Delhi: પંજાબના CM અમરિંદર સિંહ આજે પીએમ મોદી સાથે કરી શકે મુલાકાત, કૃષિ કાયદાને નાબૂદ કરવા મુદ્દે ચર્ચા થવાની સંભાવના

આ પહેલા મંગળવારે અમરિંદર સિંહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી હતી અને તેમણે લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનની સામાજિક, આર્થિક અને સુરક્ષા અસરોને દર્શાવીને ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવાની અમિત શાહને અપીલ કરી હતી.

Delhi: પંજાબના CM અમરિંદર સિંહ આજે પીએમ મોદી સાથે કરી શકે મુલાકાત, કૃષિ કાયદાને નાબૂદ કરવા મુદ્દે ચર્ચા થવાની સંભાવના
CM Amarinder Singh (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 9:21 AM

Delhi: અમરિંદર સિંહે મંગળવારે અમિત શાહ સાથેની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, કૃષિ કાયદાઓએ પંજાબ અને અન્ય રાજ્યોમાં ખેડૂતોમાં ભારે અસંતોષ પેદા કર્યો છે, તેથી આ કાયદાઓને (Agriculture Law) રદ કરવાની માંગ કરી હતી.

અમિત શાહ બાદ CM કેપ્ટન અમરિંદર સિંહ વડાપ્રધાન સાથે કરશે મુલાકાત

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ આજે એટલે કે બુધવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) મળે તેવી શક્યતા છે. આ પહેલા મંગળવારે અમરિંદર સિંહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને તેમણે લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનની સામાજિક, આર્થિક અને સુરક્ષા અસરોને દર્શાવીને ત્રણેય કૃષિ કાયદા(Three Agriculture law)  પાછા ખેંચવાની અમિત શાહને અપીલ કરી હતી.

પંજાબના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, અમરિંદર સિંહે (Amrindar Sinh) પાકિસ્તાન સમર્થિત આતંકવાદી દળો સામે બચાવ માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની 25 કંપનીઓ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (Border Security Force) માટે ડ્રોન વિરોધી સાધનોની માંગણી કરી હતી. ઉપરાંત તેમણે હિન્દુ મંદિરો, અગ્રણી ખેડૂત નેતાઓ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) કચેરીઓ, આરએસએસ અને ભાજપના નેતાઓને (BJP Leader) નિશાન બનાવીને હુમલો થવાની આશંકા વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીએ બેઠક દરમિયાન અમિત શાહને જણાવ્યું હતું કે, કૃષિ કાયદાઓએ પંજાબ (Punjab) અને અન્ય રાજ્યોમાં ખેડૂતોમાં ભારે અસંતોષ પેદા કર્યો છે, તેથી આ કાયદાઓ રદ કરવા જોઈએ. ઉપરાંત તેમણે સરહદ પારથી દુશ્મન દળો દ્વારા અસંતોષ અને સરકાર સામેના રોષનો ફાયદો ઉઠાવવાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

આંદોલનને કારણે પંજાબની આર્થિક પ્રવૃત્તિઓ પ્રભાવિત થઈ- અમરિંદર સિંહ

અમરિંદર સિંહે જણાવ્યું હતુ કે, જૂન 2020 થી જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા વટહુકમો બહાર પાડવામાં આવ્યા, ત્યારથી પંજાબમાં વિરોધ થઈ રહ્યો છે.સિંહે જણાવ્યું હતું કે, કુષિ આંદોલનને પગલે પંજાબની આર્થિક પ્રવૃત્તિઓને અસર થઈ રહી છે,ઉપરાંત સામાજિક માળખાને અસર થવાની સંભાવના છે.જેથી વહેલી તકે કુષિ કાયદાઓ રદ્દ કરવા શાહને (Amit Shah) અપીલ કરી હતી.

આ પણ વાંચો: લોકસભામાં OBC અનામત માટે બંધારણ સુધારણા બિલ વિના વિરોધે પસાર, 385 સભ્યોએ આપ્યો ટેકો

આ પણ વાંચો: રેલ્વે દ્વારા લેવાયો મોટો નિર્ણય, આવનારા સમયમાં 50 ટકા સુધી ઘટાડવામાં આવશે કોચનું ઉત્પાદન

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">