Vaccination Certificate: કોરોના વેક્સિનનાં સર્ટિફિકેટ પર કેમ હોય છે વડાપ્રધાન મોદીનો ફોટો, જાણો શું કહ્યું મંત્રીજી એ

શું કોવિડ રસીકરણ પ્રમાણપત્ર પર વડાપ્રધાનના ફોટોગ્રાફ્સ છાપવા જરૂરી અને ફરજિયાત છે? જવાબમાં મંત્રીએ કહ્યું કે કોવિડ -19 રસીકરણ પ્રમાણપત્રોનું બંધારણ ધોરણ મુજબ અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના માર્ગદર્શિકા મુજબ

Vaccination Certificate: કોરોના વેક્સિનનાં સર્ટિફિકેટ પર કેમ હોય છે વડાપ્રધાન મોદીનો ફોટો, જાણો શું કહ્યું મંત્રીજી એ
Why is there a photo of Prime Minister Modi on the Corona Vaccine Certificate, find out what the Minister said
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 8:37 AM

Vaccination Certificate: કોરોનાની રસી લીધા બાદ આપવામાં આવેલા રસીકરણ પ્રમાણપત્ર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) તસવીર સંદર્ભે કેન્દ્ર સરકારનું નિવેદન સામે આવ્યું છે. સરકારનું કહેવું છે કે પીએમ મોદીની તસવીર એક કારણસર સર્ટિફિકેટ પર મુકવામાં આવી છે અને આ કારણ લોકોને જાગૃત કરવા માટે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ભારતી પવારે કહ્યું કે પ્રમાણપત્ર રસી લીધા પછી પણ કોરોના રોગચાળાને રોકવા માટે તમામ નિયમોનું પાલન કરવા અંગે જાગૃતિ ફેલાવે છે.

હકીકતમાં, મંત્રીને રાજ્યસભામાં પૂછવામાં આવ્યું કે શું કોવિડ રસીકરણ પ્રમાણપત્ર પર વડાપ્રધાનના ફોટોગ્રાફ્સ છાપવા જરૂરી અને ફરજિયાત છે? જવાબમાં મંત્રીએ કહ્યું કે કોવિડ -19 રસીકરણ પ્રમાણપત્રોનું બંધારણ ધોરણ મુજબ અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના માર્ગદર્શિકા મુજબ છે.

આ સર્ટિફિકેટ જાગૃતિ લાવે છે

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

તેમણે કહ્યું કે, રસીકરણ પ્રમાણપત્રોમાં પ્રધાનમંત્રીની તસવીર સાથે તેમનો સંદેશ વ્યાપક જનહિતમાં રસીકરણ બાદ પણ કોવિડ -19 ના યોગ્ય વર્તનને અનુસરવાના મહત્વ વિશે જાગૃતિ પેદા કરે છે. સરકારની નૈતિક જવાબદારી છે કે તે સુનિશ્ચિત કરે કે આવા મહત્વના સંદેશાઓ લોકોને સૌથી અસરકારક રીતે પ્રસારિત કરવામાં આવે. મંત્રીએ કહ્યું, “તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કોવિન -19 રસીકરણ માટે કોવિન એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે અને કોવિન મારફતે રસીકરણ પ્રમાણપત્રો પ્રમાણભૂત ફોર્મેટમાં જનરેટ થાય છે.” 

અગાઉ, રસી પ્રમાણપત્ર પર પીએમ મોદીની તસવીરે રાજકીય વિવાદ ઉભો કર્યો હતો. આવી સ્થિતિમાં, જ્યારે રાજ્યો કેન્દ્ર પાસેથી રસી ખરીદતા હતા, ત્યારે ઘણી રાજ્ય સરકારોએ રાજ્યોના મુખ્યમંત્રીઓના ફોટોગ્રાફ સાથે રસી પ્રમાણપત્રો જારી કર્યા હતા.કેન્દ્ર સરકાર દેશભરમાં COVID-19 રસીકરણની ગતિને વેગ આપવા અને તેનો વ્યાપ વધારવા પર સંપૂર્ણ ભાર આપી રહી છે. રસીકરણનો નવો તબક્કો 21 જૂન 2021 થી શરૂ થયો. દરમિયાન, કેન્દ્ર રસીકરણ અભિયાન હેઠળ વધુ રસીઓની ઉપલબ્ધતા, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે રસી ઉપલબ્ધતાનું વધુ સારું આયોજન અને રસીને સુવ્યવસ્થિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">