ય પરેશાન થઈ શકે છે, પરાજિત નહીં

કોર્ટના આ નિર્ણયથી આમ આદમી પાર્ટી ઘણી ખુશ છે. પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની પોસ્ટમાં કહ્યું છે કે, સત્ય પરેશાન થઈ શકે છે, પરાજિત નહીં. ભાજપની EDના તમામ વાંધાઓને ફગાવી દેતા માનનીય કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન આપી દીધા છે. દિલ્હી સરકારના મંત્રી આતિશીએ એક પોસ્ટમાં ‘સત્યમેવ જયતે’ કેપ્શન લખતા સીએમ અરવિંદ કેજરીવાલનો ફોટો પોસ્ટ કર્યો છે.

આ છે હિંદુ ધર્મનું સૌથી નાનું અને પ્રસિદ્ધ પુસ્તક, ફક્ત વાંચવાથી દુર થાય છે મુસીબત !
આજનું રાશિફળ તારીખ : 28-09-2024
અર્ચના કપિલથી નારાજ ? ઉંમર પર ટોણો, અંગત જીવન પર મજાક ! ખુદ બોલી આ વાત
કિડની ફેલ થાય તે પહેલા શરીરમાં દેખાય છે આ લક્ષણો, જાણો અહીં
ઘરમાં તુલસી હોય તો, ગાંઠ બાંધી લો આ 5 વાત
આ ક્રિકેટરો જન્મ્યા અન્ય દેશમાં અને ક્રિકેટ અન્ય દેશ તરફથી રમ્યા

EDએ 21 માર્ચે ધરપકડ કરી હતી

દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલી EDએ 21 માર્ચે કેજરીવાલની તેમના ઘરેથી ધરપકડ કરી હતી. આ પહેલા કેજરીવાલને 9 વખત સમન્સ જારી કરવામાં આવ્યા હતા. ધરપકડ બાદ કેજરીવાલ ઘણા દિવસો સુધી EDની કસ્ટડીમાં હતા. આ પછી કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. આ દરમિયાન તેમને લોકસભા ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન મળ્યા હતા. તેમની મુદત પૂરી થયા બાદ, તેમણે 2 જૂને આત્મસમર્પણ કર્યું હતું. હાલમાં તે તિહાર જેલમાં બંધ છે.

રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી
આગામી 48 કલાક ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
આગામી 48 કલાક ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
Rain Update : ગુજરાતના 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ
Rain Update : ગુજરાતના 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ
આ રાશિના જાતકો પૈસાની લેવડ-દેવડમાં રાખે સાવધાની
આ રાશિના જાતકો પૈસાની લેવડ-દેવડમાં રાખે સાવધાની
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ
રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ
ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર
ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર
રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video
રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video
ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો
ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો
g clip-path="url(#clip0_868_265)">