Kerala : કોવિડ નિયમો અંગે રાજ્ય સરકારને ફટકાર, હાઈકોર્ટે બાર અને બેવરેજની દુકાનોમાં નવી માર્ગદર્શિકા લાગુ કરવા કર્યા આદેશ

જસ્ટિસ દેવન રામચંદ્રને રાજ્ય સરકારને કોવિડ નિયમો અંગે રાજ્ય સરકારને ફટકાર લગાવી છે. જેમાં બાર અને બેવરેજ કોર્પોરેશનની દુકાનોમાં કોરોના નિયમોનું પાલન ન થતા ફટકાર લગાવવામાં આવી છે.

Kerala : કોવિડ નિયમો અંગે રાજ્ય સરકારને ફટકાર, હાઈકોર્ટે બાર અને બેવરેજની દુકાનોમાં નવી માર્ગદર્શિકા લાગુ કરવા કર્યા આદેશ
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 12:34 PM

Kerala: કેરળ હાઈકોર્ટે મંગળવારે રાજ્યમાં બાર અને બેવરેજ કોર્પોરેશનની દુકાનો (Beverage Corporation Shop) બહાર કતાર લગાવવા માટે નવા COVID-નિયમોનું પાલન ન કરવા બદલ રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. ઉલ્લેખનીય છે કે, કોવિડ ગાઈડલાઈન મુજબ ગ્રાહકે વેક્સિનનો (Vaccine) ઓછામાં ઓછો એક ડોઝ લીધેલો હોવો જોઈએ અથવા RT PCR રિપોર્ટ નેગેટિવ (Nagetive) હોવો જરૂરી છે.

કોવિડની નવી માર્ગદર્શિકા લાગુ કરવા કોર્ટનો આદેશ

જસ્ટિસ દેવન રામચંદ્રએ (Justice Devan Ramchndran) રાજ્ય સરકારને પ્રશ્ન કર્યો હતો કે, શા માટે બાર અને બેવરેજ કોર્પોરેશનની દુકાનો પર ગ્રાહકને વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ અથવા 72 કલાકની અંદર RT PCR ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ રિપોર્ટના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. ઉલ્લેખનીય છે કે, બારની બહાર ગ્રાહકોની લાંબી કતાર જોવા મળે છે, ત્યારે કોર્ટે રાજ્ય સરકારને (Kerala Government) નવી માર્ગદર્શિકા લાગુ કરવા માટે આદેશ કર્યા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કોરોનાની નવી માર્ગદર્શિકા બારમાં કેમ માન્ય નથી: હાઈકોર્ટ

જસ્ટિસ રામચંદ્રને જણાવ્યું હતું કે, “ખૂબ જ આશ્ચર્યજનક વાત છે કે 4 ઓગસ્ટનો સરકારી આદેશ બાર કે બેવરેજ કોર્પોરેશનની દુકાનો પર કોવિડ નિયમો (Covid Guidelines) લાગુ કરવામાં આવ્યા નથી.” વધુમાં જણાવ્યું હતું કે, 4 ઓગસ્ટનો સરકારી આદેશનું બધી જગ્યાએ પાલન થાય છે, પરંતુ બાર અને બેવરેજની દુકાનો પર શા માટે નિયમોનું પાલન કરવામાં આવતુ નથી.

ઉપરાંત અદાલતે સુચન કર્યું કે, સરકારના આદેશનું આવી દુકાનો પર પણ અમલ થવો જોઈએ, કારણ કે “તે વેક્સિનેશનને પ્રોત્સાહન આપશે”. આપને જણાવવું રહ્યું કે, હાઈકોર્ટ દ્વારા 11 ઓગસ્ટના રોજ એટલે કે આજે સુનાવણી હાથ ધરવામાં આવશે.

કેરળ સરકારે કોરોના નિયંત્રણો હળવા કર્યા હતા

થોડા દિવસો પહેલા જ કેરળ સરકારે COVID-19 ના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કોવિડ પ્રતિબંધોને (Covid Guidelines)  કરવાની જાહેરાત કરી છે. આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે આ અંગે કેરળ વિધાનસભામાં (Assembly) નિવેદન આપતા જણાવ્યું હતુ કે, વર્તમાન પરિસ્થિતિ અને રસીકરણની ગતિને ધ્યાનમાં રાખીને દુકાનો 6 દિવસ સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવશે, જે અંતર્ગત દુકાનો સવારે 7 થી રાત્રે 9 વાગ્યા સુધી ખોલવાની અનુમતિ આપવામાં આવશે.

રાજ્યના આરોગ્ય પ્રધાને આ બાબતે જણાવ્યું હતુ કે, કોરોના સંક્રમણને (Corona) ધ્યાનમાં રાખીને કેટલાક વિસ્તારોમાં દુકાનો ખોલવાની અનુમતિ આપવામાં આવશે નહિ. ઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયામાં 1000 વસ્તીમાંથી 10 થી વધુ લોકો ચેપગ્રસ્ત થતા હોય તેવા વિસ્તારમાં પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા નથી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ અને 22 ઓગસ્ટના રોજ ઓણમના તહેવાર (Onam Festival) નિમિતે પણ લોકડાઉન પ્રતિબંધોમાં છુટછાટ આપવામાં આવશે. જો કે, મંત્રીએ દુકાનો અને વ્યાપારી સંસ્થાઓને તહેવારો પર ભીડ ટાળવા અને તેમના સામાજિક અંતરના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરી હતી.

આ પણ વાંચો: Delhi: પંજાબના CM અમરિંદર સિંહ આજે પીએમ મોદી સાથે કરી શકે મુલાકાત, કૃષિ કાયદાને નાબૂદ કરવા મુદ્દે ચર્ચા થવાની સંભાવના

આ પણ વાંચો: Vaccination Certificate: કોરોના વેક્સિનનાં સર્ટિફિકેટ પર કેમ હોય છે વડાપ્રધાન મોદીનો ફોટો, જાણો શું કહ્યું મંત્રીજી એ

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">